એપશહેર

ગંગા હરજીવનદાસ કેવી રીતે બન્યાં 'ગંગુબાઈ', કાઠિયાવાડથી મુંબઈ કેમ આવ્યા હતા?

ફિલ્મમેકર સંજય લીલા ભણસાળીની બોલિવૂડ ફિલ્મ 'ગંગુબાઈ કાઠિયાવાડી' મુંબઈના જાણીતા લેખક અને પત્રકાર એસ હુસૈન ઝૈદીના પુસ્તક 'માફિયા ક્વીન્સ ઓફ મુંબઈ' પર આધારિત છે.

I am Gujarat 25 Feb 2021, 10:10 pm
ગંગુબાઈ કાઠિયાવાડીનું નામ આજકાલ ચર્ચામાં છે કારણકે ફિલ્મમેકર સંજય લીલા ભણસાળી એક્ટ્રેસ આલિયા ભટ્ટને લઈને 'ગંગુબાઈ કાઠિયાવાડી' નામની બોલિવૂડ ફિલ્મ બનાવી રહ્યા છે. 'ગંગુબાઈ કાઠિયાવાડી' ફિલ્મની વાર્તા મુંબઈના માફિયા ક્વીન તરીકે ઓળખાતા ગંગુબાઈ કોઠાવાળી (Gangubai Kothewali)ના જીવન પર આધારિત છે.
I am Gujarat know about gangubai kathiawadi real story of mafia queen gangubai kothewali
ગંગા હરજીવનદાસ કેવી રીતે બન્યાં 'ગંગુબાઈ', કાઠિયાવાડથી મુંબઈ કેમ આવ્યા હતા?



ગંગુબાઈનું સાચું નામ ગંગા હરજીવનદાસ હતું

ફિલ્મમેકર સંજય લીલા ભણસાળીની બોલિવૂડ ફિલ્મ 'ગંગુબાઈ કાઠિયાવાડી' મુંબઈના જાણીતા લેખક અને પત્રકાર એસ હુસૈન ઝૈદીના પુસ્તક 'માફિયા ક્વીન્સ ઓફ મુંબઈ' પર આધારિત છે. ગંગુબાઈનું સાચું નામ ગંગા હરજીવનદાસ હતું અને તેઓ ગુજરાતના કાઠિયાવાડના નિવાસી હતા. એક સંપન્ન પરિવારમાં જન્મેલા ગંગાનું સપનું હતું કે તેઓ મોટા થઈને હિરોઈન બનશે પણ 16 વર્ષની ઉંમરમાં તેઓને જેની સાથે પ્રેમ થયો તે ખોટું થયું. આ કદાચ ગંગાના જીવનની સૌથી મોટી ભૂલ હતી. ગંગાને તેના પિતાના અકાઉન્ટન્ટની સાથે પ્રેમ થયો કે જેનું નામ હતું રમણિકલાલ.

ગંગા રમણિકલાલ સાથે ભાગીને મુંબઈ આવી ગઈ

ગંગાનો પરિવાર આ પ્રેમની વિરુદ્ધ હતો. પણ, ગંગા રમણિક સાથે ભાગીને મુંબઈ આવી ગઈ. તેમણે લગ્ન કરી લીધા. પણ, ગંગાના પતિ રમણિકલાલે તેને માત્ર 500 રૂપિયામાં મુંબઈના કમાઠીપુરાના એક વેશ્યાલયને વેચી દીધી. જ્યાં ગંગાની સ્થિતિ ખૂબ ખરાબ થઈ ગઈ અને મજબૂર ગંગા દરરોજ રડતી હતી. 1960ના તે દાયકામાં મુંબઈના કમાઠીપુરાના વિસ્તારમાં માફિયા ડોન કરીમ લાલાનો સિક્કો ચાલતો હતો. એકવખત કરીમ લાલાના એક ગુંડાની નજર ગંગા પર પડી અને તેણે ગંગાનો રેપ કર્યો.

કમાઠીપુરાની કમાન પણ ગંગુબાઈના હાથમાં આવી ગઈ

ગંગા ન્યાય માગવા માટે કરીમ લાલા પાસે ગઈ ત્યારે કરીમ લાલાએ તેને ન્યાય અપાવ્યો અને બહેન માની લીધી. આ ઘટનાથી ગંગાનું જીવન બદલાઈ ગયું અને ત્યાંથી ગંગાથી ગંગુબાઈ કાઠિયાવાડી બનવાની અસલી કહાણીની શરૂઆત થઈ. કરીમ લાલાની બહેન બન્યા પછી ગંગુબાઈનું કદ વધી ગયું અને તે કમાઠીપુરાની કોઠાવાળી ગંગુબાઈ બની ગઈ. ધીરે-ધીરે કમાઠીપુરાની કમાન પણ ગંગુબાઈના હાથમાં આવી ગઈ. પણ ગંગુબાઈ ત્યાં સેક્સ વર્કર્સ માટે 'ગંગુમા' હતી. સેક્સ વર્કર્સના અધિકારો માટે ગંગુબાઈએ અવાજ ઉઠાવ્યો હતો.

મુંબઈના આઝાદ મેદાનમાં સેક્સ વર્કર્સના હક માટેનું ગંગુબાઈનું ભાષણ

ગંગુબાઈની એવી ધાક હતી કે તેમની પરવાનગી વિના કોઈપણ ગેંગસ્ટર અથવા મોટો માફિયા પણ કોઠા અથવા કમાઠીપુરામાં પ્રવેશી શકતો નહોતો. ગંગુબાઈએ પોતાના જીવનમાં સેક્સ વર્કર્સ માટે કામ કર્યું અને અનાથ બાળકો માટે સહારો પણ બન્યા. આવા ઘણાં બાળકોને ભણાવવાની જવાબદારી પણ ગંગુબાઈએ ઉપાડી હતી. મુંબઈના આઝાદ મેદાનમાં સેક્સ વર્કર્સના હક માટેનું ગંગુબાઈનું ભાષણ તમામ ન્યૂઝપેપરમાં સ્ટોરી તરીકે છપાયું હતું. લેખક એસ હુસૈન ઝૈદીના પુસ્તકમાં એવો પણ ઉલ્લેખ છે કે ગંગુબાઈ તે સમયે દેશના વડાપ્રધાન જવાહરલાલ નહેરુને પણ મળી હતી.

Read Next Story