એપશહેર

લગ્ન પતાવીને મુંબઈ આવ્યા ધવન-દલાલ પરિવાર, વરુણ-નતાશા બે દિવસ અલીબાગમાં જ રહેશે

50 મહેમાનોની હાજરીમાં વરુણ-નતાશાએ કર્યા લગ્ન. સલમાન ખાનના ગીત પર વરુણે કરી હતી ગ્રાન્ડ એન્ટ્રી.

TNN 25 Jan 2021, 4:46 pm
વરુણ ધવનના પેરેન્ટ્સ ડેવિડ ધવન અને લાલી તેમજ ભાઈ રોહિત ધવન, તેની પત્ની અને દીકરી, કાકા અનિલ ધવન અને તેમનો પરિવાર, કરણ જોહર, મનીષ મલ્હોત્રા, શશાંક ખેતાન, કુણાલ કોહલી અને નતાશાના પરિવાર સહિતના તમામ મહેમાનો અલીબાગથી નીકળી ગયા છે. એટલું જ નહીં તેમના બોડીગાર્ડ્સ પણ અલીબાગ છોડીને મુંબઈ આવવા રવાના થઈ ગયા છે. અલીબાગથી મુંબઈ આવવા રવાના થવામાં સૌથી પહેલા હતા વરુણના ફ્રેન્ડ અને મેન્ટર કરણ જોહર, ડિઝાઈનર મનીષ મલ્હોત્રા અને ડાયરેક્ટર શશાંક ખેતાન. આ ત્રણેય જણા સવારે બ્રેકફાસ્ટ પછી અલીબાગથી મુંબઈ આવવા રવાના થયા હતા. જ્યારે ધવન અને દલાલ પરિવારના સભ્યો બપોરે લંચ લીધા પછી મુંબઈ જવા રવાના થયા હતા. પરિવારોના મુંબઈ આવવા માટેની તમામ વ્યવસ્થા પર ડેવિડ ધવન અને તેમના ભાઈ અનિલ ધવન નજર રાખતા હતા.
I am Gujarat vd fam mum

View this post on Instagram A post shared by ETimes (@etimes)


જો કે, વરુણ અને નતાશા અલીબાગથી મુંબઈ આવવા માટે નીકળ્યા નથી. નવદંપતીએ આજે અને આવતીકાલ એમ બે દિવસ અલીબાગમાં રોકાવાનું આયોજન કર્યું છે. કપલ અહીં એકબીજા સાથે ક્વોલિટી ટાઈમ વિતાવશે. વરુણની ગાડી લગ્નસ્થળની બહાર જ પાર્ક થયેલી જોવા મળી હતી. જ્યારે બાકીના તમામ લોકો મુંબઈ આવી ગયા છે. થોડીવાર પહેલા જ ડેવિડ ધવન પત્ની અને મોટા દીકરાના પરિવાર સાથે મુંબઈ પરત આવેલા જોવા મળ્યા હતા.

અલીબાગથી નીકળ્યા નતાશાના પેરેન્ટ્સ



અમારા સહયોગી ETIMESને એક્ટરની નજીકના એક સૂત્રના જણાવ્યા અનુસાર, "વરુણના મુખ્ય સ્ટાફના સભ્યોને બાદ કરતાં દરેક વ્યક્તિ વેડિંગ વેન્યૂથી નીકળી ગઈ છે. આ બાબત લાંબા સમય પહેલા જ વરુણે પ્લાન કરી લીધી હતી. હવે વરુણ અને નતાશા અલીબાગમાં એકલા જ છે અને કોઈ ડિસ્ટર્બ કરે તેવું નથી ઈચ્છતા. છેલ્લા કેટલાય દિવસોથી વરુણ અને નતાશા પોતાના કામની સાથે લગ્નની તૈયારીઓ પણ કરી રહ્યા હતા જેના કારણે ખૂબ જ વ્યસ્ત હતા. માટે આ એક દિવસ તેઓ કોઈની પણ ખલેલ વિના માત્ર ને માત્ર એકબીજા સાથે વિતાવા માગે છે. તેઓ મુંબઈ આવી જશે પછી રિવાજો મુજબ નવી દુલ્હનનું સ્વાગત કરવામાં આવશે. વરુણ-નતાશા મુંબઈ આવે પછી ધવન પરિવાર આ રિવાજની તૈયારીઓ શરૂ કરશે. આ જ રીતે વરુણ અને નતાશા તેમના રિસેપ્શનનું આયોજન પણ કરી રહ્યા છે, જે આવતા અઠવાડિયે યોજાવાનું છે."

વાંચો, હલ્દી સેરેમનીમાં વરુણે બતાવ્યા મસલ્સ, મિત્રોએ પહેરી હતી ખાસ ટી-શર્ટ

ઉલ્લેખનીય છે કે, વરુણ ધવન અને નતાશા દલાલે 24મી જાન્યુઆરીએ અલીબાગના 'ધ મેન્શન હાઉસ'માં હિન્દુ-પંજાબી રિવાજો મુજબ લગ્ન કર્યા હતા. મીડિયા રિપોર્ટ પ્રમાણે, વરુણ ધવને મંડપ સુધી સલમાન ખાનની ફિલ્મ 'સલામ-એ-ઈશ્ક'ના ગીત 'તેનું લેકે...' પર ફિલ્મી સ્ટાઈલમાં એન્ટ્રી કરી હતી. આ સિવાય પણ લગ્નના સ્થળે 'સાડ્ડી ગલી' અને 'ભૂતની કે' જેવા પોપ્યુલર ગીતો વાગ્યા હતા. લગ્ન બાદ વરુણ-નતાશાએ રિસોર્ટની બહાર આવીને મીડિયાના ફોટોગ્રાફર્સને પોઝ આપ્યો હતો. કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને માત્ર 50 મહેમાનોની હાજરીમાં લગ્ન પૂરા થયા હતા.

Read Next Story