એપશહેર

કાર્તિકે આપી હતી ધમકી, જો અલ્લુ અર્જુનની આ ફિલ્મ હિન્દીમાં રિલીઝ થઈ તો છોડી દેશે 'શહેઝાદા'

'શહેઝાદા'ની વાર્તા પણ 'અલા વૈકુંઠપુરમલો' ફિલ્મની જ છે. મેકર્સને એવો ડર હતો કે જો 'અલા વૈકુંઠપુરમલો' હિન્દીમાં રિલીઝ થશે તો કાર્તિકની ફિલ્મ પર ખરાબ અસર થશે.

I am Gujarat 25 Jan 2022, 1:01 pm

હાઈલાઈટ્સ:

  • તેલુગુ ફિલ્મ 'અલા વૈકુંઠપુરમલો'ના હિન્દી વર્ઝનને થિયેટર્સમાં રિલીઝ કરવાનો નિર્ણય 'શહેઝાદા'ના પ્રોડ્યુસર્સને યોગ્ય લાગ્યો નહીં.
  • કારણકે, તેઓને ડર હતો કે જો 'અલા વૈકુંઠપુરમલો' હિન્દીમાં રિલીઝ થઈ તો તેમના બિઝનેસ પર અસર થશે.
  • મનીષ શાહે જણાવ્યું કે 'શહેઝાદા'ના પ્રોડ્યુસર 'અલા વૈકુંઠપુરમલો'નું હિન્દી વર્ઝન થિયેટર્સમાં રિલીઝ કરવા માટે તૈયાર થયા નહીં.

હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat pablo (1)
'પુષ્પા' બાદ એક્ટર અલ્લુ અર્જુનની વધુ એક ફિલ્મ 'અલા વૈકુંઠપુરમલો'નું પણ હિન્દી વર્ઝન 26 જાન્યુઆરીએ થિયેટર્સમાં રિલીઝ થવાનું હતું. જેના હિન્દી વર્ઝનના રાઈટ્સ પ્રોડ્યુસર મનીષ શાહ પાસે હતા, તેઓ અલ્લુ અર્જુનની ફિલ્મ 'અલા વૈકુંઠપુરમલો'નું હિન્દી વર્ઝન થિયેટર્સમાં રિલીઝ કરવાની આશા વ્યક્ત કરી રહ્યા હતા. પણ, બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યને ધમકી આપી કે જો અલ્લુ અર્જુનની ફિલ્મ 'અલા વૈકુંઠપુરમલો' હિન્દીમાં રિલીઝ થઈ તો તે બોલિવૂડ ફિલ્મ 'શહેઝાદા' છોડી દેશે. કારણકે, 'શહેઝાદા'ની વાર્તા પણ 'અલા વૈકુંઠપુરમલો' ફિલ્મની જ છે. તેવામાં મેકર્સને એવો ડર હતો કે જો 'અલા વૈકુંઠપુરમલો' હિન્દીમાં રિલીઝ થશે તો કાર્તિક આર્યનની ફિલ્મ પર ખરાબ અસર થશે.
એક ન્યૂઝ વેબસાઈટ સાથેની વાતચીતમાં પ્રોડ્યુસર મનીષ શાહે જણાવ્યું કે એક્ટર કાર્તિક આર્યને ફિલ્મ છોડવાની ધમકી આપી હતી. વાત જાણે એમ છે કે તેલુગુ ફિલ્મ 'અલા વૈકુંઠપુરમલો'ના હિન્દી વર્ઝનને થિયેટર્સમાં રિલીઝ કરવાનો નિર્ણય 'શહેઝાદા'ના પ્રોડ્યુસર્સને યોગ્ય લાગ્યો નહીં. કારણકે, તેઓને ડર હતો કે જો 'અલા વૈકુંઠપુરમલો' હિન્દીમાં રિલીઝ થઈ તો તેમના બિઝનેસ પર અસર થશે. મનીષ શાહે જણાવ્યું કે 'શહેઝાદા'ના પ્રોડ્યુસર 'અલા વૈકુંઠપુરમલો'નું હિન્દી વર્ઝન થિયેટર્સમાં રિલીઝ કરવા માટે તૈયાર થયા નહીં.
ઢાળની પોળના રહેવાસીઓને ફિલ્મના શૂટિંગથી શું વાંધો પડ્યો કે પોલીસમાં કરી અરજી
પ્રોડ્યુસરે વધુમાં જણાવ્યું કે જો કાર્તિક આર્યને અધવચ્ચે ફિલ્મ છોડી દીધી તો તેના પ્રોડ્યુસર્સને આશરે 40 કરોડનું નુકસાન થશે. માટે મેં 'અલા વૈકુંઠપુરમલો'નું હિન્દી વર્ઝન થિયેટરમાં રિલીઝ કરવાનો વિચાર માંડી વાળ્યો. આવું કરતા મને 20 કરોડનું નુકસાન થયું કારણકે 2 કરોડ માત્ર હિન્દી ડબિંગ માટે ખર્ચ્યા હતા. હવે 'અલા વૈકુંઠપુરમલો'ના હિન્દી વર્ઝનને ટીવી પર રિલીઝ કરી રહ્યો છું.

એક્ટર અલ્લુ અર્જુનની 'અલા વૈકુંઠપુરમલો' 2020માં રિલીઝ થઈ હતી. જે તેલુગુ છે અને સુપરહિટ રહી હતી. પણ, 'પુષ્પા' હિટ થતાં 'અલા વૈકુંઠપુરમલો'ને હિન્દી ડબ કરીને થિયેટરમાં રિલીઝ કરવાનો નિર્ણય લીધો હતો. પણ, બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યનની ધમકી અને 40 કરોડના કારણે હવે 'અલા વૈકુંઠપુરમલો'ના હિન્દી વર્ઝનને થિયેટરમાં રિલીઝ નહીં કરવામાં આવે. કારણકે, 'અલા વૈકુંઠપુરમલો'ની વાર્તાવાળી હિન્દી ફિલ્મ 'શહેઝાદા'ના ડિરેક્ટર ડેવિડ ધવન છે. જે 2022માં થિયેટર્સમાં રિલીઝ કરવાની તૈયારી છે.

Read Next Story