એપશહેર

આખરે બોલિવૂડની ઝાકમઝોળથી દૂર કેમ થઈ ગયા ‘ઓ સનમ’ ફેમ સિંગર Lucky Ali?

90ના દશકમાં અનેક સુપરહિટ ગીતો આપનારા સિંગર લકી અલીનો આજે જન્મદિવસ છે. લકી અલીએ ઓ સનમ, આ ભી જા સહિત અનેક સુપરહિટ ગીતો આપ્યા છે. આજે પણ લકી અલીના ગીતોને લોકોની પ્લેલિસ્ટમાં સ્થાન મળે છે. પરંતુ આ સિંગરે ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડવાનો ચોંકાવનારો નિર્ણય લીધો હતો અને પાછળથી કારણનો પણ ખુલાસો આપ્યો હતો.

Edited byZakiya Vaniya | TNN 19 Sep 2022, 12:21 pm
90ના દશકમાં એવા ઘણાં સિંગર્સ હતા જેમના ગીતો આજે પણ યાદગાર છે. તે સમયના ગીતો આજે પણ લોકોની પ્લેલિસ્ટમાં સ્થાન ધરાવે છે. વર્તમાન પેઢીના લોકો પણ શોખથી તે સંગીતનો આનંદ માણતા હોય છે. તેમાંના એક સિંગર છે, લકી અલી(Lucky Ali). ઓ સનમ, આ ભી જા, ગોરી તેરી આંખે વગેરે જેવા અનેક બ્લોકબસ્ટર ગીતો આપનારા લકી અલીએ વર્ષો સુધી ફિલ્મ અને સંગીતના શોખીનોના દિલો પર રાજ કર્યું. આજે લકી અલીનો 64મો જન્મદિવસ(Lucky Ali Birthday) છે. લકી અલીએ 90ના દશકમાં ઈન્ડીપોપ મ્યુઝિકનો જાદૂ યુથ પર પાથર્યો હતો. લકી અલીએ મ્યુઝિક આલ્બમ સુનો સાથે સિંગિંગ કરિયરની શરુઆત કરી હતી. આજે તો બોલિવૂડની ઝાકમઝોળથી દૂર ગોવામાં જીવન પસાર કરે છે. પરંતુ શક્ય હોય ત્યારે લાઈન પર્ફોમન્સ કરતા રહે છે.
I am Gujarat Lucky Ali
અત્યારે ગોવામાં રહે છે લકી અલી.


પ્રેગ્નેન્સીમાં કામ કરતી Alia Bhattની ટીકા કરતાં લોકોને Ranbir Kapoorએ આપ્યો જવાબ, કહ્યું- 'તેઓ ઈર્ષ્યા કરે છે'
લકી અલી ફેમસ એક્ટર-કોમેડિયન મહમૂદના દીકરા છે. લકી અલીને પ્રથમ આલ્બમ પછી જ અનેક અવોર્ડ્સ મળી ગયા હતા. તેમણે અનેક બોલિવૂડ ફિલ્મો માટે પણ હિટ ગીતો આપ્યા હતા. લકી અલીએ અન્ય સિંગર્સને જબરદસ્ત ટક્કર આપી હતી. પરંતુ વર્ષ 2015માં એકાએક બોલિવૂડ માટે ગાવાનું છોડી દીધુ હતું. તેમનો આ નિર્ણય ઈન્ડસ્ટ્રીના લોકો તેમજ ફેન્સ માટે ચોંકાવનારો હતો. ફેન્સ સમજી નહોતા શકતા કે આખરે એવુ તો શું થયું કે તેમણે બોલિવૂડથી દૂર થવાનો નિર્ણય લેવો પડ્યો.

શું હતું કારણ?

લકી અલીએ વર્ષ 2017માં આ વિશે ખુલીને વાત કરી હતી. તેમણે એક ઈન્ટર્વ્યુમાં જણાવ્યું કે, અહીં અસભ્યતા ઘણી વધી ગઈ છે. બોલિવૂડ હવે બદલાઈ ગયું છે. આજકાલ જે ફિલ્મો બની રહી છે તેમાં પ્રેરણા નથી અને મને લાગે છે કે આ પ્રકારની ફિલ્મોમાં શીખવા માટે કંઈ નથી. આજકાલ જે ફિલ્મો બની રહી છે તે સમાજ પર નકારાત્મક પ્રભાવ કરી રહી છે. લોકો હિંસક બની રહ્યા છે, કારણકે લોકો ફિલ્મોમાં જે બતાવવામાં આવી રહ્યું છે તેનાથી પ્રેરિત થઈ રહ્યા છે. મને લાગે છે ફિલ્મોના માધ્યમથી વધારે લાલચ અને ઓછી ધીરજને પ્રમોટ કરવામાં આવી રહી છે.

આ પહેલા પણ લકી અલીએ એક વાતચીત દરમિયાન કહ્યુ હતું કે, હવે બોલિવૂડમાં મારા માટે કંઈ બાકી નથી રહ્યું. અબ્બાના નિધન પછી મારા માટે અહીં બધું સમાપ્ત થઈ ગયું છે. હું ખુશ છું કે હું બોલિવૂડનો ભાગ નથી કારણકે અહીં સન્માન ઓછું અને અનાદર વધારે છે, અપમાન વધારે છે. ઉલ્લેખનીય છે કે લકી અલીના માતા અભિનેત્રી મીના કુમારીના બહેન હતા.

Read Latest Entertainment News And Gujarati News

Read Next Story