એપશહેર

ઈરફાન ખાન અને નવાઝુદ્દીનના સંબંધમાં કેમ પડી હતી તિરાડ? કોઈ યુવતી હતી જવાબદાર?

ફિલ્મ અભિનેતા ઈરફાન ખાનનું વર્ષ 2020માં 53 વર્ષની વયે અવસાન થયું હતું. ઈરફાન ખાન 2018થી કેન્સર સામે લડી રહ્યા હતા. તેમને પેટના એક ગંભીર ઈન્ફેક્શનને કારણે મુંબઈની કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઈરફાન ખાન પોતાની પત્ની સુતાપા અને બે દીકરા બાબિલ અને અયાનને વિલાપ કરતા મૂકી ગયા છે.

Edited byનિલય ભાવસાર | I am Gujarat 28 Feb 2023, 11:30 pm
ફિલ્મ અભિનેતા ઈરફાન ખાનનું 2020માં 53 વર્ષની વયે અવસાન થયું હતું. ઈરફાન 2018થી કેન્સર સામે લડી રહ્યા હતા. તેમને પેટના એક ગંભીર ઈન્ફેક્શનને કારણે મુંબઈની કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઈરફાન પોતાની પત્ની સુતાપા અને બે દીકરા બાબિલ અને અયાનને વિલાપ કરતા મૂકી ગયા છે.
I am Gujarat Nawazuddin Siddiqui and Irrfan Khan
ઈરફાન ખાન અને નવાઝુદ્દીનના સંબંધમાં કેમ પડી હતી તિરાડ?

તાજેતરમાં એક્ટર નવાઝુદ્દીન સિદ્દિકી અને દિવંગત એક્ટર ઈરફાન ખાન (Nawazuddin Siddiqui and Irrfan Khan) વિશે એક વિચિત્ર વાત સામે આવી છે, જે વિશે કદાચ આજ સુધી કોઈએ વિચાર્યું પણ નહીં હોય. એક યુવતીના કારણે તેઓ બંને વચ્ચે તિરાડ પડી ગઈ હતી. નવાઝને ઈરફાનની ગર્લફ્રેન્ડ પસંદ હતી અને ત્યારથી તેમની વચ્ચે મતભેદ થવા લાગ્યા હતા.
જ્યારે પણ ઈરફાન ખાનને પૂછવામાં આવ્યું કે શું તે નવાઝુદ્દીન સિદ્દિકી સાથે કડવા સંબંધ ધરાવે છે, ત્યારે તેણે આ પ્રશ્નનો જવાબ ટાળ્યો. નવાઝુદ્દીન સિદ્દીકીએ પણ ઈરફાન માટે કંઈક આવું જ કર્યું હતું. પરંતુ, થોડા દિવસો પહેલા અમારા સહયોગી ETimesએ નવાઝના ભાઈ શમાસને આ જ પ્રશ્ન પૂછ્યો હતો. ત્યારે શમાસે જવાબ આપતા કહ્યું કે, ઈરફાન અને નવાઝ વચ્ચેની આ તિરાડ ત્યારે શરૂ થઈ કે જ્યારે નવાઝે એક યુવતીને ડેટ કરવાનું શરૂ કર્યું, જે ત્યારે ઈરફાનને ડેટ કરી રહી હતી.

નવાઝના ભાઈ શમાસે એવું પણ જણાવ્યું કે, ફિલ્મ 'ધ લંચબોક્સ' (The Lunchbox)ના શૂટિંગ દરમિયાન આ વિવાદ થયો હતો. એકવખત તો શૂટિંગનો એક આખો દિવસ પણ બરબાદ થઈ ગયો. નવાઝ અને ઈરફાન કહેતા હતા કે તેઓ સેટ પર ત્યારે જશે કે જ્યારે ત્યાં કોઈ હાજર ના હોય.

શું છે નવાઝુદ્દીન સિદ્દિકિનું ગુજરાત અને તેમાં પણ ખાસ કરીને અમદાવાદ સાથેનું કનેક્શન?

ગુજરાતના બરોડા શહેરમાં નવાઝુદ્દીન સિદ્દીકી ચીફ કેમિસ્ટ તરીકેનું કાર્ય કરી ચૂક્યો છે. ત્યારબાદ તે દિલ્હી ગયો અને ત્યાં પ્રતિષ્ઠિત નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં એડમિશન લીધું. આર્થિક તંગી હોવાને કારણે દિલ્હીમાં નવાઝુદ્દીન સિદ્દીકી વોચમેન તરીકેની નોકરી પણ કરી ચૂક્યો છે. ત્યારબાદ તે મુંબઈ એક્ટર બનવા માટે આવ્યો અને અનુરાગ કશ્યપની ફિલ્મ ‘બ્લેક ફ્રાઈડે’થી નવાઝુદ્દીન સિદ્દીકીને ઓળખ મળી.

વર્ષ 2012માં આવેલી ફિલ્મ ‘પતંગ’માં નવાઝુદ્દીન સિદ્દીકી જોવા મળ્યો હતો અને આ ફિલ્મનું શૂટિંગ જૂના અમદાવાદના ખાડિયા વિસ્તારમાં આવેલી પોળોમાં થયું હતું. આ ફિલ્મના શૂટિંગ માટે નવાઝુદ્દીન સિદ્દીકીએ અમદાવાદમાં ઘણાં દિવસો સુધી રખડપટ્ટી અને અવલોકન કર્યું હતું. આ સિવાય વર્ષ 2008માં આવેલી ફિલ્મ ‘ફિરાક’માં પણ નવાઝુદ્દીન સિદ્દીકીએ નાનકડો રોલ કર્યો હતો અને આ ફિલ્મનું બેકગ્રાઉન્ડ અમદાવાદ હતું.

ફિલ્મ ‘પતંગ’ના શૂટિંગ માટે નવાઝુદ્દીન સિદ્દીકી ઘણાં દિવસો સુધી અમદાવાદમાં રોકાયો હતો. ત્યારબાદ વર્ષ 2017માં આવેલી શાહરુખ ખાન સ્ટારર ફિલ્મ ‘રઈસ’ના શૂટિંગ માટે પણ નવાઝુદ્દીન સિદ્દીકી અમદાવાદ આવ્યો હતો. આ સિવાય વર્ષ 2017માં આવેલી ફિલ્મ ‘હરામખોર’નું શૂટિંગ પણ ગુજરાતના એક નાનકડા ગામમાં કરવામાં આવ્યું હતું. હાલમાં જ આવેલી ફિલ્મ ‘મન્ટો’નું પણ ગુજરાતના કેટલાંક ભાગોમાં શૂટિંગ કરવામાં આવ્યું હતું. ફિલ્મ ‘મન્ટો’માં નવાઝુદ્દીન સિદ્દીકીએ લેખક સઆદત હસન મન્ટોની મુખ્ય ભૂમિકા ભજવી હતી.
લેખક વિશે
નિલય ભાવસાર
નિલય ભાવસાર છેલ્લા સાડા ચાર વર્ષથી ડિજિટલ પત્રકારત્વ ક્ષેત્રે જોડાયેલ છે. અગાઉ પ્રિન્ટ મીડિયમ અને ઈસરોમાં પણ કામ કર્યું છે. ગુજરાત યુનિવર્સિટીમાંથી માસ્ટર્સ ઈન ડેવલપમેન્ટ કમ્યુનિકેશનનો અભ્યાસ કર્યો છે. અનુવાદની પ્રક્રિયામાં વધારે રુચિ છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો