એક વર્ષ કપૂર પરિવારના સભ્યો માટે મુશ્કેલીભર્યું રહ્યું, કારણ કે તેમણે પરિવારના બે સભ્યો ઋષિ કપૂર અને રાજીવ કપૂર ગુમાવ્યા. બે વર્ષ સુધી કેન્સર સામેની જંગ લડ્યા બાદ ઋષિ કપૂરનું 30મી એપ્રિલ, 2020ના રોજ નિધન થયું હતું. તો આ વર્ષની 9મી ફેબ્રુઆરીએ કાર્ડિયેક અરેસ્ટ આવતા રાજીવ કપૂર અવસાન પામ્યા હતા. બંને નાના ભાઈઓને આમ અલવિદા કહેવું તે રણધીર કપૂર માટે સહેજ પણ સરળ નહોતું. તેઓ હજુ પણ ભાઈઓના નિધનના દુઃખમાંથી બહાર આવ્યા નથી અને બંનેને મિસ કરી રહ્યા છે. થોડા મહિના પહેલા સોશિયલ મીડિયા પર ડેબ્યૂ કરનારા એક્ટર રણધીરે ઋષિ અને રાજીવને યાદ કરતાં હૃદયસ્પર્શી વાત લખી છે.
રણધીર કપૂરે ઈન્સ્ટાગ્રામ પર ઋષિ અને રાજીવની થ્રોબેક તસવીર શેર કરી છે, જે તેમના યુવાનીના દિવસોની છે. તસવીરોની સાથે રણધીરે આશા વ્યક્ત કરી છે કે તેમના ભાઈઓ જ્યાં હશે ત્યાં ખુશ હશે. તેમણે લખ્યું છે કે, 'મારા ડાર્લિંગ ભાઈઓને હંમેશા યાદ કરીશ. આશા છે કે તમે જ્યાં હશો ત્યાં ખુશ હશો'. ફેન્સે રણધીરની પોસ્ટ પર કોમેન્ટ કરીને તેમને મજબૂત રહેવા માટે કહ્યું છે તેમજ કપૂર બ્રધર્સ પર પ્રેમ વરસાવ્યો છે.
રાજીવ કપૂરના નિધન બાદ રણધીરે પત્ની બબિતા, દીકરી કરિશ્મા અને કપૂર પરિવારના બાકીના સભ્યો સાથે પૂજા કરી હતી. દિવંગત રાજીવ, આશુતોષ અને સુનિતા ગોવારિકરની ફિલ્મ 'તુલસીદાસ જુનિયર'થી બોલિવુડમાં કમબેક કરવા માટે ઉત્સાહિત હતો. આશુતોષ ગોવારિકર આ સંદર્ભમાં 14મી ફેબ્રુઆરીએ રાજીવ કપૂર માટે મીડિયા સમક્ષ ઈન્ટરવ્યૂ ગોઠવવાના હતા. જો કે, કે પહેલા જ તેઓ અવસાન પામ્યા હતા.
કરીના કપૂર અને સૈફ અલી ખાનને ત્યાં બીજા સંતાનનો જન્મ થતાં રણધીર કપૂર ચોથીવાર નાના બન્યા છે. કરીનાની ડિલિવરી બાદ મીડિયા સાથે વાતચીત કરતાં તેમણે કહ્યું હતું કે, બેબી પટૌડી તેના મોટાભાઈ તૈમૂર અલી ખાન જેવો દેખાય છે. ઉલ્લેખનીય છે કે, રણધીર કપૂરની મોટી દીકરી કરિશ્માને એક્સ-પતિ સંજય કપૂર થકી દીકરી સમાઈરા અને દીકરો કિયાન એમ બે બાળકો છે.
રણધીર કપૂરે ઈન્સ્ટાગ્રામ પર ઋષિ અને રાજીવની થ્રોબેક તસવીર શેર કરી છે, જે તેમના યુવાનીના દિવસોની છે. તસવીરોની સાથે રણધીરે આશા વ્યક્ત કરી છે કે તેમના ભાઈઓ જ્યાં હશે ત્યાં ખુશ હશે. તેમણે લખ્યું છે કે, 'મારા ડાર્લિંગ ભાઈઓને હંમેશા યાદ કરીશ. આશા છે કે તમે જ્યાં હશો ત્યાં ખુશ હશો'. ફેન્સે રણધીરની પોસ્ટ પર કોમેન્ટ કરીને તેમને મજબૂત રહેવા માટે કહ્યું છે તેમજ કપૂર બ્રધર્સ પર પ્રેમ વરસાવ્યો છે.
રાજીવ કપૂરના નિધન બાદ રણધીરે પત્ની બબિતા, દીકરી કરિશ્મા અને કપૂર પરિવારના બાકીના સભ્યો સાથે પૂજા કરી હતી. દિવંગત રાજીવ, આશુતોષ અને સુનિતા ગોવારિકરની ફિલ્મ 'તુલસીદાસ જુનિયર'થી બોલિવુડમાં કમબેક કરવા માટે ઉત્સાહિત હતો. આશુતોષ ગોવારિકર આ સંદર્ભમાં 14મી ફેબ્રુઆરીએ રાજીવ કપૂર માટે મીડિયા સમક્ષ ઈન્ટરવ્યૂ ગોઠવવાના હતા. જો કે, કે પહેલા જ તેઓ અવસાન પામ્યા હતા.
કરીના કપૂર અને સૈફ અલી ખાનને ત્યાં બીજા સંતાનનો જન્મ થતાં રણધીર કપૂર ચોથીવાર નાના બન્યા છે. કરીનાની ડિલિવરી બાદ મીડિયા સાથે વાતચીત કરતાં તેમણે કહ્યું હતું કે, બેબી પટૌડી તેના મોટાભાઈ તૈમૂર અલી ખાન જેવો દેખાય છે. ઉલ્લેખનીય છે કે, રણધીર કપૂરની મોટી દીકરી કરિશ્માને એક્સ-પતિ સંજય કપૂર થકી દીકરી સમાઈરા અને દીકરો કિયાન એમ બે બાળકો છે.