એપશહેર

આજથી શરુ થશે Drishyam 2નું એડવાન્સ બુકિંગ, દિવાળી ટાણે મેકર્સ આપી રહ્યા છે ડિસ્કાઉન્ટ

અજય દેવગણની સુપરહિટ ફિલ્મ દ્રશ્યમનો બીજો ભાગ રીલિઝ થવાનો છે અને ફેન્સ ઘણાં જ ઉત્સુક છે. વિજલ સલગાંવકરનો પરિવાર ફરી એકવાર બચી જશે કે પછી આ વખતે તેમણે જેલના સળિયા પાછળ જવુ પડશે, તે જોવાની વાત છે. આજથી ફિલ્મનું એડવાન્સ બુકિંગ શરુ થવાનુ છે. અને દિવાળી ટાણે મેકર્સ ડિસ્કાઉન્ટ પણ આપી રહ્યા છે.

Edited byZakiya Vaniya | TNN 24 Oct 2022, 12:40 pm
I am Gujarat drishyam 2
અજય દેવગણની ફિલ્મ માટે મેકર્સ આપી રહ્યા છે છૂટ.

વિજય સલગાંવકર પોતાના પરિવાર સાથે વધુ એક એડવેન્ચર લઈને આવવા માટે તૈયાર છે. ઉલ્લેખનીય છે કે અજય દેવગણ સ્ટારર ફિલ્મ દ્રશ્યમ 2 સિનેમાઘરોમાં રીલિઝ થવાની તૈયારીમાં છે. ફિલ્મના પ્રથમ ભાગને લોકોએ ખૂબ પસંદ કર્યો હતો. ઘણાં સમયથી તેના બીજા ભાગની ચર્ચા ચાલી રહી હતી, તેવામાં તહેવારોના દિવસોમાં હવે જ્યારે તે રીલિઝ થવા જઈ રહ્યો છે ત્યારે દર્શકો ઘણાં ઉત્સુક છે. લોકોને ફિલ્મ પાસેથી ઘણી અપેક્ષાઓ છે. ફિલ્મ બોક્સઓફિસ પર સારું પ્રદર્શન કરશે તેવી પણ શક્યતા વ્યક્ત થઈ રહી છે. તેવામાં મેકર્સે દિવાળી બોનસ આપીને ફેન્સને ખુશ કરી દીધા છે.

દ્રશ્યમ 2 માટે આજથી એડવાન્સ બૂકિંગની શરુઆત થવાની છે. મેકર્સે દિવાળી બોનસ તરીકે ડિસ્કાઉન્ટની ઓફર આપી છે. જાહેરાત અનુસાર જો 24મી અને 25મી ઓક્ટોબર એટલે કે આજે અને આવતીકાલે ટીકિટ બૂક કરવામાં આવશે તો 25 ટકાની છૂટ આપવામાં આવશે. માટે જો તમે અજય દેવગણના ફેન હોવ અથવા તો આ ફ્રેન્ચાઈઝ માટે ઉત્સુક છો તો આ ઓફરનો લાભ લઈ શકો છો.

વધુ પૈસા કમાવવા માટે કેનેડામાં ટોઈલેટ સાફ કરતો હતો સિંગર Gippy Grewal, પત્ની સાથે ઘરે-ઘરે ન્યૂઝપેપર પણ આપવા જતો
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ અહેવાલ સામે આવ્યો હતો કે, દ્રશ્યમ 2ના મેકર્સે ફિલ્મને વ્હાઈટ કોલર પાઈરસીથી બચાવવા માટે ગોલ્ડમાઈન્સ ટેલીફિલ્મ્સના માલિક મનિષ શાહને લગભગ 2.3 કરોડ રુપિયા ચૂકવ્યા છે. તમને જણાવી દઈએ કે દ્રશ્યમ 2ને Viocom 18 સ્ટુડિયો દ્વારા પ્રેઝન્ટ કરવામાં આવશે. ગુલશન કુમાર, ટી-સીરિઝ અને પૈનોરેમા સ્ટુડિયોઝ, ભૂષણ કુમાર, કુમાર મંગત પાઠક, અભિષેક પાઠક અને કૃષ્ણ કુમારે તેને પ્રોડ્યુસ કરી છે.

કેમ રવીના ટંડન સેકન્ડ હેન્ડ ગાડીઓ ખરીદતી અને ઘરની બધી કારનો છે એક જ નંબર!
અભિષેક પાઠકના ડાઈરેક્શનમાં બનેલી આ ફિલ્મ 18મી નવેમ્બરના રોજ સિનેમાઘરોમાં રીલિઝ થવાની છે. દ્રશ્યમ 2 પોપ્યુલર એક્ટર મોહનલાલની મલયાલમ ફિલ્મની રીમેક છે. પરંતુ અજય દેવગણે જણાવ્યું કે, હિન્દી ઓડિયન્સને આમાં કંઈક અલગ મળશે. નવા પાત્રો પણ ઉમેરવામાં આવ્યા છે. ફિલ્મમાં અજય દેવગણની સાથે તબુ, શ્રિયા સરન, અક્ષય ખન્ના, ઈશિતા દત્તા, મૃણાલ જાધવ અને રજત કપૂર જોવા મળશે. ફિલ્મના પ્રથમ ભાગમાં તમે જોયું હશે કે વિજય સલગાંવકરની પત્ની અને દીકરી ભૂલથી તબૂના દીકરાની હત્યા કરી નાખે છે. પોતાના પરિવારને બચાવવા માટે વિજય કંઈ પણ કરવા તૈયાર છે. તે સમયે તો તે બચી જાય છે, પરંતુ હવે ફરી એકવાર તે કેસ ઓપન થાય છે.

Read Next Story