એપશહેર

જો 'લાલ સિંહ ચઢ્ઢા' અને 'રક્ષાબંધન' ફ્લોપ જાય તો કોને વધુ નુકસાન થશે?

જો 'લાલ સિંહ ચઢ્ઢા' અને 'રક્ષાબંધન' ફ્લોપ જાય તો સૌથી વધારે નુકસાન કોને થશે? અદ્વેત ચંદનના ડિરેક્શનમાં બનેલી ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા'નું બજેટ 180 કરોડ રૂપિયા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે જ્યારે આનંદ એલ રાયના ડિરેક્શનમાં બનેલી ફિલ્મ 'રક્ષાબંધન'નું બજેટ 70 કરોડ રૂપિયા સુધીનું જણાવાઈ રહ્યું છે. ફ્લોપ જાય તો બહું મોટું નુકસાન થઈ શકે છે.

Edited byનિલય ભાવસાર | Navbharat Times 13 Aug 2022, 6:04 pm

હાઈલાઈટ્સ:

  • શુક્રવારે આ બંને ફિલ્મ્સના 2300 શૉ કેન્સલ કરાયા હોવાનું એક રિપોર્ટથી જાણવા મળી રહ્યું છે.
  • સુપરસ્ટાર અક્ષય કુમાર અને આમિર ખાનની આ ફિલ્મ્સ જોવા માટે પ્રથમ દિવસે જ ઓછા દર્શકો આવ્યા હતા.
  • જેથી આ બંને ફિલ્મોની કમાણી પર પણ અસર થઈ છે.
  • દર્શકોની ઓછી હાજરી જોતાં 'લાલ સિંહ ચઢ્ઢા'ના 1300 અને 'રક્ષાબંધન'ના 1000 શૉ કેન્સલ કરવામાં આવ્યા છે.
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat laal singh chaddha vs raksha bandhan
જો 'લાલ સિંહ ચઢ્ઢા' અને 'રક્ષાબંધન' ફ્લોપ જાય તો કોને વધુ નુકસાન થશે?
ગુરુવારે રિલીઝ થયેલી બોલિવૂડ ફિલ્મ્સ 'લાલ સિંહ ચઢ્ઢા' અને 'રક્ષાબંધન' માટે ચોંકાવનારા સમાચાર જાણવા મળી રહ્યા છે. શુક્રવારે આ બંને ફિલ્મ્સના 2300 શૉ કેન્સલ કરાયા હોવાનું એક રિપોર્ટથી જાણવા મળી રહ્યું છે. સુપરસ્ટાર અક્ષય કુમાર અને આમિર ખાનની આ ફિલ્મ્સ જોવા માટે પ્રથમ દિવસે જ ઓછા દર્શકો આવ્યા હતા. જેથી આ બંને ફિલ્મોની કમાણી પર પણ અસર થઈ છે. રિપોર્ટથી એવું જાણવા મળે છે કે સમગ્ર દેશમાં થિયેટર્સમાં દર્શકોની ઓછી હાજરી જોતાં 'લાલ સિંહ ચઢ્ઢા'ના 1300 અને 'રક્ષાબંધન'ના 1000 શૉ કેન્સલ કરવામાં આવ્યા છે.
બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર અને આમિર ખાન માટે ચિંતાનો વિષય

'રક્ષાબંધન' અક્ષય કુમાર માટે મહત્વની ફિલ્મ હતી. કારણકે, કોરોના વાયરસ બાદ અક્ષય કુમારની ઘણી ફિલ્મો રિલીઝ થઈ કે જેમાં 'સૂર્યવંશી' સિવાય અન્ય તમામ ફિલ્મો જેવી કે 'સમ્રાટ પૃથ્વીરાજ', 'બચ્ચન પાંડે' અને 'બેલબોટમ' ફ્લોપ રહી છે. ત્યારે જો 'રક્ષાબંધન' ફ્લોપ રહેશે તો અક્ષય કુમારની ફ્લોપ ફિલ્મોનું લિસ્ટ લાંબું થઈ જશે! આમિર ખાને બોક્સ ઓફિસ પર 4 વર્ષ પછી કમબેક કર્યું છે. 'લાલ સિંહ ચઢ્ઢા' માટે આમિર ખાને ઘણાં વર્ષો આપ્યા છે. ક્રિટિક્સે 'લાલ સિંહ ચઢ્ઢા'ની પ્રશંસા કરી છતાં કમાણી મામલે હવે આમિર ખાનની ચિંતા પણ વધી રહી છે. આમિર ખાનની ફિલ્મ 'ઠગ્સ ઓફ હિન્દુસ્તાન' ફ્લોપ રહી હતી. ત્યારે 'લાલ સિંહ ચઢ્ઢા' હવે આમિર ખાનના કરિયર માટે મહત્વની ફિલ્મ છે.
Laal Singh Chaddha Movie Review: મેકર્સે Forrest Gumpને આપ્યો પૂરતો ન્યાય, પરિવાર સાથે જોવા જેવી છે Aamir Khanની આ ફિલ્મ
જો 'લાલ સિંહ ચઢ્ઢા' અને 'રક્ષાબંધન' ફ્લોપ જાય તો?

જો 'લાલ સિંહ ચઢ્ઢા' અને 'રક્ષાબંધન' ફ્લોપ જાય તો સૌથી વધારે નુકસાન કોને થશે? અદ્વેત ચંદનના ડિરેક્શનમાં બનેલી ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા'નું બજેટ 180 કરોડ રૂપિયા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે જ્યારે આનંદ એલ રાયના ડિરેક્શનમાં બનેલી ફિલ્મ 'રક્ષાબંધન'નું બજેટ 70 કરોડ રૂપિયા સુધીનું જણાવાઈ રહ્યું છે. ત્યારે જો 'લાલ સિંહ ચઢ્ઢા' અને 'રક્ષાબંધન' ફ્લોપ જાય તો બહું મોટું નુકસાન થઈ શકે છે.
Raksha Bandhan Movie Review: દહેજ જેવી કુપ્રથા સામે લડતાં એક ભાઈની કહાણી કરશે ભાવુક
રિપોર્ટમાં કહેવાયું છે કે 'લાલ સિંહ ચઢ્ઢા'ના લગભગ 1300 શૉ ઓછા કરવામાં આવ્યા છે જ્યારે 'રક્ષાબંધન'ના 1000 શૉ ઓછા કરવામાં આવ્યા છે. તેમ છતાં મલ્ટિપ્લેક્સમાં હજુ પણ 'લાલ સિંહ ચઢ્ઢા'ના શૉમાં થોડા ઘણાં દર્શકો આવી રહ્યા છે પણ 'રક્ષાબંધન'ને કેટલાંક મલ્ટિપ્લેક્સમાં નો-શૉનો સામનો કરવો પડી રહ્યો છે. મતલબ કે એકપણ દર્શક 'રક્ષાબંધન' જોવા પહોંચ્યો નથી! 'લાલ સિંહ ચઢ્ઢા' સમગ્ર દેશમાં 3500 સ્ક્રીન્સ પર રિલીઝ થઈ હતી જ્યારે 'રક્ષાબંધન' 2500 સ્ક્રીન્સ પર રિલીઝ થઈ.
લેખક વિશે
નિલય ભાવસાર
નિલય ભાવસાર છેલ્લા સાડા ચાર વર્ષથી ડિજિટલ પત્રકારત્વ ક્ષેત્રે જોડાયેલ છે. અગાઉ પ્રિન્ટ મીડિયમ અને ઈસરોમાં પણ કામ કર્યું છે. ગુજરાત યુનિવર્સિટીમાંથી માસ્ટર્સ ઈન ડેવલપમેન્ટ કમ્યુનિકેશનનો અભ્યાસ કર્યો છે. અનુવાદની પ્રક્રિયામાં વધારે રુચિ છે.... વધુ વાંચો

Read Next Story