એપશહેર

સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે મહેશ ભટ્ટે નોંધાવ્યું નિવેદન, 2 કલાક સુધી થઈ પૂછપરછ

સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે પોલીસ બોલિવુડના દિગ્ગજોની પણ પૂછપરછ કરી રહી છે. આદિત્ય ચોપરા અને સંજય લીલા ભણસાલી બાદ આજે મુંબઈ પોલીસે ફિલ્મમેકર મહેશ ભટ્ટનું પણ નિવેદન નોંધ્યું છે.

I am Gujarat 27 Jul 2020, 3:35 pm
સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે પોલીસ બોલિવુડના દિગ્ગજોની પણ પૂછપરછ કરી રહી છે. આદિત્ય ચોપરા અને સંજય લીલા ભણસાલી બાદ આજે મુંબઈ પોલીસે ફિલ્મમેકર મહેશ ભટ્ટનું પણ નિવેદન નોંધ્યું છે.
I am Gujarat mahesh bhatt record his statement in sushant singh rajput case
સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે મહેશ ભટ્ટે નોંધાવ્યું નિવેદન, 2 કલાક સુધી થઈ પૂછપરછ


મહેશ ભટ્ટે નોંધાવ્યું નિવેદન

બોલિવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતની મોતના મામલે મુંબઈ પોલીસ તપાસ કરી રહી છે. બોલિવુડના મોટા માથાની પણ આ કેસમાં પૂછપરછ થઈ રહી છે. સોમવારે પોલીસે બોલિવુડના જાણીતા પ્રોડ્યુસર અને ડાયરેક્ટર મહેશ ભટ્ટની પૂછપરછ કરી હતી. સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે મહેશ ભટ્ટ પોતાનું નિવેદન નોંધાવવા માટે મુંબઈના સાંતાક્રૂઝ (વેસ્ટ) પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. મહેશ ભટ્ટ સિવાય ધર્મા પ્રોડક્શનના CEO અપૂર્વ મહેતાની પણ પૂછપરછ થવાની છે.

સાંતાક્રૂઝ પોલીસ સ્ટેશનમાં નોંધાવ્યું નિવેદન

મહત્વનું છે કે, થોડા દિવસ પહેલા એક્ટ્રેસ કંગના રણૌતે એક ટીવી ઈન્ટરવ્યૂમાં આદિત્ય ચોપરા, કરણ જોહર અને મહેશ ભટ્ટ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. કંગનાનો દાવો છે કે, બોલિવુડમાં સુશાંત જૂથવાદનો ભોગ બન્યો હતો. જેના કારણે તે ડિપ્રેશનમાં આવી ગયો હતો. 14 જૂને સુશાંતના મોત બાદ અત્યાર સુધીમાં પોલીસ આદિત્ય ચોપરા, સંજય લીલા ભણસાલી, રૂમી જાફરી, રાજીવ મસંદ, સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી સહિત ઘણાં લોકોના નિવેદન નોંધી ચૂકી છે.

પોલીસ સ્ટેશનની બહાર મહેશ ભટ્ટ

મહેશ ભટ્ટ

મહેશ ભટ્ટ

મહેશ ભટ્ટ

મહેશ ભટ્ટ

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો