એપશહેર

ઉત્તમ કલાકારની સાથે સાચા મિત્ર હતા ઈરફાન ખાન, IPS ઓફિસરનો બચાવ્યો હતો જીવ

શિવાની જોષી | Navbharat Times 29 Apr 2020, 4:25 pm
અનેક ફિલ્મોમાં ઉચ્ચ દરજ્જાની એક્ટિંગથી લોકોના દિલ પર રાજ કરનારા ફિલ્મ અભિનેતા ઈરફાન ખાને બુધવારે મુંબઈની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. ભરતપુર જિલ્લા પોલીસ અધિકક્ષક IPS ઓફિસર હૈદર અલી જૈદીએ ઈરફાન ખાનના બાળપણના મિત્ર છે. ઈરફાનના નિધનના સમાચાર સાંભળીને તેઓ ભાવુક થઈ ગયા. ઈરફાનના પાડોશી અને સ્કૂલ-કોલેજમાં સાથે ભણેલા હૈદર અલીએ અમારા સહયોગી નવભાર ટાઈમ્સને જણાવ્યું કે, તેઓ બાળપણથી સાથે જ ઉછર્યા હતા. બોલિવુડ સ્ટાર બન્યા પછી પણ ઈરફાન પોતાના મિત્રોથી દૂર નહોતા થયા. તેઓ સતત પોતાના મિત્રોના સંપર્કમાં રહેતા હતા.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરોઈરફાનના નિધન પર દુઃખ વ્યક્ત કરતાં તેમણે કહ્યું, સંઘર્ષ પછી અભિનયમાં પોતાનો ડંકો વગાડનાર ઈરફાને હંમેશા લોકોનો સાથ આપ્યો છે. તે શ્રેષ્ઠ એક્ટર હોવાની સાથે ઉમદા વ્યક્તિ પણ હતા. હૈદર અલીએ જણાવ્યું કે, બાળપણથી જ તેઓ અને ઈરફાન સાથે રહ્યા છે. સ્કૂલ-કોલેજમાં પણ સાથે ભણ્યા પરંતુ તેઓ આજે આ દુનિયામાં નથી રહ્યા જે ખરેખર દુઃખદ છે.હૈદર અલીએ જણાવ્યું, “મેં અર્થશાસ્ત્ર સાથે એમ.એ કર્યું અને ઈરફાને ઉર્દૂમાં માસ્ટર્સની ડિગ્રી લીધી હતી. અમે કોલેજમાં હતા ત્યારની વાત છે. અમે ઘરે આવતા હતા ત્યારે મને વીજળીનો કરંટ લાગ્યો હતો. હું પીડામાં હતો પરંતુ ત્યાંથી પસાર થતાં કોઈએ મદદ કરી નહોતી. એ વખતે ઈરફાને મને કરંટથી છોડાવ્યો અને મારો જીવ બચાવ્યો હતો.
ઈરફાન ખાન અને મિત્ર હૈદર અલીઈરફાન ખાનને દુર્લભ કેન્સરની જાણ થતાં તેમણે લંડનમાં સારવાર લીધી હતી. આ દરમિયાન ઈરફાનની તબિયત પૂછવા મિત્ર હૈદર અલી ઈંગ્લેન્ડ ગયા હતા. તેમણે જણાવ્યું, “હું અને ઈરફાન સાચા મિત્રોની જેમ ઘણો વખત સુધી સાથે રહ્યા. આજે જ્યારે ખબર મળી કે ઈરફાનની તબિયત ખરાબ છે અને અચાનક તેણે આ દુનિયાને અલવિદા કહી દીધું તો વાત માન્યામાં નથી આવતી.”હૈદર અલીએ કહ્યું કે, “કોરોના સંકટના કારણે હું મારા મિત્રને મળવા મુંબઈ ના જઈ શક્યો તેનું દુઃખ છે. પરંતુ હવે હું સતત તેમના ભાઈઓ અને પરિવારના સંપર્કમાં છું. હાલની ઘડીએ આપણે ઈશ્વર-અલ્લાહ અને સર્વોચ્ચ શક્તિને દુઆ કરીએ કે તો ઈરફાનના પરિવારને આ સંકટ સામે લડવાની હિંમત આપે. તેઓ ખૂબ સારા વ્યક્તિ હતા. તમે વ્યક્તિની નજીક હો ત્યારે દૂર રહીને તેના જવાનું દુઃખ શબ્દોમાં નથી વર્ણવી શકાતું.”ગોડફાધર વગર જ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સફળ થયો ઈરફાન ખાન, ફેન્સના દિલમાં મેળવ્યું સ્થાન
લેખક વિશે
શિવાની જોષી
શિવાની જોષી છેલ્લા સાત વર્ષથી વધુ સમય કરતાં પત્રકારત્વના ક્ષેત્રમાં છે. કારકિર્દીની શરૂઆતથી જ તેઓ ન્યૂઝ એડિટિંગના કામનો અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાંથી ગ્રેજ્યુએશન (બીકોમ) કર્યું છે. ત્યારબાદ ગુજરાત યુનિવર્સિટીના જ માસ કમ્યુનિકેશન, જર્નાલિઝમ એન્ડ પબ્લિક રિલેશન ડિપાર્ટમેન્ટમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી અને પત્રકારત્વના ક્ષેત્રે જોડાયા. તેઓ વીટીવી ન્યૂઝ, એબીપી અસ્મિતા જેવી ન્યૂઝ ચેનલ સાથે કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો