એપશહેર

હિરાણીએ કબૂલ્યું, સંજય દત્તની છબી સુધારવા 'સંજુ'માં કર્યા હતા આ ફેરફાર

Yogesh Gajjar | I am Gujarat 14 Sep 2018, 4:08 pm
I am Gujarat rajkumar hirani accepts to do changes in sanju
હિરાણીએ કબૂલ્યું, સંજય દત્તની છબી સુધારવા 'સંજુ'માં કર્યા હતા આ ફેરફાર


‘સંજૂ’ માટે હિરાણીએ કર્યા ફેરફાર

રાજકુમાર હિરાણીની ફિલ્મ ‘સંજૂ’ રિલીઝ થઈ ત્યારથી જ બોક્સ ઓફિસ પર ખૂબ ધમાલ મચાવી હતી. સાથે જ કમાણી PKને પછાડીને ત્રીજી સૌથી વધુ કમાણી કરનાર હિન્દી ફિલ્મ બની હતી. આ ફિલ્મ રણબીર કપૂર અને સંજય દત્ત બંનેના કરિયર માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ. ફિલ્મે ઘણી લોકપ્રિયતા મેળવી છતાં સંજય દત્તની લાઈફના બધા પાસાઓ તેમા ન દર્શાવવાના કારણે તેની ખૂબ નિંદા પણ કરવમાં આવી.

હીરો માટે જોઈતી હતી સહાનુભૂતિ

હાલમાં જ ફિલ્મ મેકર રાજકુમાર હિરાણીએ સ્વીકાર્યું કે ફિલ્મમાં સંજય દત્તના પાત્રમાં સહાનુભૂતિ મેળવવા માટે સ્ટીરોમાં કેટલાક ફેરફાર કર્યા હતા. આ વિશે વાત કરતા હિરાણીએ કહ્યું કે, જ્યારે પહેલીવાર ફિલ્મ એડિટ કરીને સ્ક્રીનીંગ કરવામાં આવ્યું તો લોકો સંજય દત્તને નફરત કરતા હતા અને ફિલ્મ જોવા નહોતા ઈચ્છતા. તેમણે કહ્યું કે, તેઓ એક રિયલ લાઈફ સ્ટોરી બનાવવા ઈચ્છતા હતા, આથી તેમણે સંજૂબાબા માટે સહાનુભૂતિ મેળવવા કોઈ પ્રયાસો નહોતા કર્યા. તેઓ પણ ભૂલી ગયા હતા કે સંજય દત્ત જ ફિલ્મનો હીરો છે.

ખાસ સીને બનાવી ફિલ્મમાં ઉમેરાયા

હિરાણીએ સ્વીકાર્યું કે, હીરો માટે સહાનુભૂતિ મેળવવા કેટલાક સીન ક્રિએટ કરીને ઉમેરવામાં આવ્યા, જે પહેલાની ફિલ્મમાં નહોતા. ફિલ્મમાં કોર્ટના ચૂકાદા બાદ એક્ટર જેલમાં પોતાનો જીવ આપવાનો પ્રયાસ કરે છે, આ ભાગ પાછળથી ઉમેરવામાં આવ્યો હતો. જોકે તે સીન લોકો વચ્ચે કઈ ખાસ પ્રભાવ પાડી શક્યો નહીં.

બોક્સ ઓફિસ પર ‘સંજૂ’એ કરી હતી ધમાલ

રાજકુમાર હિરાણીના મત મુજબ, દરેક ફિલ્મ એક ખાસ જર્ની છે. જેમાં કેટલીક બાબતો કામ કરે છે અને કેટલીક નહીં. તેમ છતાં હિરાણી હજુ પણ ફિલ્મમાં કેટલીક ખામીઓ જુએ છે, તેમણે પોતાનું બેસ્ટ આપવાનો પ્રયાસ કર્યો. બોક્સ ઓફિસ પર ફિલ્મે કમાણી મામલે ઘણા રેકોર્ડ બનાવ્યા હતા અને દર્શકોને પણ ખૂબ જ પસંદ આવી હતી.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો