એપશહેર

કામ ન હોવાથી 'બેકાર' છે શાહરુખ ખાન, ખૂબ જ ખુશ છે ગૌરી

Gaurang Joshi | I am Gujarat 27 Sep 2019, 11:41 pm
ફિલ્મ ‘ઝીરો’ પછીથી શાહરુખ ખાને પોતાની કોઈ જ નવી ફિલ્મની જાહેરાત કરી નથી. આ વર્ષે દિવાળી પર ફેન્સ તેને મિસ કરી રહ્યાં છે. શાહરુખ કહી ચૂક્યો છે કે તેને હવે એક બ્રેકની જરુર છે. હાલ તે કોઈ જ પ્રોજેક્ટ હાથ પર નહીં લે. ફેન્સ ભલે શાહરુખના આ નિર્ણયથી નિરાશ હોય પરંતુ તેની પત્ની ગૌરી શાહરુખના આ નિર્ણયથી ખૂબ જ ખુશ છે. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો આ વાતથી ખૂબ ખુશ છે ગૌરી ગૌરીએ એક ઈન્ટરવ્યૂમાં શાહરુખના બ્રેક વિશે વાત કરી હતી. ગૌરીએ કહ્યું કે,’મને લાગે છે કે તેની જરુર હતી. હું ખુશ છું કે હવે હું ક્યાંય પણ આવ-જા કરી શકું છું અને તે ઘર પર જ રહેશે. તે અબરામનું સારુ ધ્યાન રાખે છે. હું ખૂબ જ એક્સાઈટેડ છું. જો હું અબરામ માટે ન હોઉં તો હવે શાહરુખ હાજર રહેશે.’ મિડીયા એટેન્શન વિશે કરી વાત ગૌરીએ સુહાના અને આર્યનને મળતા મીડિયા એટેન્શન પર પણ પોતાની વાત રાખી હતી. તેણે કહ્યું કે તે વિદેશમાં અભ્યાસ કરી રહ્યો છે. જેથી મીડિયાના કેમેરાથી દૂર છે. તેને આ વાતની ચિંતા કરવી પડતી નથી. ડિસેમ્બરમાં આવી હતી ‘ઝીરો’ નોંધનીય છે કે શાહરુખ ખાનની ફિલ્મ ‘ઝીરો’ ગત વર્ષે ડિસેમ્બરમાં આવી હતી. જે પછી ફેન્સને હવે પછીની તેની અપકમિંગ ફિલ્મની રાહ જોઈ રહ્યાં છે. ફેન્સ શાહરુખની રાહ એટલી ઉત્સુકતા પૂર્વક જોઈ રહ્યાં છે કે રહી રહીને ટ્વિટર પર શાહરુખનું નામ ટ્રેન્ડ કરવા લાગે છે. હવે ફેન્સ શાહરુખ ખાનના જન્મદિવસ (2 નવેમ્બર) પર તેની અપકમિંગ ફિલ્મની જાહેરાત થાય તેવી આશા રાખી રહ્યાં છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો