એપશહેર

ફરીવાર બદલાઈ 'ગંગુબાઈ કાઠિયાવાડી'ની રિલીઝ ડેટ, 'RRR' સાથે ટક્કર ટાળવા લેવાયો નિર્ણય

સંજય લીલા ભણસાલીએ 'ગંગુબાઈ કાઠિયાવાડી'ની રિલીઝ ડેટ પાછળ ખસેડતાં 'RRR'ના ડાયરેક્ટ એસ.એસ. રાજમૌલીએ તેમનો આભાર માન્યો છે. આ બંને ફિલ્મમાં આલિયા ભટ્ટ દેખાશે.

I am Gujarat 15 Nov 2021, 1:39 pm

હાઈલાઈટ્સ:

  • ફેબ્રુઆરી 2022માં રિલીઝ થશે સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'ગંગુબાઈ કાઠિયાવાડી'.
  • 'ગંગુબાઈ કાઠિયાવાડી' અને 'RRR' બંને ફિલ્મોમાં આલિયા ઉપરાંત અજય દેવગણ પણ છે.
  • ફિલ્મનું ટ્રેલર આ વર્ષની શરૂઆતમાં રિલીઝ કરવામાં આવ્યું હતું જેને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો.
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat gangubai
સંજય લીલા ભણસાલીના નિર્દેશનમાં બનેલી ફિલ્મ 'ગંગુબાઈ કાઠિયાવાડી'ને જોવા માટે ફેન્સને હજી થોડી વધારે રાહ જોવી પડશે. ફિલ્મમાં આલિયા ભટ્ટ લીડ રોલમાં છે. કોરોના મહામારીના કારણે આ ફિલ્મની રિલીઝ ડેટ કેટલીયવાર પાછી ઠેલાઈ છે અને હવે વધુ એકવાર નવી રિલઝ ડેટ સામે આવી છે. થોડા મહિનાઓ પહેલા સંજય લીલા ભણસાલીએ જાહેરાત કરી હતી કે, 6 જાન્યુઆરી 2022ના રોજ 'ગંગુબાઈ કાઠિયાવાડી' રિલીઝ થશે. પરંતુ હવે ભણસાલી પ્રોડક્શન તરફથી ફિલ્મની નવી રિલીઝ ડેટ જાહેર કરાઈ છે.
લગ્ન પહેલા શ્રદ્ધા આર્યાએ ફ્રેન્ડ્સ સાથે ધમાલ કરી, ભાવિ પતિની તસવીર શેર કરી પણ ચહેરો છુપાવ્યો

View this post on Instagram A post shared by Alia Bhatt ☀️ (@aliaabhatt)


'ગંગુબાઈ કાઠિયાવાડી' હવે 18 ફેબ્રુઆરી 2022ના રોજ રિલીઝ થવાની છે. આલિયા ભટ્ટે ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર આ અંગેની માહિતી આપતું પોસ્ટ શેર કર્યું છે. જેમાં લખવામાં આવ્યું છે, "અમને જણાવતાં આનંદ થાયય છે કે, સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'ગંગુબાઈ કાઠિયાવાડી'ની નવી રિલીઝ ડેટ આવી ગઈ છે. સંજય લીલા ભણસાલી અને ડૉ. જયંતીલાલ ગડા ફિલ્મ પ્રોડ્યુસ કરી રહ્યા છે. આ ફિલ્મ હવે 18 ફેબ્રુઆરી 2022ના રોજ રિલીઝ થશે."

મહત્વનું છે કે, એસ.એસ.રાજમૌલીની ફિલ્મ 'RRR'6 જાન્યુઆરી 2022ના રોજ રિલીઝ થવાની છે. ત્યારે આ ફિલ્મ સાથે ક્લેશ ટાળવા માટે 'ગંગુબાઈ કાઠિયાવાડી'ના મેકર્સે રિલીઝ ડેટમાં ફેરફાર કર્યો છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે, સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે, અજય દેવગણે બંને ફિલ્મોની ટીમ વચ્ચે મધ્યસ્થી કરાવીને આ ફેરફાર કરાવ્યો છે. અજયને લાગ્યું કે, 'ગંગુબાઈ કાઠિયાવાડી' અને 'RRR' વચ્ચે ક્લેશ થતાં બંને ફિલ્મોની કમાણી પર અસર થશે. એટલે જ તેણે ફિલ્મના મેકર્સને આ વિશે વિચારવાનું કહ્યું હતું. અજય દેવગણ સંજય લીલા ભણસાલી અને રાજમૌલી બંને સાથે સારા સંબંઘો ધરાવે છે. રસપ્રદ વાત એ છે કે, અજય દેવગણ અને આલિયા ભટ્ટ આ બંને ફિલ્મોમાં જોવા મળશે. 'ગંગુબાઈ કાઠિયાવાડી'માં અજય દેવગણ નાના પણ મહત્વના રોલમાં છે. જ્યારે 'RRR'માં આલિયા ભટ્ટ અને અજય દેવગણ બંને સાઉથના સુપરસ્ટાર્સ સાથે કામ કરી રહ્યા છે.



'RRR'ના ડાયરેક્ટર રાજમૌલીએ 'ગંગુબાઈ કાઠિયાવાડી'ની રિલીઝ ડેટ પાછળ ખસેડવા માટે સંજય લીલા ભણસાલી અને જયંતીલાલ ગડાનો આભાર માન્યો હતો. તેમણે ટ્વિટ કરતાં લખ્યું, "જયંતીલાલ ગડા અને સંજય લીલા ભણસાલી દ્વારા રિલીઝ ડેટ પાછળ ખસેડવાના નિર્ણયની અમે પ્રશંસા કરીએ છીએ. અમે દિલથી 'ગંગુબાઈ કાઠિયાવાડી'ને શુભકામના આપીએ છીએ."

15 નવેમ્બરે ચંડીગઢમાં પત્રલેખાને પરણશે રાજકુમાર રાવ, સિમ્પલ પણ સુંદર છે લગ્નની કંકોત્રી

'ગંગુબાઈ કાઠિયાવાડી' જાણીતા લેખત હુસૈની ઝૈદીના પુસ્તક માફિયા 'ક્વિન્સ ઓફ મુંબઈ'ના એક પ્રકરણ પર આધારિત છે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ ગંગુબાઈના રોલમાં જોવા મળશે. અજય દેવગણ ઉપરાંત હુમા કુરેશી પણ ફિલ્મમાં કેમિયો રોલમાં દેખાશે. આ ફિલ્મ અગાઉ 11 સપ્ટેમ્બર 2020ના રોજ થિયેટરમાં રિલીઝ થવાની હતી પરંતુ બાદમાં મેકર્સે 2021માં રિલીઝ થશે તેવી જાહેરાત કરી હતી. જે બાદ કોરોના મહામારીના કારણે ફિલ્મની રિલીઝ પાછી ઠેલાઈ હતી.

Read Next Story