એપશહેર

'આઝાદી'વાળા નિવેદન પર કંગના રનૌતનો બચાવ, કહ્યું-અંગ્રેજોને કેમ જવાબદાર ઠેરવવામાં ન આવ્યા?

ભીખમાં મળેલી આઝાદીવાળુ નિવેદન આપીને કંગના રનૌત બરાબરની ટ્રોલ થઈ રહી છે. કંગના રનૌતે એક આર્ટિકલ શેર કરીને લાંબી લચક પોસ્ટ ઈન્સ્ટાગ્રામ પર શેર કરીને પોતાનો બચાવ કર્યો છે

I am Gujarat 15 Nov 2021, 12:07 pm

હાઈલાઈટ્સ:

  • ભીખમાં મળેલી આઝાદીવાળા નિવેદનને લઈને કંગના થઈ રહી છે ટ્રોલ
  • કંગનાએ પોતાનો બચાવ કરતા ઈન્સ્ટાગ્રામમાં પોસ્ટ કર્યો એક આર્ટિકલ
  • ભાગલા માટે જવાબદાર અંગ્રેજો પર કંગના રનૌતે કર્યા આકરા પ્રહાર
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat kangna main
બોલીવૂડ એક્ટ્રેસ કંગના રનૌત ફરી એક વાર ભીખમાં મળેલી આઝાદીવાલા નિવેદનના કારણે ચર્ચામાં આવી છે. કંગનાએ કહ્યું હતું કે, 1947માં મળેલી આઝાદી ભીખમાં મળી હતી અને ભારતને સાચી આઝાદી 2014માં ભાજપ સરકાર આવવા બાદ મળી છે. કંગનાના આ નિવેદનની કેટલાંક ટિકાકારો ખૂબ જ ટિકા કરી રહ્યા છે. હવે કંગના રનૌતે પોતાનો લૂલો બચાવ કરતા એક લાંબી લચક ઈન્સ્ટાગ્રામ પોસ્ટ લખી છે.
કંગના રનૌતે ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં એક આર્ટિકલ પબ્લિશ કર્યો છે. જેમાં બતાવવામાં આવ્યું છે કે, આખરે કેમ ભારતને બ્રિટન પાસેથી વળતર ન મળી શકે. કંગનાએ લખ્યું કે, કેમ અને કેવી રીતે ગોરા સામ્રાજ્યવાદી અને તેમના સમર્થક આવી બકવાસ લખી શકે છે? જો તમે શોધવાનો પ્રયાસ કરશો તો જવાબ ટાઈમ્સ નાઉ સમિટમાં આપવામાં આવેલુ મારૂ નિવેદન છે. આવું એટલા માટે કારણ કે આપણા રાષ્ટ્રના ઘડવૈયાઓએ ભારતમાં કરેલા અગણિત ગુનાઓ માટે અંગ્રેજોને દોષિત ઠેરવ્યા નથી. તેઓએ ખૂબ જ ખરાબ રીતે દેશની સંપતિ લૂંટી અને આપણને બે ભાગમાં વહેચવા માટે આપણા સ્વતંત્રતા સેનાનીઓની હત્યા કરી.

15 નવેમ્બરે ચંડીગઢમાં પત્રલેખાને પરણશે રાજકુમાર રાવ, સિમ્પલ પણ સુંદર છે લગ્નની કંકોત્રી
કંગનાએ આગળ લખ્યું કે, બીજા વિશ્વ યુદ્ધ બાદ અંગ્રેજ પોતાની મરજીથી ભારત છોડીને ચાલ્યા ગયા હતા અને વિંસ્ટન ચર્ચિલને ત્યારે એક વોર હીરો તરીકે દર્શાવવામાં આવ્યો હતો. આ એ જ વ્યક્તિ હતી કે જે બંગાળમાં દુષ્કાળ માટે જવાબદાર હતો અને સ્વતંત્ર ભારતમાં ક્યારેય ગુનાઓ માટે તેને દોષિત ન ઠેરવવામાં ન આવ્યો? નહીં. એક ગોરો અંગ્રેજ સિરિલ રેડક્લિફ કે જે ક્યારેય પહેલાં ભારતમાં આવ્યો નથી, તેને અંગ્રેજ માત્ર 5 અઠવાડિયામાં ભારતના ભાગલાની લાઈન ખેંચવા માટે લઈને આવ્યા.

કોંગ્રેસ અને મુસ્લિમ લીગ આ કમિટીના મેમ્બર હતા અને તેઓએ અંગ્રેજોની શરતો મુજબ ભાગલાને સ્વીકાર કરી લીધા હતા. જેના કારણે લાખો લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. શું એ મરનારાઓને આઝાદી મળી? શું અંગ્રેજ કે કોંગ્રેસ કે જે આ ભાગલાને માની ગયા હતા, તેઓને આ હત્યાકાંડ માટે જવાબદાર ઠેરવવામાં આવ્યા?
આજે તુલસી વિવાહ અને દેવ પ્રબોધિની એકાદશી, જાણો શુભ મુહૂર્ત અને પૂજા વિધિ
મહત્વનું છે કે, કંગનાના નિવેદન બાદ કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, શિવસેના અને એનસીપીએ જોરદાર પ્રતિક્રિયા આપી છે. આમ આદમી પાર્ટીએ મુંબઈ પોલીસને કંગના રનૌત વિરૂદ્ધ દેશદ્રોહનો કેસ દાખલ કરવાની માગ કરી છે. ભાજપના સાંસદ વરૂણ ગાંધીએ પણ કંગના રનૌતના આ નિવેદનની ટિકા કરતા તેની સરખામણી દેશદ્રોહી સાથે કરી હતી.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો