ભણસાલીની ફિલ્મો જોઈને ભલભલી એક્ટ્રેસ તેમની સાથે કામ કરવા માટે પડાપડી કરે તેમાં કોઈ નવાઈ નથી. એમાં પાછું એક્ટ્રેસનો રોલ અને દમદાર સ્ક્રિપ્ટિંગ જોઈને દરેક એક્ટ્રેસનું સપનું હોય કે તે એક ફિલ્મ તો ભણસાલી સાથે કરે.
કોનું સપનું ન હોય કે તે ભણસાલી સાથે ફિલ્મ કરે!
સંજય લીલા ભણસાલી બોલિવૂડના એવા ડિરેક્ટર છે કે તેમના પરફેક્શન સામે દરેક નતમસ્તક થઈ જાય. ભણસાલીની ફિલ્મો માત્ર ભવ્ય જ નહીં પણ તેમની એક્ટ્રેસ પણ પડદા પર ભવ્ય રીતે રજૂ કરવામાં આવે છે. આજ કારણે ઈન્ડસ્ટ્રીની દરેક એક્ટ્રેસ તેમની સાથે કામ કરવા માગે. ઐશ્વર્યા રાય બચ્ચનથી લઈને પ્રિયા પ્રકાશ વોરિયર સુધી તમામ ભણસાલીની લાઈન લાગી જાય. મજાની વાત એ છે કે આ ઈન્ડસ્ટ્રી એક ટોપ એક્ટ્રેસ છે જેણે તેમના ડાયરેક્શન પર સવાલ ઉઠાવ્યા હતા.
ઈન્ટર્વ્યુમાં તેમણે કર્યો ખુલાસો
હા, આ વાત સાચી છે. મજાની વાત એ છે કે આ વખતે નંબર-1 એક્ટ્રેસે ત્યાં સુધી કહી દીધું હતું કે ભણસાલીને ફિલ્મ બનાવતા નથી આવડતું. આ વાતને ખુદ સંજય લીલા ભણસાલીએ 2004ના એક ઈન્ટર્વ્યુમાં કરી હતી. જાણો છો તે એક્ટ્રેસ કોણ છે? જાણીને થોડું આશ્ચર્ય થશે, પણ તે એક્ટ્રેસનું નામ છે કરીના કપૂર ખાન.
સલમાન-ઐશ્વર્યા સાથે બનાવવા માગતા હતા ફિલ્મ
વાત એ દિવસની છે, જ્યારે ભણસાલી પોતાના ઓલ ટાઈમ પરફેક્ટ સલમાન ખાન સાથે “બાજીરાવ મસ્તાની” બનાવવા માગતા હતા. ‘હમ દિલ દે ચુકે સનમ’ની સફળતાથી ઉત્સાહિત ભણસાલી સલમાન અને ઐશ્વર્યાની સાથે પોતાનો ડ્રીમ પ્રોજેક્ટ “બાજીરાવ મસ્તાની” બનાવવા માગતા હતા. પણ આ બધા વચ્ચે સલમાન અને ઐશ્વર્યાના અંગત સંબંધોના વાદળો ફિલ્મો પર છવાઈ ગયા.
ખરાબ સંબંધોના કારણે ફિલ્મ અટકી
ભણસાલીએ ઈન્ટર્વ્યુમાં કહે છે, “મારા માટે ફિલ્મનું કાસ્ટિંગ સૌથી મહત્વપૂર્ણ છે. હું એ વિચારીને સ્ક્રીનપ્લે તૈયાર કરું કે તેમાં ફલાણો હીરો છે, તો પછી મને કેમેરા સામે એ જ જોઈએ. સલમાન બાજીરાવ માટે પરફેક્ટ હતો. એવું એટલા માટે નહીં કે તે મારો સારો મિત્ર છે. પણ પછી સ્થિતિ એવી બની ગઈ કે મારે ફિલ્મ રોકવી પડી”
સલમાન ઈચ્છતો હતો કે ઐશ્વર્યાની જગ્યા લે કરીના
સલમાન અને ઐશ્વર્યાની વચ્ચેના ઝઘડા પછી ભણસાલી વારાફરથી બન્નેને મળવા માટે ગયા. પણ બન્ને સાથે કામ કરવા માટે તૈયાર નહોતા. એટલું જ નહીં, સલમાન ઈચ્છતો હતો કે ભણસાલી ઐશ્વર્યાની જગ્યાએ કરીના કપૂરને કાસ્ટ કરે. ભણસાલીએ ત્યારે મસ્તાનીના પાત્ર માટે ઐશ્વર્યાને જ પરફેક્ટ માની હતી. પણ તે પોતાના ફ્રેન્ડ સલમાનને ના પાડવા નહોતો માગતો, એવામાં ભણસાલીએ થોડો સમય માગ્યો.
બેબોની જીભે બગાડી બાજી
આ બધાની વચ્ચે કરીના કપૂરને ક્યાંકથી ખબર મળી કે ભણસાલી તેમને ફિલ્મમાં કાસ્ટ નથી કરી રહ્યા. મીડિયાએ સવાલ કર્યો તો કરીનાએ પણ ચોખ્ખું બોલી નાખ્યું કે, ભણસાલીની સાથે કામ કરવાનું તેનું કોઈ સપનું નથી. એટલું જ નહીં બેબોએ એવું પણ કહી નાખ્યું કે ભણસાલીને તો ફિલ્મમેકિંગ પણ નથી આવડતું.
ત્યારે કરીના ઈન્ડસ્ટ્રીમાં નવી હતી
મજાની વાત એ છે કે 1999માં ‘હમ દિલ દે ચુકે સનમ’ રિલીઝ થઈ હતી. તેના એક વર્ષ પછી 2000માં કરીના કપૂરની બોલિવૂડમાં ‘રેફ્યુજી’ સાથે એન્ટ્રી થઈ હતી. એટલે કે જ્યારે ‘બાજીરાવ મસ્તાની’ને લઈને વાતચીત ચાલી રહી હતી, ત્યારે તે ઈન્ડસ્ટ્રીમાં નવી-નવી હતી. સલમાન અને કરીનાની જોડી પહેલી વખત પડદા પર 2005માં ‘ક્યોકિ..’ ફિલ્મમાં દેખાઈ હતી.
પછી 10 વર્ષ પછી આવી ફિલ્મ
સંજય લીલા ભણસાલી 1999માં ‘હમ દિલ દે ચુકે સનમ’ પછી 2002માં ‘દેવદાસ’ અને પછી 2005માં ‘બ્લેક’ લઈને આવ્યા. ડ્રીમ પ્રોજેક્ટ ‘બાજીરાવ મસ્તાની’ને લઈને તેમણે ઘણીં રાહ જોઈ. 10 વર્ષ પછી 2015માં તેમણે રણવીર સિંહ અને દીપિકા પાદુકોણની સાથે આ ફિલ્મ બનાવી. ફિલ્મ સુપરહિટ રહી અને આ જોડીની સાથે ભણસાલીએ 2018માં ‘પદ્માવત’ બનાવી. આ ફિલ્મ પોતાના કન્ટેન્ટ અને વિષના કારણે ઘણી વિવાદોમાં રહી.
We use cookies and other tracking technologies to provide services in line with the preferences you reveal while browsing the Website to show personalize content and targeted ads, analyze site traffic, and understand where our audience is coming from in order to improve your browsing experience on our Website. By continuing to browse this Website, you consent to the use of these cookies. If you wish to object such processing, please read the instructions described in our privacy policy/cookie policy.