એપશહેર

કનિકા કપૂરનો કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો પરંતુ હમણાં નહીં જઈ શકે ઘરે

શિવાની જોષી | I am Gujarat 5 Apr 2020, 2:02 pm
બોલિવુડની પોપ્યુલર સિંગર કનિકા કપૂર કોરોના વાયરસનો શિકાર બની છે. લંડનથી આવ્યા બાદ કનિકાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ લખનૌની સંજય ગાંધી પોસ્ટ ગ્રેજ્યુએટ ઈન્સ્ટીટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિઝ (SGPGI)માં કનિકાની સારવાર ચાલી રહી છે. કનિકાનો પહેલો રિપોર્ટ પોઝિટિવ આવ્યો પછી તેના સતત ચાર ટેસ્ટ પોઝિટિવ આવ્યા હતા. મતલબ કે, કનિકાનો કુલ પાંચ વખત રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેના કારણે તેનો પરિવાર પણ ચિંતામાં હતો.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરોહવે છઠ્ઠી વખત કનિકાનો કોરોનાનો ટેસ્ટ કરવામાં આવ્યો છે, જે નેગેટિવ આવતાં પરિવારે રાહતનો દમ લીધો છે. જો કે, હજુ એક વખત કનિકાનો રિપોર્ટ નેગેટિવ આવશે તો જ તેને ઘરે જવાની મંજૂરી મળશે. સતત બે વખત કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવે તો દર્દી સાજો થયો હોવાનું માનવામાં આવે છે. આ મામલે હજી સુધી કનિકાના પરિવાર કે હોસ્પિટલના સત્તાધીશો તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.લંડનથી આવ્યા બાદ કનિકા કોરોના પોઝિટિવ હોવા છતાં બેદરકારી દાખવીને પાર્ટીમાં ગઈ હતી. જેના કારણે લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો હતો. કનિકા સામે બેદરકારી દાખવવા બદલ ત્રણ FIR પણ દાખલ કરવામાં આવી છે. આ સિવાય કનિકા હોસ્પિટલમાં નખરાં કરતી હોવાનો પણ આરોપ લાગ્યો હતો. કનિકાએ ફરિયાદ કરી હતી કે, હોસ્પિટલમાં તેને યોગ્ય સુવિધા આપવામાં આવતી નથી. જો કે, કનિકાના આ દાવા ફગાવીને હોસ્પિટલ સત્તાધીશોએ તે નખરાં કરતી હોવાનો આરોપ મૂક્યો હતો. જો કે, હાલ તો કનિકાનો રિપોર્ટ નેગેટિવ આવતાં પરિવાર તેના ઘરે આવવાની આતુરતાથી રાહ જોઈ રહ્યો છે.કરિના અને સૈફ બાદ કોરોના સામે લડવા કરિશ્મા કપૂરે પણ કર્યું દાન
લેખક વિશે
શિવાની જોષી
શિવાની જોષી છેલ્લા સાત વર્ષથી વધુ સમય કરતાં પત્રકારત્વના ક્ષેત્રમાં છે. કારકિર્દીની શરૂઆતથી જ તેઓ ન્યૂઝ એડિટિંગના કામનો અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાંથી ગ્રેજ્યુએશન (બીકોમ) કર્યું છે. ત્યારબાદ ગુજરાત યુનિવર્સિટીના જ માસ કમ્યુનિકેશન, જર્નાલિઝમ એન્ડ પબ્લિક રિલેશન ડિપાર્ટમેન્ટમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી અને પત્રકારત્વના ક્ષેત્રે જોડાયા. તેઓ વીટીવી ન્યૂઝ, એબીપી અસ્મિતા જેવી ન્યૂઝ ચેનલ સાથે કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story