એપશહેર

Sushant Rajput case: 'આ કેસને બિહાર અને મહારાષ્ટ્ર વચ્ચેનો ઝઘડો ના બનાવો'

સુશાંત સિંહ રાજપૂતના કેસમાં નવા મુદ્દા અને વિચારતા કરતા પ્રશ્નો સામે આવી રહ્યા હતા ત્યારે હવે બિહાર અને મહારાષ્ટ્ર પોલીસ વચ્ચેની અનબન ચર્ચાનું કેન્દ્ર બની રહ્યો છે. આ મામલે મહારાષ્ટ્રની પોલીસ દ્વારા કરવામાં આવી રહેલી કામગીરી સામે સોશિયલ મીડિયાથી લઈને અધિકારીઓ દ્વારા સવાલ કરવામાં આવી રહ્યા છે.

I am Gujarat 1 Aug 2020, 8:59 am
મુંબઈઃ સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ની આત્મહત્યા મામલે તપાસ કરવા ગયેલી બિહાર પોલીસ સાથે મુંબઈ પોલીસના અધિકારીઓનું ખરાબ વર્તન રાજકીય મામલો બની રહ્યો છે. બિહારના અધિકારીઓને મીડિયા સાથે વાત ના કરવા દેવામાં આવ્યા બાદ મુંબઈ પોલીસ પર સવાલ ઉઠી રહ્યા છે. આ મામલે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ હસ્તક્ષેપ કરવો પડ્યો છે.
I am Gujarat please dont use this case as an excuse to create friction between maharashtra and bihar uddhav thackeray
Sushant Rajput case: 'આ કેસને બિહાર અને મહારાષ્ટ્ર વચ્ચેનો ઝઘડો ના બનાવો'


​મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેનું નિવેદન

ઉદ્ધવ ઠાકરેએ સુશાંતના કેસમાં થઈ રહેલી નિવેદનબાજી પર સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે મુંબઈ પોલીસે સમર્થન આપ્યું છે. સીએમએ કહ્યું, "મુંબઈ પોલીસ નકામી નથી. જો કોઈની પાસે પુરાવા છે તો અમારી પાસે પહોંચાડવામાં આવે. અમે તેના આધારે આરોપીઓની પૂછપરછ કરીશું અને જે પણ દોષિતો છે તેમને સજા પણ કરીશું. મારી અપીલ છે કે આ કેસને મહારાષ્ટ્ર અને બિહાર પોલીસ વચ્ચે ઝઘડાનું કારણ ના બનાવશો."

​તપાસ માટે મુંબઈ પહોંચી છે બિહાર પોલીસ

આ મામલો ત્યાંથી શરુ થયો જ્યારે બિહાર પોલીસે મુંબઈ પોલીસ પાસે મદદ માગી હતી અને તે મળી નહીં. શુક્રવારે સાંજે બિહાર પોલીસના અધિકારીઓ તપાસ માટે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ પહોંચ્યા હતા. બીજી તરફ પોલીસનું વાહન ના મળવાના કારણે તપાસ માટે બિહાર પોલીસ રિક્ષામાં ફરી રહી હોવાનો મામલો પણ સામે આવ્યો હતો.

​મીડિયા સાથે વાત કરી તો વેનમાં બેસાડી દીધા

આ દરમિયાન બિહાર પોલીસના અધિકારીઓ જ્યારે મીડિયા સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો તો મુંબઈ પોલીસના જવાનોએ તેમને પકડી લીધા. મીડિયાના તમામ કેમેરા વચ્ચે મુંબઈ પોલીસના અધિકારીઓ બિહાર પોલીસના તમામ અધિકારીઓને વેનમાં બેસાડીને ક્યાંક લઈને ચાલ્યા ગયા. આ વીડિયો સામે આવ્યા પછી બિહાર પોલીસના અધિકારીઓથી લઈને સામાન્ય લોકોએ મુ્ંબઈ પોલીસના વલણ સામે સવાલ ઉઠાવ્યા છે.

​સોશિયલ મીડિયા પર ચાલતી રહી ચર્ચા

મુંબઈ પોલીસની આ કાર્યવાહીનો મુદ્દો સોશિયલ મીડિયા પર વાયરસ થતો રહ્યો અને મોડી રાત સુધી હજારો લોકો મુંબઈ પોલીસના આ વલણ સામે સવાલ ઉઠાવતા રહ્યા. આ દરમિયાન લોકોએ પૂછ્યું કે સુશાંત મર્ડર કેસની તપાસ કરી રહેલી બિહાર પોલીસને મુંબઈ પોલીસના અધિકારીઓ સહયોગ કેમ નથી કરી રહ્યા? યુઝર્સે સવાલ કર્યો કે બિહાર પોલીસની કાર્યવાહીમાં ખલેલ પડતી દેખાઈ રહી છે, ત્યારે લોકોને એવા પણ સવાલ થઈ રહ્યા છે કે શું મુંબઈ પોલીસ કોઈને બચાવી રહી છે? આ સિવાય લોકોએ પૂછ્યું કે ગુનેગારોની જેમ પોલીસને વાનમાં બેસાડીને લઈ જવી, જેના કારણે તે મીડિયા સાથે વાત ના કરી શકે આ કેટલું યોગ્ય છે?

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો