બોલિવૂડ એક્ટ્રેસ રાની મુખર્જીના પિતા રામ મુખર્જીનું 22 ઓક્ટોબરના રોજ સવારે 4 વાગ્યે નિધન થયું છે. મળેલી જાણકારી પ્રમાણે રામ મુખર્જી મુંબઈની બ્રીચ ક્રેંડી હોસ્પિટલમાં દાખલ હતા. તેમનિ તબિયત લાંબા સમયથી ખરાબ હતી. તે છેલ્લે રાની મુખર્જીના ઘરે આયોજિત દુર્ગા પૂજામાં દેખાયા હતા. 85 વર્ષના રામ મુખર્જીનું હાર્ટ ફેલ થવાને કારણે મૃત્યુ થયું હોવાનું જણાવવામાં આવે છે. રામ મુખર્જી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા ડિરેક્ટર, પ્રોડ્યુસર અને સ્ક્રિપ્ટ રાઈટર હતા. તેમણે હિન્દી અને બંગાળી ભાષાની અનેક ફિલ્મોનું ડિરેક્શન કર્યું છે. રાની મુખર્જીની ડેબ્યુ ફિલ્મનું ડિરેક્શન પણ તેમણે જ કર્યુ હતું. 1997માં આવેલી હિન્દી ફિલ્મ રાજા કી આયેગી બારાતના પ્રોડ્યુસર પણ રામ મુખર્જી જ હતા. આ સિવાય 1964માં આવેલી દિલીપ કુમાર અને વૈજયંતી માલાની ફિલ્મ લીડરનું ડિરેક્શન પણ કર્યુ હતું. ઉલ્લેખનીય છે કે, રાની મુખર્જી ફિલ્મી ફેમિલીથી આવે છે. તેના પિતા જો ફિલ્મમેકર હતા જ, માતા કૃષ્ણા મુખર્જી પણ એક પ્લેબેક સિંગર હતા. રાનીનો ભાઈ રાજા મુખર્જી પણ પ્રોડ્યુસર ડિરેક્ટર છે.
રાની મુખર્જીના પિતા રામ મુખર્જીનું હાર્ટ ફેલ થવાને કારણે નિધન
I am Gujarat 22 Oct 2017, 3:23 pm