એપશહેર

સુશાંત સિંહ રાજપૂત કેસ : હવે મુંબઈ પોલીસ અને સાયકાટ્રિસ્ટ પર વિફરી કંગના રનોટ

Shailesh Thakkar | I am Gujarat 21 Jul 2020, 5:54 pm

સુશાંત સિંહ રાજપૂતના મોત બાદથી જ સોશિયલ મીડિયા પર તેના માટે માત્ર સામાન્ય ફેન્સ જ નહીં પરંતુ બોલિવૂડ સ્ટાર પણ સતત કઈક ને કઈક કહી રહ્યા છે. જોકે, બધા તેના માટે CBI તપાસની ડિમાન્ડ કરી રહ્યા છે. હવે કંગના રનોટની એક ટ્વીટ ફરી એકવાર ચર્ચામાં છે, જેમાં તેણે સુશાંત સિંહ રાજપૂતની મેડિકલ હિસ્ટ્રી સામે આવવા અંગે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે.

જણાવી દઈએ કે, સુશાંતની મોત અંગે મુંબઈ પોલીસ હજુ પણ તપાસ કરી રહી છે અને સતત આ મામલે સંબંધિત લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. કંપનીએ પોતાની ટ્વીટમાં મુંબઈ પોલીસ અને સાઈકાટ્રિસ્ટ પર સવાલ ઉઠાવ્યા છે.

કંગનાએ લખ્યું છે, ‘અચાનક મુંબઈ પોલીસની તરફથી ઘણા રિપોર્ટ્સ સામે આવી રહ્યા છે, જેમાં સુશાંતને માનસિક રીતે બીમાર કહેવાયો છે. ઘણા સાયકાટ્રિસ્ટે એવો દાવો કર્યો છે જેમને સુશાંત ક્યારેક મળ્યો હતો. વાહ, શું તેઓ આને સાબિત કરી શકે છે? શું કોઈની મેડિકલ હિસ્ટ્રી સામે લાવવી કાયદાની વિરુદ્ધ નથી?’

ફેન્સ સતત કંગનાની આ ટ્વીટને સપોર્ટ કરી રહ્યા છે અને કૉમેન્ટની સાથે-સાથે તેને રીટ્વીટ પણ કરી રહ્યાં છે. જણાવી દઈએ કે, સુશાંતના મોત બાદ તરત કંગનાએ આ ઘટનાને પ્લાન્ડ મર્ડર ગણાવી હતી. તેણે કહ્યું હતું કે, સુશાંત બોલિવૂડમાં ગ્રુપિઝમ અને નેપોટિઝ્મનો શિકાર બન્યો છે. તાજેતરમાં જે તેણે પોતાના ઈન્ટરવ્યુમાં પોલીસની તપાસ પર સવાલ ઉઠાવ્યા હતા અને આ મામલે કરણ જોહર, મહેશ ભટ્ટ અને આદિત્ય ચોપરા જેવા મોટા લોકોના નામ લીધા હતા.

તાજેતરમાં એક ટીવી ચેનલ સાથે વાત કરતા કંગનાએ કહ્યું કે, તેને સુશાંતના કેસમાં પૂછપરછ માટે મુંબઈ પોલીસ દ્વારા સમન મળ્યું હતું પણ અત્યારે તે મનાલીમાં છે તો તેણે મુંબઈ જવામાં અસમર્થતા વ્યક્ત કરી હતી. કંગનાએ એમ પણ કહ્યું કે, તેણે કહ્યું હતું કે, તેનું નિવેદન લેવા માટે મુંબઈથી કોઈ વ્યક્તિને મનાલી મોકલી શકાય છે પણ તેને પોલીસ તરફથી કોઈ જવાબ મળ્યો નહોતો.

સુશાંતના કેસમાં કંગનાએ પોતાનું નિવેદન આપતા ત્યાં સુધી કહ્યું હતું કે, જો તે પોતાની વાતો સાબિત કરી શકવામાં નિષ્ફળ રહી તો તે પોતાનું ‘પદ્મ શ્રી’ સન્માન પરત આપી દેશે. કંગનાએ કહ્યું કે, તેણે જે પણ વાતો કહી છે કે, તે પહેલેથી પબ્લિક ડોમેઈનમાં અવેલેબલ છે અને તે તેને સાબિત કરવા માટે તૈયાર છે. જણાવી દઈએ કે, કંગનાને ભારત સરકારે આ જ વર્ષે પદ્મ શ્રીનું સન્માન આપ્યું હતું.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો