એપશહેર

કોરોનાને કારણે સુશાંત કેસની તપાસ અટકી, SITના એક મેમ્બર કોરોના પોઝિટિવ

સુશાંત કેસમાં ડ્રગ એંગલની તપાસ જે ચાલી રહી હતી તે કોરોનાને કારણે થોડા સમય માટે રોકી દેવામાં આવી છે.

I am Gujarat 16 Sep 2020, 6:51 pm
મુંબઈઃ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો સુશાંત કેસમાં ડ્રગ એંગલની સક્રિય રીતે તપાસ કરી રહ્યું છે. સુશાંતના પૂર્વ મેનેજર શ્રુતિ મોદી અને ટેલેન્ટ મેનેજર જયા સાહાને મંગળવારે બોલાવવામાં આવ્યા હતા. જો કે, તેઓને પરત મોકલી દેવામાં આવ્યા છે અને તપાસ રોકી દેવામાં આવી છે. એસઆઈટી ટીમના એક સભ્યનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આ પગલું ઉઠાવવું પડ્યું.
I am Gujarat ncb sit member tests positive for corona sushant case probe on hold
કોરોનાને કારણે સુશાંત કેસની તપાસ અટકી, SITના એક મેમ્બર કોરોના પોઝિટિવ


NCBના નાયબ નિયામક કેપીએસ મલ્હોત્રાએ જણાવ્યું કે, એસઆઈટી ટીમના એક સભ્યને કોરોના થયો છે. અમને હમણાં જ તેમનો એન્ટિજન રિપોર્ટ મળ્યો છે. આને કારણે, અન્ય સભ્યોની પણ ચકાસણી કરવી પડશે અને પ્રોટોકોલનું પાલન કરવામાં આવશે. આ કારણોસર, અમે શ્રુતિ મોદીને પાછા મોકલ્યા છે.

શ્રુતિ મોદી અને જયા સાહાની હાલ પૂછપરછ કરવામાં આવશે નહીં. સુશાંત કેસમાં ડ્રગ એંગલની તપાસ જે ચાલી રહી હતી તે કોરોનાને કારણે થોડા સમય માટે રોકી દેવામાં આવી છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી, તેના ભાઈ શૌવિક, સુશાંતના ઘરના મેનેજર સેમ્યુઅલ મિરાંડા અને દિપેશ સાવંતની ધરપકડ કરી ચૂકી છે.

Read Next Story