એપશહેર

'ભારે હૈયે' મનાલી રવાના થઈ કંગના, કહ્યું 'મને નબળી સમજવાની ભૂલ કરી રહ્યા છે'

પાંચ દિવસ સુધી મુંબઈમાં રહ્યા બાદ કંગના રનૌત મનાલી પરત ફરી છે. મનાલી જતી વખતે તેણે કેટલાક ટ્વીટ કર્યા હતા અને મહારાષ્ટ્ર સરકાર પર પર શાબ્દિક પ્રહાર કર્યા હતા.

TIMESOFINDIA.COM 14 Sep 2020, 10:44 am
9 સપ્ટેમ્બરે મુંબઈ આવેલી કંગના આજે મનાલી પરત ફરી છે. તે મુંબઈ આવી ત્યારે સુરક્ષાને લઈને જે વ્યવસ્થા કરવામાં આવી હતી, તેવી જ વ્યવસ્થા ફરી એકવાર એરપોર્ટ પર જોવા મળી. આ સિવાય કંગનાની સાથે Y સિક્યુરિટી પણ હતી, જે તેને કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવી છે.
I am Gujarat kangana ranaut leaves mumbai with heavy heart
'ભારે હૈયે' મનાલી રવાના થઈ કંગના, કહ્યું 'મને નબળી સમજવાની ભૂલ કરી રહ્યા છે'




કંગના 5 દિવસ સુધી મુંબઈમાં રહીને પોતાના વતન મનાલી પાછી ગઈ છે. કંગનાએ મુંબઈ છોડતા પહેલા ટ્વિટર પર પોસ્ટ મૂકી હતી. જેમાં તેણે લોકશાહીનું ચીરહરણ થયું હોવાની વાત કરી હતી. કંગનાએ ટ્વીટમાં લખ્યું છે કે, 'જ્યારે રક્ષક જ ભક્ષક હોવાનું જાહેર કરી રહ્યા છે, ઘડિયાળ બનીને લોકશાહીનું ચીરહરણ કરી રહ્યા છે. મને નબળી સમજવાની મોટી ભૂલ કરી રહ્યા છે. એક મહિલાને ડરાવીને ઓછી આંકીને પોતાની જ છબી પર ધૂળ નાખી રહ્યા છે'.

કંગના રનૌતની ટ્વીટનો સ્ક્રીનશોટ



મનાલીથી મુંબઈ આવતી વખતે કંગનાએ જેમ એક બાદ એક ઘણા ટ્વીટ કર્યા હતા. તેમ મુંબઈથી મનાલી જતી વખતે પણ કર્યા છે. અન્ય એક ટ્વીટમાં તેણે લખ્યું છે કે, 'ભારે હૈયે મુંબઈથી રવાના થઈ રહી છું. આટલા દિવસોમાં મને જે રીતે ડરાવી-ધમકાવી. મારી ઓફિસ તોડ્યા બાદ મારા ઘરને પણ નિશાન બનાવવામાં આવ્યું. જે રીતે મારી આજુબાજુ હથિયારધારી સિક્યુરિટી તૈનાત કરવામાં આવી. મારે કહેવું પડશે કે, POK સાથે સરખામણીવાળું મારું નિવેદન કંઈ ખોટું નહોતું'.

કંગનાના ટ્વીટનો સ્ક્રીનશોટ



કંગનાને આ કારણથી ન કરાઈ ક્વોરન્ટિન
કંગનાએ પહેલાથી એ વાતની જાણકારી આપી દીધી હતી કે તે થોડા દિવસ માટે જ મુંબઈ આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, મુંબઈમાં ફ્લાઈટથી આવનાર માટે 14 દિવસના ક્વોરન્ટિનનો નિયમ છે. જેમાં કંગનાને એ કારણથી છૂટ આપવામાં આવી હતી કે તે અહીંયા 1 અઠવાડિયા કરતાં ઓછા સમય માટે રહેવાની હતી. કંગનાને 'શોર્ટ ટર્મ વિઝિટર કેટેગરી' હેઠળ આ છૂટ આપવામાં આવી હતી.

અહીંયાથી શરુ થયો વિવાદ
કંગના અને મહારાષ્ટ્ર સરકાર વચ્ચે વિવાદ ત્યારે શરુ થયો જ્યારે એક્ટ્રેસે મુંબઈની સરખામણી પાકિસ્તાન અધિકૃત કાશ્મીર કરી. આ વાતથી નારાજ સંજય રાઉતે કહી દીધું કે, કંગનાને એટલી જ તકલીફ છે તો મુંબઈ પરત જ ન આવે. જે બાદ કંગનાએ મુંબઈ આવવાની ચેલેન્જ આપી અને ટ્વીટ કરીને કહ્યું કે, 'હું મુંબઈ આવી રહી છું. કોઈના બાપમાં તાકાત હોય તો રોકી બતાવે'. સંજય રાઉતે કંગના માટે 'હરામખોર લડકી' શબ્દનો પણ ઉપયોગ કર્યો હતો, જેની ઘણી નિંદા થઈ હતી. આ બાદ કંગના મુંબઈ પહોંચે તે પહેલા જ BMCના અધિકારીઓએ તેની ઓફિસમાં તોડફોડ કરી નાખી. BMCની કાર્યવાહી સામે બોલિવુડનાં ઘણા સેલેબ્સે નારાજગી વ્યક્ત કરી હતી અને કંગનાને સપોર્ટ આપ્યો હતો.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો