એપશહેર

વરુણ-નતાશાના લગ્ન માટે અલીબાગ પહોંચ્યો કરણ જોહર, સાંજે 4 વાગ્યા પછીનું મુહૂર્ત

વરુણ અને નતાશાના લગ્નની એકપણ તસવીર અને વિડીયો બહાર ના જાય તે માટે ટાઈટ સિક્યુરિટી રાખવામાં આવી છે. આ ઉપરાંત તમામ સ્ટાફ મેમ્બર્સના ફોન પર સ્ટીકર લગાવવામાં આવી રહ્યા છે.

I am Gujarat 24 Jan 2021, 4:09 pm
વરુણ ધવન અને નતાશા દલાલ આજે પતિ-પત્ની બની જશે. લગ્નનું મુહૂર્ત સાંજે 4 વાગ્યા પછીનું છે. આજે સવારે વરુણ-નતાશાના લગ્ન કરાવનારા પંડિતજી પણ અલીબાગના 'ધ મેન્શન હાઉસ' રિસોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા. હવે બસ થોડા જ સમયમાં વરુણ અને નતાશા રીત-રિવાજ મુજબ લગ્ન કરીને પતિ-પત્ની બની જશે. લગ્નના સ્થળે છેલ્લી ઘડીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. મંડપ સજાવી દેવાયો છે અને હવે વર-વધૂની રાહ જોવાઈ રહી છે.
I am Gujarat kjo vd weeding

View this post on Instagram A post shared by ETimes (@etimes)


અમારા સહયોગી બોમ્બે ટાઈમ્સને સૂત્ર પાસેથી મળેલી જાણકારી પ્રમાણે, "લગ્ન સ્થળની અંદર ડેકોરેશનનો વિવિધ સામાન લઈ જવાય રહ્યો છે. અંદર સતત હલચલ છે. વરુણની જાન નીકળશે પરંતુ તે લગ્ન સ્થળની અંદર જ હશે. લગ્ન પૂરા થયા પછી બહાર રાહ જોઈ રહેલા મીડિયાકર્મીઓને વરુણ ધવન પોઝ આપવા આવે તેવી સંભાવના છે. લગ્નના મેનૂની વાત કરીએ તો લેબેનિઝ, મેક્સિનકન અને ભારતીય વાનગીઓ રાખવામાં આવી છે. કપલના મિત્રો અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લોકો માટે 2 ફેબ્રુઆરીએ મુંબઈની ફાઈવ-સ્ટાર હોટેલમાં રિસેપ્શન યોજાઈ શકે છે."
View this post on Instagram A post shared by ETimes (@etimes)


આ તરફ વરુણ ધવનનો મેન્ટર અને ફિલ્મમેકર કરણ જોહર અલીબાગ આવી પહોંચ્યો છે. કરણ જોહર આજે બપોરે અલીબાગ આવ્યો હતો.


આ સિવાય વરુણની બાળપણની મિત્ર ઝોઆ મોરાની અને અન્ય મહેમાનો પણ લગ્ન સ્થળે પહોંચતા જોવા મળ્યા હતા. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી હાલ તો કરણ જોહર, મનીષ મલ્હોત્રા અને કુણાલ કોહલી જ વરુણ-નતાશાના લગ્નમાં સામેલ થયા છે. ઉલ્લેખનીય છે કે, ડાયરેક્ટર કુણાલ કોહલી વરુણની મમ્મીની બહેનનો દીકરો છે.
View this post on Instagram A post shared by ETimes (@etimes)


વરુણ અને નતાશાના લગ્નની એકપણ તસવીર અને વિડીયો બહાર ના જાય તે માટે ટાઈટ સિક્યુરિટી રાખવામાં આવી છે. આ ઉપરાંત તમામ સ્ટાફ મેમ્બર્સના ફોન પર સ્ટીકર લગાવવામાં આવી રહ્યા છે જેથી રિસોર્ટની અંદરનો કોઈ વિડીયો કે ફોટો બહાર ના આવી શકે. જો કોઈ વ્યક્તિ તે સ્ટીકર ઉખાડશે તો એલાર્મ વાગશે અને સિક્યુરિટીને ચેતવણી મળી જશે. મહામારીની સ્થિતિને ધ્યાનમાં રાખીને અલીબાગમાં વેડિંગ વેન્યૂની બહાર જ કોવિડ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. જે લોકોનો કોવિડ રિપોર્ટ નેગેટિવ ના આવે તેમને પાછા મોકલવામાં આવી રહ્યા છે.

વરુણ ધવનની બેચલર પાર્ટી શુક્રવારે રાત્રે યોજાઈ હતી. જે બાદ ગઈકાલે મહેંદી, સંગીત અને હલદી સેરેમની પણ થઈ ગઈ છે. આજે હવે બાળપણના મિત્રો જીવનસાથી બની જશે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો