એપશહેર

કિડની ટ્રાન્સપ્લાન્ટ બાબતે 'ભલ્લાલદેવ' રાણા દગ્ગુબાટીએ કર્યો મોટો ખુલાસો

એક્ટરે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, જ્યારે તમારી લાઇફ સારી રીતે ચાલી રહી હોય અને ત્યારે અચાનક જ પોઝનું બટન આવી જાય, મને બીપીની પ્રોબ્લેમ હતી. મારા હાર્ટનો પ્રોબ્લેમ હતો અને કિડની પણ ફેલ થવાની હતી. આ કંડિશનમાં 70 ટકા ચાન્સ સ્ટ્રોક અને હેમરેજના હતા અને જીવને પણ જોખમ હતું. એકસમયે તેની હાલત એટલી ખરાબ થઈ ગઈ હતી કે તેનો જીવ જોખમમાં મૂકાઈ ગયો હતો.

Edited byનિલય ભાવસાર | I am Gujarat 18 Mar 2023, 4:48 pm

હાઈલાઈટ્સ:

  • તેનું બ્લડ પ્રેશર હાઈ થઈ ગયું હતું અને હાર્ટમાં મોટો પ્રોબ્લેમ થઈ ગયો હતો. જેથી તેની કિડની પર પણ અસર થઈ હતી.
  • તેના જીવનમાં એવી સ્થિતિ ઊભી થઈ હતી કે તેને સ્ટ્રોકનો ખતરો વધી ગયો હતો અને મોત થવાની પણ શક્યતાઓ રહેલી હતી.
  • તેણે પોતે આંશિકરીતે અંધ હોવાનો પણ ખુલાસો કર્યો હતો અને કહ્યું હતું કે તે પોતાની જમણી આંખથી જોઈ શકતો નથી.
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat Rana Daggubati
રાણા દગ્ગુબાટીએ કર્યો મોટો ખુલાસો
સાઉથના ફિલ્મમેકર એસએસ રાજામૌલીની બ્લોકબસ્ટર ફિલ્મ 'બાહુબલી'માં 'ભલ્લાલદેવ'નો રોલ કરીને પોતાની ઓળખ બનાવનાર સાઉથ એક્ટર રાણા દગ્ગુબાટી (Rana Daggubati) આજકાલ પોતાની વેબ સિરીઝ 'રાણા નાયડુ' માટે ચર્ચામાં છે. આ વેબ સિરીઝ ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ કરવામાં આવી છે. તેણે તાજેતરમાં પોતાના હેલ્થ ઈશ્યુ અને કિડની ટ્રાન્સપ્લાન્ટ વિશે ખુલાસો કર્યો છે. તેણે કહ્યું કે તે તેની જમણી આંખથી સરખું જોઈ શકતો નથી અને તેણે આંશિક અંધત્વ વિશે પણ વાત કરી છે.
રાણા દગ્ગુબાટી (Rana Daggubati)એ કહ્યું કે, 'હું મારી જમણી આંખથી જોઈ શકતો નથી, તેથી અલગ રીતે ઓપરેટ કરું છું. ઘણાં લોકો શારીરિક સમસ્યાને કારણે તૂટી જાય છે અને જો તેઓ ઠીક થઈ જાય તો પણ તેઓ પર ભારેપણું રહે છે. મારું કોર્નિયલ ટ્રાન્સપ્લાન્ટ (Corneal transplantation) થયું હતું, મારી કિડની ટ્રાન્સપ્લાન્ટ થઈ હતી. હું વિચારતો હતો કે 'હું હજી જીવતો છું અને બસ ચાલતા રહેવાનું છે.'
રાણા દગ્ગુબાટીએ વધુમાં વાત કરતા જણાવ્યું કે, એક એવો સમય હતો કે જ્યારે મારા જીવનમાં અચાનક બ્રેક વાગી હતી. તેનું બ્લડ પ્રેશર હાઈ થઈ ગયું હતું અને હાર્ટમાં મોટો પ્રોબ્લેમ થઈ ગયો હતો. જેથી તેની કિડની પર પણ અસર થઈ હતી. તેના જીવનમાં એવી સ્થિતિ ઊભી થઈ હતી કે તેને સ્ટ્રોકનો ખતરો વધી ગયો હતો અને મોત થવાની પણ શક્યતાઓ રહેલી હતી. તેણે પોતે આંશિકરીતે અંધ હોવાનો પણ ખુલાસો કર્યો હતો અને કહ્યું હતું કે તે પોતાની જમણી આંખથી જોઈ શકતો નથી.
વર્ષ 2016માં એક ચેટ શૉ દરમિયાન તેણે પોતાની આંખ વિશે ખુલાસો કરતા કહ્યું હતું કે, 'મારી જમણી આંખ કામ કરતી નથી, હું માત્ર ડાબી આંખથી જ જોઈ શકું છું. મારી જમણી આંખ બીજા કોઈની છે, એક વ્યક્તિએ તેના મૃત્યુ બાદ મને તેની આંખ દાન કરી હતી પણ અત્યારે હું મારી ડાબી આંખ બંધ કરું તો હું કંઈ જોઈ શકતો નથી. તેથી હું અલગ રીતે તેને ઓપરેટ કરું છું. મારું કિડની ટ્રાન્સપ્લાન્ટ થયું હતું એટલે ક્યારેક એવું લાગે કે જાણે હું ટર્મિનેટર છું.
લેખક વિશે
નિલય ભાવસાર
નિલય ભાવસાર છેલ્લા સાડા ચાર વર્ષથી ડિજિટલ પત્રકારત્વ ક્ષેત્રે જોડાયેલ છે. અગાઉ પ્રિન્ટ મીડિયમ અને ઈસરોમાં પણ કામ કર્યું છે. ગુજરાત યુનિવર્સિટીમાંથી માસ્ટર્સ ઈન ડેવલપમેન્ટ કમ્યુનિકેશનનો અભ્યાસ કર્યો છે. અનુવાદની પ્રક્રિયામાં વધારે રુચિ છે.... વધુ વાંચો

Read Next Story