એપશહેર

ઠગ સુકેશ ચંદ્રશેખરને ડેટ કરતી હતી જેક્લીન? અભિનેત્રીએ અટકળો પર ખુલાસો કર્યો

200 કરોડના મની લોન્ડ્રિંગ કેસમાં નામ આવ્યું તો જેક્લીન ફર્નાન્ડિઝે પોતાનો પક્ષ રજૂ કર્યો, કહ્યું- મને આરોપી તરીકે નહીં સાક્ષી તરીકે બોલાવી હતી.

I am Gujarat 24 Oct 2021, 9:26 pm
બોલિવૂડ એક્ટ્રેસ જેક્લીન ફર્નાન્ડિઝ અત્યારે ઈડી દ્વારા પાઠવવામાં આવેલા સમનને કારણે ચર્ચામાં છે. જેક્લીન ફર્નાન્ડિઝનું નામ મની લોન્ડ્રિંગ કેસમાં આવ્યું છે. ઈડી દ્વારા જેક્લીનને ત્રણ વાર સમન પાઠવ્યા પછી આખરે પૂછપરછ કરવામાં આવી હતી. આ આખો કેસ ઠગ સુકેશ ચંદ્રશેખરના 200 કરોડ રુપિયાની હેરાફેરી સાથે સંકળાયેલો છે. શનિવારના રોજ સુકેશના વકીલે દાવો કર્યો હતો કે જેકલીન અને સુકેશ વચ્ચે અફેર હતું. પરંતુ જેકલીનના પ્રવક્તાએ આ દાવાને ફગાવ્યો છે. જેક્લીનના પ્રવક્તાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, અભિનેત્રીને સુકેશ અથવા તેની પત્ની લીના મારિયા પૉલ સાથે દૂર દૂર સુધી કોઈ લેવાદેવા નથી.
I am Gujarat pablo - 2021-10-24T212626.529


મની લોન્ડ્રિંગ કેસમાં જેક્લીન સિવાય ઈડીએ નોરા ફતેહીને પણ પૂછપરછ માટે બોલાવી હતી. જેક્લીનના પ્રવક્તાએ નિવેદન જાહેર કરીને કહ્યું કે, ઈડીએ જેક્લીનને આરોપી નહીં પણ સાક્ષી તરીકે બોલાવી હતી. જેક્લીને પોતાનું નિવેદન નોંધાવ્યું છે. ભવિષ્યમાં પણ જો એજન્સી દ્વારા તેને બોલાવવામાં આવશે તો તે તપાસમાં પૂરો સહયોગ કરશે. જેક્લીને આ કેસમાં આરોપી દંપતિ સાથેના સંબંધો પર કહ્યું કે, આ પ્રકારની અટકળો નિંદનીય છે અને હું તેને સંપૂર્ણપણે ફગાવુ છું.

આર્યન ખાન કેસ: NCBએ સાક્ષી પાસે કોરા કાગળમાં સહી કરાવી?, SRK પાસે ખંડણી માગ્યાનો દાવો
સુકેશ ચંદ્રશેખરના વકીલ અનંત મલિકે આ પહેલા કહ્યુ હતું કે, જેક્લીન અને સુકેશ એકબીજાને ડેટ કરતા હતા. આ વર્ષે ઓગસ્ટ મહિનામાં જેક્લીન ફર્નાન્ડિઝને પહેલીવાર ઈડીએ મની લોન્ડ્રિંગ કેસમાં નિવેદન માટે બોલાવી હતી. મની લોન્ડ્રિંગ એક્ટ અંતર્ગત તેનું સ્ટેટમેન્ટ લેવામાં આવ્યુ હતું. ત્યારપછી જેક્લીનને બે વાર સમન્સ પાઠવવામાં આવ્યા હતા, પરંતુ તે હાજર નહોતી થઈ. ત્યારપછી ત્રીજું સમન મળ્યા પછી તે ઈડીની ઓફિસ પહોંચી હતી.

ડ્રગ્સ કેસ: એક્ટ્રેસ અનન્યા પાંડેને મળવા માટે તેના ઘરે પહોંચ્યો ઈશાન ખટ્ટર
માનવામાં આવી રહ્યું છે કે, ઈડીને તપાસમાં નવા પુરાવા હાથ લાગ્યા હતા, માટે જેક્લીનને ફરી એકવાર પૂછપરછ માટે બોલાવાવમાં આવી હતી. શક્ય છે કે અભિનેત્રી અને મુખ્ય આરોપીઓને આમને સામને બેસાડીને પૂછપરછ કરવામાં આવી હોય. આ કેસમાં નોરા ફતેહીની પણ પૂછપરછ કરવામાં આવી હતી. નોરાની ટીમ દ્વારા પણ સ્ટેટમેન્ટ જાહેર કરીન કહેવામાં આવ્યું છે કે, તે પીડિત તરીકે હાજર થઈ હતી, આરોપી તરીકે નહીં.

Read Next Story