એપશહેર

સની લિયોનીનું વિવાદિત સોંગ 'મધુબન' થશે રિપ્લેસ, વધી રહેલા વિવાદ બાદ લેવાયો નિર્ણય

સારેગામાએ સ્ટેટમેન્ટ જાહેર કર્યુ છે કે દેશવાસીઓની ભાવના જોતા ગીત મધુબનમાં રાધિકા નાચેનું નામ બદલી દઈશું. આગામી બે ત્રણ દિવસમાં નવું સોંગ તમામ પ્લેટફોર્મ પર જૂના ગીતની જગ્યા લઈ લેશે

I am Gujarat 26 Dec 2021, 8:16 pm

હાઈલાઈટ્સ:

  • સની લિયોનીના સોંગ મધુબનમાં રાધિકા નાચેને લઈને સારેગામાએ નિવેદન જાહેર કર્યુ
  • દેશવાસીઓની ભાવનાઓને ધ્યાનમાં રાખીને મધુબનનું નામ બદલી દઈશું
  • આગામી બે ત્રણ દિવસમાં નવું સોંગ જૂના સોંગની જગ્યા લઈ લેશે
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat sunny
સની લિયોનીના સોંગ મધુબનમાં રાધિકા નાચે હાલ ચર્ચાનો વિષય બન્યો છે. વાત એવી છે કે, આ ગીતને લઈને ખૂબ જ વિવાદ થઈ રહ્યો છે. સારેગામાએ એક સેગમેન્ટ જાહેર કરીને આ સોંગને હટાવવાની વાત કરી છે. મધ્ય પ્રદેશના ગૃહ મંત્રી નરોત્તમ મિશ્રાએ કહ્યું હતું કે, ત્રણ દિવસમાં સોશિયલ મીડિયામાંથી ન હટાવ્યું તો સની લિયોની અને શાકિબ તોશી વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી થશે. ઉલ્લેખનીય છે કે, સની લિયોનીનું આ સોંગ 22 ડિસેમ્બરના રોજ રિલીઝ થયું હતું. આ સોંગમાં કનિકા કપૂર અને અરિંદમ ચક્રવર્તીએ પોતાનો અવાજ આપ્યો ચે.
સની લિયોનીના સોંગ મધુબનમાં રાધિકા નાચેને લઈને સારેગામાએ ઓફિશિયલી સ્ટેટમેન્ટ જાહેર કર્યું છે. સ્ટેટમેન્ટમાં કહ્યું છે કે, તાજેતરમાં મળેલા ફિડબેક અને અમારા દેશવાસીઓની ભાવનાને ધ્યાનમાં રાખીને મધુબનનું નામ બદલી દઈશું. નવું સોંગ આગામી બેથી ત્રણ દિવસમાં જૂના સોંગની જગ્યા લઈ લેશે.
મુંબઈમાં ભોજપુરી એક્ટ્રેસ આપઘાત કેસમાં ચોંકાવનારો ખુલાસો, બે નકલી NCB ઓફિસર ઝડપાયા
આ પહેલાં મધ્ય પ્રદેશના ગૃહ મંત્રી નરોત્તમ મિશ્રાએ રવિવારે કહ્યું કે, સની લિયોની અને શાકિબ તોશીએ માફી માગીને પોતાનું સોંગ મધુબનમાં રાધિકા નાચે ત્રણ દિવસસમાં સોશિયલ મીડિયાથી ન હટાવ્યું તો બંને વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

નરોત્તમ મિશ્રાએ કહ્યું કે, કેટલાંક વિધર્મી સતત હિન્દુ ભાવનાઓને નુકસાન પહોંચાડી રહ્યા છે. રાધા મા અમારા ભગવાન છે. આ સિવાય દેશમાં રાધા મંદિર છે. મા રાધાની પૂજા થાય છે. શુ શાકિબ તોશી આવું એકાદ ગીત પોતાના ધર્મ પર બનાવી શકે છે. અમારા ધર્મની આસ્થા અને અમારા ધર્મને નુકસાન ચોક્કસ પહોંચાડે છે. હું સની લિયોની અને શાકિબ તોશીને સૂચના આપું છું કે, સમજે અને સાવચેતી રાખે. હું કાયદાકીય નિષ્ણાંતોની સલાહ લઈશ. જો ત્રણ દિવસમાં બંનેએ માફી માગીને ગીત ન હટાવ્યું તો બંને વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
સલમાન ખાને 'ટાઈગર-3'ના શૂટિંગમાંથી લીધો બ્રેક, કરશે બર્થ-ડેની જોરદાર ઉજવણી
તો મથુરાના સંતોએ પણ આ સોંગને બેન કરવાની માગ કરી છે. તેઓનું કહેવું છે કે, જો સોંગને ન હટાવ્યું તો તેઓ કોર્ટમાં જશે. વૃંદાવનના સંત નવલ ગિરિ મહારાજે સોંગને લઈને નારાજગી વ્યક્ત કરી છે અને સોંગને બેન કરવાની માગ કરી છે. તેઓએ કહ્યું કે, જો એક્ટ્રેસ વિરૂદ્ધ કાર્યવાહી ન થઈ અને સોંગ પર પ્રતિબંધ ન લગાવ્યો તો કોર્ટનો દરવાજો ખખડાવામાં આવશે. તેઓએ એવું પણ કહ્યું કે, સની લિયોનીને ભારતમાં રહેવાની મંજૂરી પણ ન આપવી જોઈએ, જ્યાં સુધી જાહેરમાં માફી ન માગી લે.

મહત્વનું છે કે, સની લિયોનીનું સોંગ મધુબનમાં રાધિકા નાચે રિલીઝ થયા બાદ સોશિયલ મીડિયા યૂઝર્સ નારાજ છે અને વીડિયોને યુટ્યુબથી હટાવવાની માગ કરી રહ્યા છે. યૂઝર્સનું કહેવું છે કે, હિન્દુઓની ભાવનાઓને નુકસાન પહોંચાડ્યું છે.

Read Next Story