એપશહેર

શ્રદ્ધા આર્યા અને અર્જુન બિજલાણી પછી હવે જન્નત ઝુબૈરનું નસીબ ચમક્યું, ધર્મા પ્રોડક્શન સાથે કામ કરવાની મળી તક

કરણ જોહરની અપકમિંગ ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમી કહાનીનું શૂટિંગ સમાપ્ત થઈ ગયું છે. આ ફિલ્મમાં ટીવી સ્ટાર્સ શ્રદ્ધા આર્યા અને અર્જુન બિજલાણી હોવાની જાણકારી થોડા સમય પહેલા જ સામે આવી છે. અને હવે જન્નત ઝુબૈરે એક વીડિયો શેર કર્યો છે જેના પરથી લાગી રહ્યું છે કે તે પણ આ ફિલ્મનો ભાગ હોઈ શકે છે.

Edited byZakiya Vaniya | TNN 2 Aug 2022, 12:42 pm
ફિલ્મમેકર કરણ જોહર અત્યારે કોફી વિથ કરણ 7 સિવાય પોતાની અપકમિંગ ફિલ્મ રૉકી ઔર રાની કી પ્રેમ કહાનીને કારણે ચર્ચામાં છે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ અને રણવીર સિંહ લીડ રોલમાં છે. આ સિવાય જય બચ્ચન, શબાના આઝમી, ધર્મેન્દ્ર જેવા દિગ્ગજો પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. તાજેતરમાં જ એવા સમાચાર સામે આવ્યા હતા કે આ બિગ બજેટ ફિલ્મમાં ટીવીના પોપ્યુલર સ્ટાર્સની પણ એન્ટ્રી થઈ છે. કુમકુમ ભાગ્યની પ્રીતા એટલે કે શ્રદ્ધા આર્યા અને અર્જુન બિજલાણીના નામ સામે આવ્યા હતા. અને હવે એમ લાગી રહ્યું છે કે સોશિયલ મીડિયા સ્ટાર અને અભિનેત્રી જન્નત ઝુબૈરની પણ ટીમમાં એન્ટ્રી થઈ છે.
I am Gujarat jannat zubair
જન્નત ઝુબૈરને મળી ધર્મા પ્રોડક્શન સાથે કામ કરવાની તક.


અર્જુન બિજલાણી અને શ્રદ્ધા આર્યાએ તાજેતરમાં જ સોશિયલ મીડિયાના માધ્યમથી ફેન્સને જાણકારી આપી હતી કે તે કરણ જોહરની અપકમિંગ ફિલ્મ રૉકી ઔર રાની કી પ્રેમ કહાનીનો ભાગ બનશે. માનવામાં આવી રહ્યું છે કે, ફિલ્મમાં તે કેમિયો રોલમાં જોવા મળશે. ઉલ્લેખનીય છે કે જન્નત ઝુબૈર અત્યારે ખતરોં કે ખિલાડીની 12મી સિઝનમાં જોવા મળી રહી છે. અને હવે તેને આ એક મોટો પ્રોજેક્ટ મળી ગયો છે.

IQ બાબતે ટ્રોલ થતી આલિયા ભટ્ટે જણાવ્યું રાષ્ટ્રપતિનું નામ, ‘પુસ્તકિયા જ્ઞાન’ બાબતે યુવતીઓને આપ્યો ખાસ મેસેજ
જન્નત ઝુબૈરે ઈન્સ્ટાગ્રામ પર આ મોટા સમાચારની હિંટ આપી છે. તેણે સ્ટોરીમાં એખ નાની ક્લિપ શેર કરી છે, જેના પરથી જાણકારી મળે છે કે તે ધર્મા પ્રોડક્શન સાથે પ્રોજેક્ટ કરવા જઈ રહી છે. ફિલ્મમાં તેનો શું રોલ હશે, તે બાબતે કોઈ માહિતી નથી મળી. ક્લિપમાં જોઈ શકાય છે કે જન્નતે એક મગનો વીડિયો મૂક્યો છે, જેના પર લખેલું છે ધર્મા 2.0. આ સિવાય વેનિટીમાં તે તૈયાર થઈ રહી હતી તે વીડિયો પણ શેર કર્યો છે.


પ્રાપ્ત જાણકારી અનુસાર, ખતરોં કે ખિલાડી પછી જન્નત ઝુબૈરને બિગ બોસ 15ની ઓફર મળી હતી. પરંતુ તેણે આ ઓફર સ્વીકારી નહોતી. જન્નતનું માનવું છે કે આ શૉ તેના માટે નથી. અત્યારે તે ખતરોં કે ખિલાડીમાં બાકી કન્ટેસ્ટન્ટ્સને ટક્કર આપતી જણાઈ રહી છે. હવે શૉમાં તે ક્યાં સુધી આગળ જશે તે સમયની સાથે જ જાણવા મળશે. જન્નત ઝુબૈર ટીવી ઈન્ડસ્ટ્રીમાં ઘણો પોપ્યુલર ચહેરો છે. તેણે કાશી અબ ન રહે તેરા કાગઝ કોરા, ભારત કે વીરપુત્ર મહારાણા પ્રતાપ, સિયાસત જેવા શૉમાં કામ કર્યુ હતું.

Read Next Story