એપશહેર

કનિકા કપૂર ચોથી વખત કોરોના પોઝિટિવ આવી, હાલમાં કેવી છે તેની સ્થિતિ?

Yogesh Gajjar | I am Gujarat 28 Mar 2020, 3:55 pm
મુંબઈઃ બોલિવૂડ સિંગર કનિકા કપૂરે થોડા દિવસો પહેલા પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કોરોના પોઝિટિવ હોવાની વાત સ્વીકારી હતી. જે બાદ તેને ઉત્તર પ્રદેશના લખનઉની SGPGI હોસ્પિટલમાં સારવાર માટે એડમિટ કરવામાં આવી હતી. આ વચ્ચે તેના સ્વાસ્થ્યને લઈને એક મોટી ખબર સામે આવી છે. મળેલી જાણકારી મુજબ, કનિકાનો ચોથી વખત કોરોના ટેસ્ટ પણ પોઝિટિવ આવ્યો છે, જે બાદ તેના ફેન્સ ખૂબ જ દુઃખી છે.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:
View this post on Instagram Hi 🙋🏻‍♀️ A post shared by Kanika Kapoor (@kanik4kapoor) on Mar 6, 2020 at 11:39am PST
જોકે આ વચ્ચે એવી પણ ખબર સામે આવી છે કે કનિકા કપૂર ભલે કોરોના વાયરસની ચપેટમાં હોય, પરંતુ આ સમયે તેની હાલત સ્થિર છે. હોસ્પિટલમાં તેની સંપૂર્ણ રીતે દેખરેખ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે કનિકા કપૂર 9 માર્ચે લંડનથી ભારત પાછી આવી હતી. જે બાદ 20 માર્ચે તેણે પોતે કોરોના પોઝિટિવ હોવાની વાત દુનિયાને જણાવી હતી.આ બાદ સતત તેના પર કોરોના પોઝિટિવ હોવાની ખબર છુપાવવાનો અને બેદરકારી દાખવવાનો આરોપ લાગતો રહ્યો. જોકે સિંગરનું કહેવું છે કે તે ભારત પાછી આવી હતી ત્યારે દેશમાં સેલ્ફ આઈસોલેસનની કોઈ વ્યવસ્થા લાગુ કરવામાં આવી નહોતી, પરંતુ 10 માર્ચથી લોકો હોળી રમી રહ્યા હતા.જણાવી દઈએ કે કનિકાની સાથે જ લખનઉમાં એડમિટ અન્ય 7 કોરોના દર્દીઓની હાલત પણ સ્થિર છે. લખનઉમાં અત્યાર સુધી 8 કોરોના પોઝિટિવ દર્દીઓ સામે આવી ચૂક્યા છે. ભારતમાં પણ કોરોનાના દર્દીઓની સંખ્યા 900ને પાર પહોંચી ગઈ છે. જ્યારે 19 જેટલા લોકોના અત્યાર સુધીમાં મોત થઈ ચૂક્યા છે.

Read Next Story