એપશહેર

નહોતી ઈચ્છતી કે દીકરો એક્ટર બને, 'બાહુબલી' જોઈને પ્રભાસની માતાએ કહી હતી આ વાત

Shailesh Thakkar | I am Gujarat 13 Oct 2019, 11:06 pm
કોઈપણ વાતમાં જ્યારે ‘બાહુબલી’નો ઉલ્લેખ થાય છે તો સહજ રીતે પ્રભાસનું નામ આવી જ જાય છે અને પ્રભાસનો ઉલ્લેખ થાય ત્યાં અચૂક પણે ‘બાહુબલી’ની વાત આવી જ જાય છે. સાઉથ ઈન્ડિયાની ફિલ્મો બાદ બોલિવૂડમાં પણ આગવી ઓળખ ઊભી કરનારા પ્રભાસે તાજેતરના જ ઈન્ટરવ્યુમાં ‘બાહુબલી’ અંગે માતા તરફથી મળેલા રિએક્શન અંગે વાત કરી હતી. તેણે કહ્યું કે, જ્યારે તેણે ફિલ્મની સફળતા અંગે માતા-પિતાની પ્રતિક્રિયા માંગી ત્યારે તેની માતાએ કહ્યું હતું કે, લોકપ્રિયતા અને સફળતાને ક્યારેય પોતાના માથે ચડવા ન દેતો. પ્રભાસે કહ્યું કે, તેને માતાએ સલાહ આપી હતી કે, શાંત રહેજે. આ સફળતા અને લોકપ્રિયતાને પોતાના પર હાવી ન થવા દેતો. રસપ્રદ વાત એ છે કે, પ્રભાસને તેની માતા ક્યારેય એક્ટિંગમાં આવવા દેવા માગતી નહોતી. પ્રભાસ કહે છે કે, ‘મા નહોતી ઈચ્છતી કે, હું ફિલ્મોમાં કામ કરું. તે ઈચ્છતી હતી કે, હું કોઈ સારી નોકરી લઈ લઉં અને એક ઘર ખરીદી લઉ, જેમાં ખુશીથી જીવન વિતાવું.’ ઈન્ટરવ્યુ દરમિયાન પ્રભાસે એ વાતનો ઉલ્લેખ કર્યો કે, ફિલ્મોમાં આવ્યા પહેલા તે રેસ્ટોરન્ટ શરૂ કરવાનું પણ વિચારી રહ્યો હતો. ત્યારે તેની ઉંમર 19 વર્ષ હશે પણ ઉંમર વધી તેની સાથે વિચાર પર બદલાઈ ગયો અને પછી ફિલ્મોમાં કરિયર બનાવવાનું નક્કી કર્યું. પ્રભાસ ‘બાહુબલી’ને પોતાનું જીવન બદલી નાખનારી ફિલ્મ માને છે. પ્રભાસની છેલ્લી ફિલ્મ ‘સાહો’ હતી જેણે બૉક્સ ઑફિસ પર શાનદાર બિઝનેસ કર્યો. ફિલ્મે વર્લ્ડ વાઈડ 400 કરોડથી વધુનો બિઝનેસ કર્યો.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો