એપશહેર

'સ્કેમ 1992'ના ડિરેક્ટર હંસલ મહેતાએ લખ્યું, 'કોરોનાના કારણે અમદાવાદમાં રહેતો કઝિન ગુમાવ્યો'

હાલમાં જ રિલીઝ થયેલી વેબસિરીઝ 'સ્કેમ 1992'ના ડિરેક્ટર હંસલ મહેતાએ ટ્વિટ કરતા ગુજરાતમાં કોરોના વાયરસની પરિસ્થિતિને કપરી જણાવી છે.

I am Gujarat 15 Apr 2021, 3:58 pm

હાઈલાઈટ્સ:

  • હંસલ મહેતાએ ટ્વિટ કરતા ગુજરાતમાં કોરોના વાયરસની પરિસ્થિતિને કપરી જણાવી છે.
  • કોરોના વાયરસના કારણે મેં અમદાવાદમાં રહેતા મારા એકદમ નજીકના કઝિનને ગુમાવ્યો
  • ત્યાંની જે પ્રકારે પરિસ્થિતિ જણાવવામાં આવી રહી છે તેના કરતા પણ વધુ ખરાબ છે
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat q2
સમગ્ર ગુજરાતમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં દિવસેને દિવસે કોરોના વાયરસનું સંક્રમણ બેકાબૂ થતું જોવા મળી રહ્યું છે. ત્યારે હાલમાં જ રિલીઝ થયેલી વેબસિરીઝ 'સ્કેમ 1992'ના ડિરેક્ટર હંસલ મહેતાએ ટ્વિટ કરતા ગુજરાતમાં કોરોના વાયરસની પરિસ્થિતિને કપરી જણાવી છે.
'સ્કેમ 1992'ના ડિરેક્ટર હંસલ મહેતાએ સોશિયલ મીડિયા ટ્વિટર પર ટ્વિટ કરતા લખ્યું કે 'કોરોના વાયરસના કારણે મેં અમદાવાદમાં રહેતા મારા એકદમ નજીકના કઝિનને ગુમાવ્યો છે. તેની પત્નીની તબિયત પણ નાજુક છે. ગુજરાતમાં પરિસ્થિતિ ભયંકર છે. ત્યાંની જે પ્રકારે પરિસ્થિતિ જણાવવામાં આવી રહી છે તેના કરતા પણ વધુ ખરાબ છે.'

'સ્કેમ 1992'ના ડિરેક્ટર હંસલ મહેતાની આ ટ્વિટ પર પ્રતિક્રિયા આપતા બોલિવૂડ એક્ટર રાહુલ દેવે લખ્યું, ‘પ્રિય હંસલ, વિનમ્ર શ્રદ્ધાંજલિ. ઓમ શાંતિ’. જ્યારે એક્ટ્રેસ સયાની ગુપ્તાએ પ્રતિક્રિયા આપતા લખ્યું, ‘આ જ સ્થિતિ ઘણાં રાજ્યોની છે. પશ્ચિમ બંગાળની સ્થિતિ ખરાબ છે, પરંતુ ત્યાંથી ન્યૂઝ નહિ આવે, કારણકે લાખો લોકો સાથે ચૂંટણીની રેલી વધારે જરૂરી છે.’

અહીં નોંધનીય છે કે મુંબઈમાં જન્મેલા ફિલ્મમેકર હંસલ મહેતા ગુજરાતી છે. તેમણે જાણીતી ટીવી શૉ 'ખાના ખજાના'થી પોતાના ડિરેક્ટર તરીકેના કરિયરની શરૂઆત કરી હતી અને પછી તેમણે બોલિવૂડમાં ઝંપલાવ્યું. ફિલ્મમેકર હંસલ મહેતાએ ડિરેક્ટ કરેલી બોલિવૂડ ફિલ્મોમાં 'શાહિદ', 'સિટી લાઈટ્સ', 'અલીગઢ', 'સિમરન', 'ઓમેરટા', 'છલાંગ' વગેરેનો સમાવેશ થાય છે. જ્યારે ગત વર્ષે OTT પ્લેટફોર્મ પર રિલીઝ થયેલી વેબસિરીઝ 'Scam 1992: The Harshad Mehta Story'ના ડિરેક્ટર પણ હંસલ મહેતા છે. હંસલ મહેતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર ખૂબ એક્ટિવ રહે છે.

Read Next Story