એપશહેર

સુશાંત સિંહ રાજપૂતની ટ્રિટમેન્ટ કરી રહેલા મનોચિકિત્સકની 9 કલાક લાંબી પૂછપરછ કરાઈ

Yogesh Gajjar | I am Gujarat 18 Jul 2020, 9:56 am
I am Gujarat mumbai police interrogate dr kersi chavda on sushant singh rajput case
સુશાંત સિંહ રાજપૂતની ટ્રિટમેન્ટ કરી રહેલા મનોચિકિત્સકની 9 કલાક લાંબી પૂછપરછ કરાઈ


સુશાંતની ટ્રિટમેન્ટ કરનારા મનોચિકિત્સકની પૂછપરછ

બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના નિધનને એક મહિનો થઈ ગયો. પરંતુ પોલીસની તમામ લોકોને હજુ સુધી પૂછપરછ ચાલુ છે. પોલીસ હજુ પણ એક્ટરના આપઘાતનું કારણ જાણવાનો પ્રયાસ કરી રહી છે. આ મામલે પોલીસે હવે સુશાંતના મનોચિકિત્સક ડો. કેરસી ચાવડાની પૂછપરછ કરી.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

9 કલાક સુધી કરાઈ પૂછપરછ

શુક્રવારે મુંબઈ પોલીસે સુશાંત સિંહ રાજપૂતના મનોચિકિત્સક ડો. કેરસી ચાવડાની 9 કલાક લાંબી પૂછપરછ કરી. રિપોર્ટ મુજબ, પોલીસ જાણવાનો પ્રયાસ કરી રહી હતી કે સુશાંતની ટ્રિટમેન્ટ કેવી રીતે કરવામાં આવી રહી હતી, તેને કઈ દવાઓ અપાઈ રહી હતી અને સૌથી મોટો સવાલ કે તેની તબિયત કેવી હતી. પોલીસે આ તમામ મુદ્દાઓ પર ડોક્ટર સાથે વિસ્તારથી પૂછપરછ કરી.

અન્ય એક મનોચિકિત્સકને પણ પૂછાયા સવાલ

પોલીસે સુશાંતના વધુ એક મનોચિકિત્સકને પણ પૂછપરછ માટે બોલાવ્યા હતા. તેમના પાસેથી પણ સુશાંતની સ્થિતિ વિશે જાણવાનો પ્રયાસ કરાયો. અત્યાર સુધી પોલીસે આ પૂછપરછને લઈને કોઈ ઔપચારિક નિવેદન આપ્યું નથી.

અત્યાર સુધી 37 લોકોના નિવેદન નોંધ્યા

ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા બોલિવૂડની મોટી ટેલેન્ટ મેનેજર રેશ્મા શેટ્ટીની પણ 5 કલાક સુધી પૂછપરછ કરાઈ હતી. રેશ્માએ બોલિવૂડના દિગ્ગજ સલમાન ખાન, આલિયા ભટ્ટ, અક્ષય કુમાર જેવા સેલેબ્સના એકાઉન્ટ હેન્ડલ કર્યા છે. રેશ્માના કારણે જ સલમાનને બિગ બોસ જેવો મોટો શો મળ્યો હતો. એવામાં સુશાંતના મામલામાં તેનું નિવેદન મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું હતું. અત્યાર સુધી પોલીસે 37 લોકોની પૂછપરછ કરી છે.

Read Next Story