એપશહેર

ગંગુબાઈના પરિવારે સંજય લીલા ભણસાલી અને આલિયા ભટ્ટ સામે કેસ કર્યો!

ગંગુબાઈના પરિવારના સભ્યોએ બોમ્બે સિવિલ કોર્ટમાં કેસ કર્યો છે. તેમણે ફિલ્મની વાર્તા સામે વાંધો ઉઠાવ્યો છે.

I am Gujarat 24 Dec 2020, 4:35 pm
સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'ગંગુબાઈ કાઠિયાવાડી' આ વર્ષે 11 સપ્ટેમ્બરે રિલીઝ થવાની હતી. જો કે, કોરોના વાયરસને કારણે થઈ શક્યું નથી. આ ફિલ્મ તરફથી ઘણી અપેક્ષાઓ છે અને લોકો તેની રાહ જોઇ રહ્યા છે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મ હવે કાનૂની મુશ્કેલીમાં ફસાઈ છે. એવા અહેવાલો છે કે ગંગુબાઈના પરિવારે સંજય લીલા ભણસાલી અને આલિયા ભટ્ટ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે.
I am Gujarat gangubai kathiyawadi makers in legal trouble case against alia bhatt and sanjay leela bhansali
ગંગુબાઈના પરિવારે સંજય લીલા ભણસાલી અને આલિયા ભટ્ટ સામે કેસ કર્યો!


અહેવાલો અનુસાર, ગંગુબાઈના પરિવારના સભ્યોએ બોમ્બે સિવિલ કોર્ટમાં કેસ કર્યો છે. તેમણે ફિલ્મની વાર્તા સામે વાંધો ઉઠાવ્યો છે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મ એક છોકરીની વાર્તા છે જેને તેનો બોયફ્રેન્ડ વેચી દે છે.

બોલિવૂડલાઇફના અહેવાલ મુજબ અન્ય એક વ્યક્તિએ નિર્માતાઓ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. તેનું નામ હુસેન ઝૈદી તરીકે વર્ણવવામાં આવી રહ્યું છે. આ ફિલ્મ તેમની બુક 'માફિયા ક્વીન્સ ઓફ મુંબઇ' પર આધારિત છે. જો કે, આ બંને બાબતો પર સત્તાવાર પુષ્ટિની પ્રતીક્ષા છે.

ફિલ્મની સ્ટોરી શું છે?ગંગુબાઈ કાઠિયાવાડી ફિલ્મની સ્ટોરી વાસ્તવિક ઘટનાક્રમ પર આધારિત છે. કાઠિયાવાડના એક શ્રીમંત પરિવારની દીકરી ગંગુબાઈ આઝાદી પહેલાંના સમયમાં પોતાની પેઢીના એક કર્મચારીના પ્રેમમાં પડી હતી. કર્મચારી તેને લગ્નની અને ફિલ્મમાં અભિનેત્રી બનાવવાની લાલચ આપીને મુંબઈ લઈ આવેલો, જ્યાં એણે ગંગુબાઈને એક વેશ્યાગૃહમાં પાંચસો રૂપિયામાં વેચી દીધેલી. નછૂટકે વેશ્યા વ્યવસાયમાં ધકેલાયેલી નિઃસહાય ગંગુબાઈએ આને પોતાનું બદનસીબ ગણીને આ વ્યવસાય સ્વીકારી લીધેલો.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો