એપશહેર

બીમારીની સારવાર માટે આયુર્વેદના રસ્તે વળી Samantha Ruth Prabhu! ગત મહિને જ કર્યો હતો માયોસાઈટિસથી પીડાતી હોવાનો ખુલાસો

સાઉથની એક્ટ્રેસ સમંતા રૂથ પ્રભુ (Samantha Ruth Prabhu) થોડા સમય પહેલા તેની બીમારીને કારણે ચર્ચામાં હતી. સમંતાએ ખુલાસો કર્યો હતો કે, તે માયોસાઈટિસ (Myositis) નામની બીમારીથી પીડાઈ રહી છે. હાલ સમંતા માયોસાઈટિસની સારવાર લઈ રહી છે. લેટેસ્ટ મીડિયા રિપોર્ટ પ્રમાણે, સમંતા આ બીમારી સામે લડવા માટે આયુર્વેદના માર્ગે વળી છે. માયોસાઈટિસ ઓટોઈમ્યૂન કંડિશન છે.

Authored byશિવાની જોષી | I am Gujarat 27 Nov 2022, 3:13 pm

હાઈલાઈટ્સ:

  • સમંતા રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે હૈદરાબાદમાં થેરાપી લઈ રહી છે.
  • મીડિયા રિપોર્ટ પ્રમાણે, સમંતાએ આયુર્વેદિક સારવાર પણ શરૂ કરી છે.
  • માયોસાઈટિસનો અર્થ થાય છે કે, મસલ્સ એટલે માંસપેશીઓમાં દુઃખાવો અને સોજો આવવો.
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat samantha 1200
સાઉથની એક્ટ્રેસ સમંતા રૂથ પ્રભુ (Samantha Ruth Prabhu) થોડા સમય પહેલા તેની બીમારીને કારણે ચર્ચામાં હતી. સમંતાએ ખુલાસો કર્યો હતો કે, તે માયોસાઈટિસ (Myositis) નામની બીમારીથી પીડાઈ રહી છે. હાલ સમંતા માયોસાઈટિસની સારવાર લઈ રહી છે. લેટેસ્ટ મીડિયા રિપોર્ટ પ્રમાણે, સમંતા આ બીમારી સામે લડવા માટે આયુર્વેદના માર્ગે વળી છે. માયોસાઈટિસ ઓટોઈમ્યૂન કંડિશન છે. સમંતાએ જણાવ્યું હતું કે, તેની સારવાર કરી રહેલા ડૉક્ટરોને વિશ્વાસ છે કે તે ઝડપથી આમાંથી સાજી થઈ જશે.
BB16: ટીના દત્તા પર કરેલી ટિપ્પણી માટે સલમાન ખાને સુમ્બુલના પિતાને ઠપકો આપતાં સલાહ આપી

આયુર્વેદિક સારવાર લઈ રહી છે

ઈન્ડિયા ગિલ્ટ્સના અહેવાલ પ્રમાણે, તે રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે હૈદરાબાદમાં થેરાપી લઈ રહી છે. સાથે જ આયુર્વેદિક સારવાર પણ શરૂ કરી છે. તાજેતરમાં જ અફવાઓનું બજાર ગરમ હતું અને ચર્ચા થઈ રહી હતી કે, સમંતાનું સ્વાસ્થ્ય બગડતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. જોકે, સમંતાના પ્રવક્તાએ આ વાતો ફગાવતા કહ્યું હતું કે, તેણી ઘરે જ છે.

સમંતાએ પોસ્ટ મૂકી શું કહ્યું હતું?
View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl)


ઓક્ટોબર મહિનામાં પોતાની આ બીમારી વિશે વાત કરતાં સમંતાએ કહ્યું હતું કે, "મને લાગ્યું હતું કે હું આ બીમારીમાંથી જલદી સાજી થઈ જઈશ અને વધુ તકલીફ નહીં થાય પરંતુ ધાર્યા કરતાં વધારે સમય લાગી રહ્યો છે. હું ધીમે-ધીમે અનુભવી રહી છું કે આપણે હંમેશા આપણી મજબૂત બાજુ બતાવવાની જરૂર નથી. આ વાતને સ્વીકારવી પણ કોઈ સંઘર્ષથી કમ નથી. મને ડૉક્ટરો પર પણ સંપૂર્ણ ભરોસો છે અને હું સાજી થઈ જઈશ. ભાવનાત્મક અને શારીરિક રીતે મારા સારા અને ખરાબ દિવસો રહ્યા છે. ક્યારેક મને એવું પણ લાગે છે કે હવે એક દિવસ પણ સહન નહીં કરી શકું પરંતુ જેમ-તેમ તે ક્ષણ વીતી જાય છે. મને લાગે છે કે આનો અર્થ એ જ થાય છે કે, હું સાજા થવાની એક દિવસ નજીક આવી છું. આઈ લવ યુ", તેમ સમંથાએ પોસ્ટ પૂરી કરતાં લખ્યું.

ફહમાન ખાન માટે સુમ્બુલે તોડ્યો 'બિગ બોસ'નો નિયમ, મળશે સજા?

શું છે માયોસાઈટિસ બીમારી?

માયોસાઈટિસનો અર્થ થાય છે કે, મસલ્સ એટલે માંસપેશીઓમાં દુઃખાવો અને સોજો આવવો. આ બીમારીને કારણે દર્દીઓના મસલ્સ નબળા થઈ જાય છે અને ખૂબ દુઃખાવો રહે છે. આ બીમારીને લીધે શરીરમાં નબળાઈ આવવા માંડે છે અને સ્કીન પર પણ ચકામા પડી જાય છે.

સમંથાની ફિલ્મો

વર્કફ્રંટની વાત કરીએ તો, સમંથા અપકમિંગ ફિલ્મ 'યશોધા'થી દર્શકોને ફરી એકવાર આકર્ષવા માટે તૈયાર છે. આ ફિલ્મનું ટ્રેલર હાલમાં જ રિલીઝ થયું છે. આ સિવાય સમંથા વિજય દેવરકોંડા સાથે પણ એક ફિલ્મનું શૂટિંગ કરી રહી છે. 'પુષ્પા 2'ના ગીત અને 'ફેમિલી મેન 2'થી હિન્દી દર્શકોમાં પોપ્યુલર થઈ છે.
લેખક વિશે
શિવાની જોષી
શિવાની જોષી છેલ્લા સાત વર્ષથી વધુ સમય કરતાં પત્રકારત્વના ક્ષેત્રમાં છે. કારકિર્દીની શરૂઆતથી જ તેઓ ન્યૂઝ એડિટિંગના કામનો અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાંથી ગ્રેજ્યુએશન (બીકોમ) કર્યું છે. ત્યારબાદ ગુજરાત યુનિવર્સિટીના જ માસ કમ્યુનિકેશન, જર્નાલિઝમ એન્ડ પબ્લિક રિલેશન ડિપાર્ટમેન્ટમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી અને પત્રકારત્વના ક્ષેત્રે જોડાયા. તેઓ વીટીવી ન્યૂઝ, એબીપી અસ્મિતા જેવી ન્યૂઝ ચેનલ સાથે કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story