એપશહેર

સોનુ નિગમના ગુરુ ઉસ્તાદ ગુલામ મુસ્તફા ખાનનું 89 વર્ષે નિધન, PM મોદીએ આપી શ્રદ્ધાંજલિ

મહાન ગાયકના અવસાન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી, એ આર રહેમાન તેમજ લતા મંગેશકર સહિત ફેન્સે પણ શોક પ્રગટ કર્યો હતો

I am Gujarat 17 Jan 2021, 8:23 pm
વર્ષ 2020 બોલિવૂડ માટે ખૂબ જ માઠું સાબિત થયું હતું. જોકે, વર્ષ 2021ની શરુઆતમાં જ સંગીત જગત માટે ફરી એકવાર માઠા સમાચાર આવ્યાં છે. 89 વર્ષના મહાન ક્લાસિકલ સિંગર ઉસ્તાદ ગુલામ મુસ્તફા ખાનનું નિધન થયું છે. પોતાના શાનદાર કરિયરમાં ઉસ્તાદ ગુલામ મુસ્તફા ખાન સાહેબે પોતાના અવાજથી શ્રોતાઓને રસતરબોળ કર્યા હતાં. તેમના અવસાન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી, એ આર રહેમાન તેમજ લતા મંગેશકર સહિત ફેન્સે પણ શોક પ્રગટ કર્યો હતો.
I am Gujarat musician ustad ghulam mustafa khan passes away lata mangeshkar and ar rahman pay tribute
સોનુ નિગમના ગુરુ ઉસ્તાદ ગુલામ મુસ્તફા ખાનનું 89 વર્ષે નિધન, PM મોદીએ આપી શ્રદ્ધાંજલિ



લતા મંગેશકરે પોતાના ટ્વીટર હેન્ડલ પર ઉસ્તાદ ગુલામ મુસ્તફા ખાનની તસવીર શેર કરી છે. આ સાથે જ લખ્યું છે કે,'મને અત્યારે જ દુઃખદ સમાચાર મળ્યા છે કે મહાન શાસ્ત્રીય ગાયક ઉસ્તાદ ગુલામ મુસ્તફા ખાન સાહેબ આ દુનિયામાં ન રહ્યાં. એ સાંભળીને મને ખૂબ જ દુઃખ થયું. તેઓ ગાયક સારા હતા અન સાથે જ વ્યક્તિ પણ ખૂબ જ સારા હતાં.'


લતા મંગેશકરે એક અન્ય ટ્વીટમાં લખ્યું કે, 'મારી ભાણીએ પણ ખાન સાહેબ પાસેથી જ સંગીત શીખ્યું છે, મેં પણ તેમની પાસેથી થોડું સંગીત શીખ્યું છે. તેમના જવાથી સંગીતમાં ખૂબ જ નુકસાન થયું છે. હું તેમને વિનમ્ર શ્રદ્ધાંજલિ અર્પણ કરુ છું.'

PM મોદીએ પાઠવી શ્રદ્ધાંજલિ

આ મહાન ગાયકને વડાપ્રધાને પણ યાદ કર્યા હતા અને પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.


એ આર રહેમાને પોતાના ટ્વીટર હેન્ડલ પર લખ્યું કે, 'તેઓ બધાના પ્રેમાળ શિક્ષક હતાં... ઉસ્તાદ ગુલામ મુસ્તફા ખાનને અલ્લાહ પોતાની દુનિયામાં ખાસ જગ્યા આપે' આ સાથે જ એ આર રહેમાને ઉસ્તાદ ગુલામ મુસ્તફા ખાનનો એક વિડીયો પણ શેર કર્યો હતો.

Read Next Story