એપશહેર

'સાઉદીની જેમ મહિલાઓ વિરુદ્ધ અપરાધ કરનારને છડેચોક ફાંસીની જરુરિયાત': કંગના રનૌત

ભોપાલમાં મહિલા અત્યાચાર સામે કંગના રનૌતેે આપ્યું નિવેદન

I am Gujarat 9 Jan 2021, 11:19 pm
બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત પોતાના નિવેદન માટે ફેમસ છે. તે વારંવાર સામાજિક મુદ્દાઓ પર પોતાનો મત વ્યક્ત કરતી રહે છે. આ વખતે કંગના રનૌતે મહિલાઓ પર થતાં અત્યાચારને લઈને પોતાનો મત વ્યક્ત કર્યો છે. એક્ટ્રેસે ભોપાલમાં મહિલા અત્યાચાર પર નિવેદન આપ્યું છે.
I am Gujarat kangana ranaut said that who commit crimes against women are hanged to death
'સાઉદીની જેમ મહિલાઓ વિરુદ્ધ અપરાધ કરનારને છડેચોક ફાંસીની જરુરિયાત': કંગના રનૌત


મહિલાઓ પરના અત્યાચાર પર બોલી કંગના
મહિલાઓ પર થતાં અત્યાચારના સમાધાન પર કંગના રનૌતે કહ્યું કે જે રીતે સાઉદી અરબ જેવા દેશોમાં મહિલાઓ વિરુદ્ધ અપરાધ કરનારને છડેચોક ફાંસી પર લટકાવી દેવામાં આવે છે. આપણે પણ અહીં એ પ્રકારના જ ઉદાહરણ સેટ કરવાની જરુર છે.


કંગના રનૌતે કાયદા પર સવાલ ઉઠાવતા કહ્યું કે મહિલાઓ વિરુદ્ધ અત્યાચારને પ્રોત્સાહન નબળા કાયદાઓથી જ મળે છે. આ કાયદામાં વસ્તુઓ ફાઈલમાં જ રહી જાય છે અને અનેક વર્ષો લાગી જાય છે. આ ઉપરાંત પોલીસ અને કાયદાઓ આરોપીઓનું શોષણ કરી રહે છે.

બન્ને બહેનો સામે થયો છે કેસ
નોંધનીય છે કે કંગના રનૌત અને તેની બહેન રંગોલી ચંડેલને શુક્રવારે બપોરે બાંદ્રા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતાં. સોશિયલ મીડિયા પર આપત્તિજનક પોસ્ટ શેર કરવાના આરોપમાં બન્ને બહેનો વિરુદ્ધ પોલીસે કેસ દાખલ કર્યો હતો. કોર્ટ જતા પહેલા કંગના રનૌતે એક વિડીયો પોસ્ટ કરીને કહ્યુ હતું કે તેમના પર કારણ વગર અનેક કેસ કરવામાં આવ્યા હતાં.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો