એપશહેર

સુશાંત સિંહ રાજપૂત કેસઃ પૂરાવાઓ નષ્ટ કરવા ઈચ્છે છે મુંબઈ પોલીસ?

I am Gujarat 4 Aug 2020, 2:50 pm
બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મોતનો મામલે તપાસ વધુ ગુંચવાઈ રહી છે. મુંબઈ પોલીસે સૌથી પહેલા તેની તપાસ શરૂ કરી પછી સુશાંતના પિતાની ફરિયાદ પર બિહાર પોલીસ તેમાં તપાસ કરવા લાગી. હવે બિહાર સરકારનું કહેવું છે કે તે આ મામલામાં સીબીઆઈ તપાસની માગણી કરશે. જોકે રિયા ચક્રવર્તીના વકીલનું નિવેદન સામે આવ્યું છે કે બિહાર સરકાર આવું કંઈ ન કરી શકે. અને હવે સુશાંતના ફેમિલી વકીલ વિકાસ સિંહનું નિવેદન સામે આવી ગયું છે.
I am Gujarat pol



તપાસથી રોકવા ઈચ્છે છે મુંબઈ પોલીસ
વિકાસ સિંહે કહ્યું છે કે તેમને નથી લાગતું કે ક્યારેય પણ કોઈ રાજ્ય સરકાર આવા સરકારી અધિકારીને ક્વોરન્ટાઈન કરે. વિકાસ સિંહ પટણાના એસપી વિનય તિવારીને ક્વોરન્ટાઈન પર મોકલવા મામલે બોલી રહ્યા હતા. તેમણે કહ્યું કે, એક પોલીસ અધિકારીને ક્વોરન્ટાઈન માટે મોકલવાનો સ્પષ્ટ મતલબ છે તે તેમને તપાસ કરતા રોકવામાં આવી રહ્યા છે.

પૂરાવાઓ નષ્ટ કરવા ઈચ્છે છે મુંબઈ પોલીસ
વિકાસ સિંહે આગળ પોતાના નિવેદનમાં કહ્યું, સાચી વાત કહીએ તો મુંબઈ પોલીસ ટાઈમ ઈચ્છે છે જેથી બધા પૂરાવાઓ નષ્ટ કરી શકાય. આથીઅમે નિર્ણય લીધો છે કે આ મામલાને સીબીઆઈને સોંપી દેવો જોઈએ. નીતિશ કુમાર પહેલા જ કહી ચૂક્યા છે કે મામલાની તપાસમાં આગળ જરૂર હશે તો તેને સીબીઆઈને સોંપી દેવામાં આવશે.


ઉલ્લેખનીય છે કે બિહાર સરકારે પહેલા જ જાહેરાત કરી દીધી છે કે તે સુશાંત સિંહ રાજપૂતના મોતની તપાસ સીબીઆઈ પાસે કરાવવાની ભલામણ કરવાની છે. આ મામલામાં સતત આરોપ લાગી રહ્યા છે કે મુંબઈ પોલીસ બિહાર પોલીસની ટીમ સાથે સહયોગ નથી કરી રહી.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો