એપશહેર

લતા મંગેશકરે રાનૂ મંડલને આપેલી સલાહથી ફેન્સ થયા નારાજ, કહ્યું- 'તેમણે થોડી...'

શિવાની જોષી | IANS 5 Sep 2019, 11:26 am
સૂર સામ્રાજ્ઞી લતા મંગેશકરે થોડા દિવસ પહેલા ઈન્ટરનેટ સ્ટાર રાનૂ મંડલને સલાહ આપી હતી. રાનૂ મંડલનો ‘એક પ્યાર કા નગમા હૈ’ ગીત ગાતો વીડિયો વાયરલ થયો ત્યારથી તેના અવાજને લતા મંગેશકર જેવા કહેવાઈ રહ્યો છે! ત્યારે રાનૂ મંડલના અવાજ અને તેના ગીત પર પ્રતિક્રિયા આપતાં લતા મંગેશકરે તેને સલાહ ‘ઓરિજિનલ’ બનવાની સલાહ આપી હતી. જો કે, રાનૂના ફેન્સને લતા દીદીની આ સલાહ પસંદ નથી આવી. સોશિયલ મીડિયા યૂઝર્સે કહ્યું કે, લતા મંગેશકર આ વાત થોડી વિનમ્રતાથી કહી શક્યા હોત.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો
ફેન્સની પ્રતિક્રિયાએક યૂઝરે ટ્વિટર પર લખ્યું, “આટલા મોટાં સુપરસ્ટાર અને આટલા અવિનયી.” અન્ય યૂઝરે લખ્યું, “એક ગરબી મહિલા જીવનનિર્વાહ માટે રેલવે સ્ટેશન પર ગીત ગાતી હતી. અચાનકથી તેનો અવાજ સોશિયલ મીડિયા પર લોકોના ધ્યાને ચડ્યો અને તે સ્ટાર બની ગઈ. લતાજી થોડા વધારે વિનમ્ર થઈને તેમની પ્રશંસા અને મદદ કરી શક્યા હોત. નકલ કરવાવાળી વાત સામે આંખ આડા કાન કરી શકાયા હોત.”
ફેન્સની પ્રતિક્રિયાએક યૂઝરે લતા મંગેશકરની પ્રતિક્રિયા સાથે અસંમતિ વ્યક્ત કરી તેમના શબ્દોને ‘કઠોર’ ગણાવ્યા. પશ્ચિમ બંગાળના રાણઘાટ રેલવે સ્ટેશન પર લતા મંગેશકરે ગાયેલું ગીત ‘એક પ્યાર નગમા હૈ’ ગાઈને રાનૂ મંડલ રાતોરાત ફેમસ થઈ ગઈ હતી. સોશિયલ મીડિયા પર લોકો તેના અવાજના ચાહક થઈ ગયા. હિમેશ રેશમિયાએ રિયાલિટી શોમાં રાનૂ મંડલને ફિલ્મ માટે ગીત ગવડાવવાનું વચન આપ્યું. હિમેશે વચન પાળતા રાનૂ પાસે તેની આગામી ફિલ્મ માટે ત્રણ ગીત રેકોર્ડ કરાવ્યા.ઉલ્લેખનીય છે કે, રાનૂ વિશે વાત કરતાં લતા મંગેશકરે કહ્યું હતું કે, “જો મારા નામ અને કામથી કોઈનું ભલું થતું હોય તો હું મારી જાતને નસીબદાર સમજીશ. પરંતુ મને લાગે છે કે કોઈની નકલ કરવી લાંબા સમય સુધી સફળતા ન અપાવી શકે. મારા, કિશોર દા, રફી સાહેબ, મુકેશ ભૈયા અને આશાના ગીતો ગાઈને કોઈપણ સિંગર થોડા સમય માટે લોકોનું ધ્યાન ખેંચી શકે છે પરંતુ આ ફેમ લાંબો સમય નહીં ટકે.”વાંચો, રાનુ મંડલની દીકરીનો ચોંકાવનારો ખુલાસોઃ મારી માતા માનસિક રીતે અસ્થિર છેલતા મંગેશકરે નવા સિંગર્સને સલાહ આપતા કહ્યું, “હંમેશા ઓરિજિનલ રહેવું જોઈએ. કોઈપણ સિંગરના એવરગ્રીન સોન્ગ ગાવ પણ પોતાની સ્ટાઈલમાં ગાવ. જો આશા ભોસલે પોતાની ગાવાની સ્ટાઈલ વિકસિત ના કરત તો તે ક્યારેય સફળ ના થાત અને માત્ર મારો પડછાયો બનીને રહી જાત.”નવો મોટર વ્હીકલ એક્ટ લાગુ થતાં જ સોશિયલ મીડિયા પર આવ્યું Memesનું પૂર
લેખક વિશે
શિવાની જોષી
શિવાની જોષી છેલ્લા સાત વર્ષથી વધુ સમય કરતાં પત્રકારત્વના ક્ષેત્રમાં છે. કારકિર્દીની શરૂઆતથી જ તેઓ ન્યૂઝ એડિટિંગના કામનો અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાંથી ગ્રેજ્યુએશન (બીકોમ) કર્યું છે. ત્યારબાદ ગુજરાત યુનિવર્સિટીના જ માસ કમ્યુનિકેશન, જર્નાલિઝમ એન્ડ પબ્લિક રિલેશન ડિપાર્ટમેન્ટમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી અને પત્રકારત્વના ક્ષેત્રે જોડાયા. તેઓ વીટીવી ન્યૂઝ, એબીપી અસ્મિતા જેવી ન્યૂઝ ચેનલ સાથે કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો