એપશહેર

સલમાન ખાન અને રિટાયર્ડ એનઆરઆઈ વચ્ચે વિવાદ, કોર્ટમાં પહોંચ્યો મામલો

સલમાન ખાન અને એક એનઆરઆઈ વચ્ચે મહારાષ્ટ્રના રાયગઢમાં એક પ્લોટને લઈને વિવાદ ઊભો થયો છે અને મામલો કોર્ટ સુધી પહોંચી ગયો છે.

Agencies 16 Jan 2022, 11:45 pm

હાઈલાઈટ્સ:

  • બે દાયકા કરતા વધુ સમય સુધી બંને પડોશીઓ વચ્ચે સંબંધો સારા રહ્યા હતા.
  • એનઆરઆઈ કેતન કક્કડનો આરોપ છે કે, 2019માં અચાનક ખાન પરિવારનું વર્તન બદલાઈ ગયું.
  • કેતન કક્કડે ખાન પરિવાર સામેનો પોતાનો ગુસ્સો સોશિયલ મીડિયાના માધ્યમથી વ્યક્ત કર્યો.
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat Salman Khan
મુંબઈ: રાયગઢમાં જમીનના એક ટૂકડાને લઈને અમેરિકાના એક રિટાયર્ડ એનઆરઆઈ કેતન કક્કડ અને તેમના પાડોશી બોલીવુડ સ્ટાર સલમાન ખાન વચ્ચે એક વિવાદ ઊભો થઈ ગયો છે. કક્કડે તાજેતરમાં સોશિયલ મીડિયા પોસ્ટ પર કડક ટીકા કરતા કહ્યું કે, અભિનેતાએ ગૂગલ, યુટ્યૂબ, ફેસબુક, ટ્વિટર અને અન્ય સોશિયલ પ્લેટફોર્મ ઉપરાંત પોતાના પાડોશી સામે નાગરિક માનહાનિનો કેસ કર્યો છે.
મામલો 1990ના દાયકાના મધ્યનો છે. જ્યારે યુવા એનઆરઆઈ કેતન કક્કડે પોતાનું રિટાયર્મેન્ટ ઘર બનાવવા માટે રાયગઢમાં એક નાનો જમીનનો ટૂકડો ખરીદવાની યોજના બનાવી હતી અને વેચાણ કરનારી કંપનીએ તેમની બોલીવુડ લેખક સલીમ ખાન સાથે મુલાકાત કરાવી હતી. ખાન પરિવારે કક્કડને આશ્વાસન આપ્યું હતું કે, વિસ્તાર સારો છે અને તે તેમને પોતાના પાડોશી બનાવવાનું પસંદ કરશે. તે પછી કક્કડે 1996માં 2.50 એકર જમીન ખરીદી અને બાદમાં તેના પર એક નાનું ભગવાન ગણેશનું મંદિર બનાવ્યું અને 120 સ્ક્વેયર ફૂટનું ઘર બનાવ્યું.
વિરાટે સુકાની પદ છોડતાં અનુષ્કાએ કર્યો પતિના દુશ્મનનો ઉલ્લેખ, કહ્યું- 'તેં સારું કામ કર્યું'
બે દાયકાથી વધુ સમય સુધી બંને પાડોશીઓ વચ્ચે બધું બરાબર રહ્યું અને જ્યારે પણ કક્કડ પોતાની એ પ્રોપર્ટીની મુલાકાત લેતા હતા ત્યારે અર્પિતા ફાર્મમાં ખાન પરિવાર દ્વારા તેમનું ઉષ્માપૂર્ણ સ્વાગત કરાતું હતું. 2014માં કક્કડ નિવત્ત થયા અને પત્ની અનીતા સાથે ભારત પાછા આવ્યા. કક્કડે દાવો કર્યો કે, ડિસેમ્બર 2019માં ખાન પરિવારે અચાનક તેમની પ્રોપર્ટી પર પ્રવેશ કરવા સામે રોક લગાવી દીધી. કક્કડને કહ્યું કે, વારંવાર રજૂઆત કરવા છતાં અમને ત્યાં જવાની મંજૂરી નથી મળી. વન અને રેવન્યુ વિભાગના સ્થાનિક અધિકારી પણ અમારી મદદ નથી કરી રહ્યા. કોઈ વિકલ્પ ન હોવાથી કક્કડે સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાનો ગુસ્સો ઠાલવ્યો અને યુટ્યૂબ પર કેટલાક ઈન્ટર્વ્યુ પણ આપ્યા, જેનાથી સલમાન ખાનની મુશ્કેલી વધી ગઈ.

સલમાનનો દાવો, ગેરકાયદેસર હતો પ્લોટ
સલમાન ખાને 8 જાન્યુઆરીએ કક્કડ અને અન્ય સામે પોતાના વકીલ આનંદ દેસાઈ અને તેમની ટીમ દ્વારા વળતો પ્રહાર કર્યો કે કક્કડ અને અન્ય લોકોએ તદ્દન પાયાવિહોણા અને ખોટા આરોપ લગાવી તેમની છબિ ખરાબ કરવાનો પ્રયાસ કર્યો છે.
કેટરિના કૈફે લગ્નમાં ના બોલાવતાં સલમાન અને તેનો પરિવાર નારાજ? આયુષ શર્માએ કર્યો ખુલાસો
આ મામલો એડિશનલ સેશન જજ અનિલ લદ્દાદ સામે આવ્યો, જેમણે કક્કડના વકીલો આભા સિંહ અને આદિત્ય પ્રતાપની અરજી પર તેને 21 જાન્યુઆરી સુધી સ્થગિત કરી દીધો છે. ખાને સોશિયલ મીડિયા દિગ્ગજો પર તેમના અને તેમના પરિવાર સામે સતત જુદી-જુદી અપમાનજનક સામગ્રી અપલોડ, પોસ્ટ અને પ્રકાશિત કરવાનો આરોપ લગાવ્યો.

સલમાન ખાને તર્ક આપ્યો કે, કક્કડનો પ્લોટ કથિત રીતે મહારાષ્ટ્ર સરકાર દ્વારા ગેરકાયદેસર ઠેરવી કેન્સલ કરી દેવાયો હતો, તેના માટે તેઓ ખાન પરિવારને જવાબદાર ઠેરવે છે. ખાને કોર્ટે અપીલ કરી છે કે, કક્કડ અને બીજા લોકો દ્વારા તેમની સામે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સમાચાર ફેલાવવા કે તેમની છબિને મીડિયાના કોઈપણ માધ્યમથી ખરાબ કરવાના કરાતા પ્રયાસો પર રોક લગાવવી જોઈએ.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો