એપશહેર

'કરણ જોહરનું નામ આપીશ તો તને છોડી દઈશું', ક્ષિતિજ પ્રસાદે NCB પર કર્યો આક્ષેપ

ક્ષિતિજ પ્રસાદે ડ્રગ કેસમાં કરણ જોહરનું નામ લેવા NCB તરફથી દબાણ કરાતું હોવાનો આરોપ કર્યો.

I am Gujarat 28 Sep 2020, 12:38 pm
ડ્રગ્સ કેસમાં નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોએ ધર્મા પ્રોડક્શનના પૂર્વ સહયોગી ક્ષિતિજ પ્રસાદની ધરપકડ કરી લીધી છે. ક્ષિતિજ આસિસ્ટન્ટ પ્રોડ્યુસર છે. શનિવારે 26 સપ્ટેમ્બરે રેડ દરમિયાન એનસીબીને તેના ઘરેથી ગાંજો મળ્યો હતો. ક્ષિતિજ એક બાજુ 3 ઓક્ટોબર સુધી એનસીબીની રિમાન્ડ પર છે, ત્યારે તેના વકીલ સતીશ માનશિંદેનો દાવો છે કે તપાસ એજન્સી ક્ષિતિજ પર પ્રેશર બનાવી રહી છે કે તે ડ્રગ્સ લિંકમાં કરણ જોહરનું નામ લે. જોકે એનસીબીએ આ આરોપોનું ખંડન કર્યું છે. એનસીબીનું કહેવું છે કે તે એક જવાબદાર તપાસ એજન્સી છે અને આવું કંઈ નથી થઈ રહ્યું.
I am Gujarat kshitij
ક્ષિતીજ પ્રસાદની તસવીર


ક્ષિતિજે મેજિસ્ટ્રેટ સામે પણ કહી આ વાત
જાણકારી મુજબ, ક્ષિતિજ પ્રસાદે મેજિસ્ટ્રેટ સામે સુનાવણી દરમિયાન એવો દાવો કર્યો હતો કે તેના પર એનસીબીની ટીમ પ્રેશર બનાવી રહી છે કે તે કરણ જોહરનું નામ લે. હવે તેના વકીલનું કહેવું છે કે તેમના ક્લાયન્ટ પર પ્રેશર બનાવવામાં આવી રહ્યું છે અને તેમને રિમાન્ડમાં પરેશાન કરાઈ રહ્યા છે.

'કરણ જોહર અથવા તેની સાથે જોડાયેલા કોઈનું નામ લો'
સતીશ માનશિંદે જ રિયા ચક્રવર્તી અને શૌવિક ચક્રવર્તીનો કેસ પણ લડી રહ્યા છે. માનશિંદેએ દાવો કર્યો છે કે એનસીબૂ ક્ષિતિજ પર દબાણ કરી રહી છે કે તે કરણ જોહરનું નામ લે અથવા તો તેની સાથે જોડાયેલા કોઈ વ્યક્તિનું નામ લે તો તેને છોડી મૂકવામાં આવશે.

એનસીબીએ આરોપોને નિરાધાર બતાવ્યા
બીજી તરફ એનસીબીની ટીમનું કહેવું છે કે આ તમામ આરોપો નિરાધાર છે. એજન્સીનું કહેવું છે કે ક્ષિતિજના ઘરેથી ગાંજો મળ્યો હતો, તેનું નામ પેડલરથી લઈને ઘણા આરોપીઓએ પોતાના નિવેદનમાં લીધું છે. આથી તેની વાતો પર વિશ્વાસ ન કરી શકાય.

NCB ચીફને કરી SIT સાથે મીટિંગ
નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોનું કહેવું છે કે તે એક પ્રોફેશનલ એજન્સી છે. એનસીબી ચીફ રાકેશ અસ્થાનાએ રવિવારે સુશાંત મામલામાં તપાસ કરી રહેલી SIT ટીમ સાથે પણ બેઠક કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે, એનસીબી આગામી 2-3 દિવસમાં મામલાની રિપોર્ટ સોંપી દેશે. રાકેશ અસ્થાનાએ ટીમને એમ પણ કહ્યું છે કે કોઈ એક ગ્રુપની પાછળ જવાની જગ્યાએ ડ્રગ્સ સપ્લાય કોણ કરી રહ્યું હતું તે વાત પર ભાર મૂકવામાં આવે.

અત્યાર સુધી 20 આરોપીઓની ધરપકડએનસીબીની ટીમે સુશાંતની મોત મામલામાં ડ્રગ્સ એન્ગલની તપાસ કરતા અત્યાર સુધી રિયા ચક્રવર્તી સહિત 20 લોકોની ધરપકડ કરી છે. એનસીબી અધિકારીઓનું કહેવું છે કે ક્ષિતિજના ડ્રગ ચેટ સામે આવ્યા છે અને તે 'ડ્રગ સિન્ડિકેટ'નો ભાગ છે. એનસીબીએ એમ પણ કહ્યું કે ક્ષિતિજ પૂછપરછમાં સહયોગ નથી કરી રહ્યો. એનસીબીએ કોર્ટમાં જણાવ્યું કે ક્ષિતિજે કથિત ડ્રગ પેડલર કરમજીત સિંહ, અંકુશ અનરેજા અને કૈજાન ઈબ્રાહિમ પાસેથી ગાંજો ખરીદ્યો હતો, જે સુશાંતના હાઉસ મેનેજર સેમ્યુઅલ મિરાંડાના સંપર્કમાં હતા.

Read Next Story