બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મોતના કેસમાં CBI તપાસ ચાલી રહી છે અને આ ટીમ આ કેસ સાથે જોડાયેલા તમામ લોકોની પૂછપરછ કરી રહી છે. સુશાંતના કેસમાં રિયા ચક્રવર્તીને મુખ્ય આરોપી કહેવામાં આવી રહી છે. બીજી તરફ સુશાંતના ચાહકોના મનમાં પોતાના મનપસંદ એક્ટરના મોતના કેસમાં રિયા અંગે તમામ પ્રકારના સવાલ ઉઠી રહ્યા છે. આ બધાની વચ્ચે રિયાએ એક ઈન્ટરવ્યુમાં સુશાંતના તેના પરિવાર સાથેના સંબંધો પર વાત કરી છે.
'સુશાતના માતા-પિતા વચ્ચે સારા સંબંધ નહોતા'
ન્યૂઝ ચેનલ આજતકને આપેલા ઈન્ટરવ્યૂમાં રિયા ચક્રવર્તીએ કહ્યું કે, 'સુશાંત અને તેના પિતા વચ્ચે શરૂઆતથી જ સંબંધો સારા નહોતા. હું જ્યારે સુશાંતની જિંદગીમાં આવી તેના પહેલાથી સુશાંતની પોતાના પિતા સાથે પાંચ વર્ષથી વાત નહોતી થઈ. સુશાંતે મને જણાવ્યું કે, તેનો પોતાની માતા સાથે ખૂબ ગાઢ સંબંધ હતો. સુશાંતના પિતા અને તેની મા વચ્ચે સારા સંબંધો નહોતા. આ વાત સુશાંતને બાળપણથી જ પરેશાન કરતી હતી. સુશાંતના પિતાએ તેની માને છોડી દીધી હતી. આ જ કારણોસર સુશાંત પોતાના પિતાથી અળગો રહેતો હતો.'
'સુશાંતની ફેમિલીને ડિપ્રેશન વિશે જણાવ્યું હતું'
રિયા ચક્રવર્તીએ કહ્યું કે, 'મેં સુશાંતની ફેમિલીને તેના ડિપ્રેશન વિશે જણાવ્યું હતું. તેની બહેન મીતૂને જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, સુશાંતને આ તકલીફ છે. માને પણ હતી. સારું છે હવે સારવાર થશે અને સુશાંત સ્વસ્થ થઈ જશે. જો સુશાંતનો તેના પરિવાર સાથે આટલો સારો સંબંધ હતો તો બહેનો જરૂરિયાતના સમય તેની સાથે કેમ નહોતી. સુશાંત જ્યારે ચંડીગઢ ગયો ત્યારે જો તેમને લાગતું હતું કે, હું સુશાંતને કન્ટ્રોલ કરી રહી છું તો તેને ત્યાં રોકી કેમ ન લીધો.'
'હું ઈચ્છતી હતી કે, સુશાંતના ફેમિલી સાથે સંબંધો સુધરે'
રિયા ચક્રવર્તીએ આગળ કહ્યું કે, 'સુશાંત અને તેની બહેનો-જીજાજી ત્યારે હું પોતે ઈચ્છતી હતી કે, તેમના સંબંધો સારા રહે પણ ખબર નહીં તેમની વચ્ચે એવું શું થતું હતું કે, તેઓ બીજા જ દિવસ અલગ-અલગ થઈ જતા હતા. જ્યારે વૉટરસ્ટોનમાં સુશાંતની ટ્રિટમેન્ટ ચાલી રહી હતી ત્યારે ત્યારે તેની બહેન ત્યાં આવી હતી પણ તે ત્યાંથી કેમ રાતે જ જતી રહી. જો ત્યાં એવું કંઈ થઈ રહ્યું હતું જે વિચિત્ર હતું તો બહેને ત્યાં કેમ ન રોક્યો.'
સુશાંત પર કેસ કરવાની હતી પ્રિયંકા
રિયાએ આગળ જણાવ્યું કે, 'મારી અને પ્રિયંકા વચ્ચે ઘટના બની હતી. તેણે મને દારૂના નશામાં મૉલેસ્ટ કરવાનો પ્રયત્ન કર્યો હતો. મેં આ વાત સુશાંતને જણાવી અને તેનો બહેન સાથે મોટો ઝઘડો થયો. ત્યારબાદ સુશાંતે મને મેસેજ કર્યો કે, પ્રિયંકા તેને મેન્યુપુલેટ કરવાનો પ્રયત્ન કરી રહી છે. ત્યારબાદ પ્રિયંકા તો સુશાંત પર કેસ કરવાની હતી. તેમ છતાં વૉટરસ્ટો રિઝોર્ટમાં મેં પ્રિયંકાને હગ કર્યું અને કહ્યું કે, તારા ભાઈને તારી જરૂર છે. તેની સારવાર ચાલી રહી છે પણ તે ત્યાંથી જતી રહી છે. જો એટલો બધો પ્રેમ હોત તો ત્યાં રોકાત.'
'સુશાતના માતા-પિતા વચ્ચે સારા સંબંધ નહોતા'
ન્યૂઝ ચેનલ આજતકને આપેલા ઈન્ટરવ્યૂમાં રિયા ચક્રવર્તીએ કહ્યું કે, 'સુશાંત અને તેના પિતા વચ્ચે શરૂઆતથી જ સંબંધો સારા નહોતા. હું જ્યારે સુશાંતની જિંદગીમાં આવી તેના પહેલાથી સુશાંતની પોતાના પિતા સાથે પાંચ વર્ષથી વાત નહોતી થઈ. સુશાંતે મને જણાવ્યું કે, તેનો પોતાની માતા સાથે ખૂબ ગાઢ સંબંધ હતો. સુશાંતના પિતા અને તેની મા વચ્ચે સારા સંબંધો નહોતા. આ વાત સુશાંતને બાળપણથી જ પરેશાન કરતી હતી. સુશાંતના પિતાએ તેની માને છોડી દીધી હતી. આ જ કારણોસર સુશાંત પોતાના પિતાથી અળગો રહેતો હતો.'
'સુશાંતની ફેમિલીને ડિપ્રેશન વિશે જણાવ્યું હતું'
રિયા ચક્રવર્તીએ કહ્યું કે, 'મેં સુશાંતની ફેમિલીને તેના ડિપ્રેશન વિશે જણાવ્યું હતું. તેની બહેન મીતૂને જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, સુશાંતને આ તકલીફ છે. માને પણ હતી. સારું છે હવે સારવાર થશે અને સુશાંત સ્વસ્થ થઈ જશે. જો સુશાંતનો તેના પરિવાર સાથે આટલો સારો સંબંધ હતો તો બહેનો જરૂરિયાતના સમય તેની સાથે કેમ નહોતી. સુશાંત જ્યારે ચંડીગઢ ગયો ત્યારે જો તેમને લાગતું હતું કે, હું સુશાંતને કન્ટ્રોલ કરી રહી છું તો તેને ત્યાં રોકી કેમ ન લીધો.'
'હું ઈચ્છતી હતી કે, સુશાંતના ફેમિલી સાથે સંબંધો સુધરે'
રિયા ચક્રવર્તીએ આગળ કહ્યું કે, 'સુશાંત અને તેની બહેનો-જીજાજી ત્યારે હું પોતે ઈચ્છતી હતી કે, તેમના સંબંધો સારા રહે પણ ખબર નહીં તેમની વચ્ચે એવું શું થતું હતું કે, તેઓ બીજા જ દિવસ અલગ-અલગ થઈ જતા હતા. જ્યારે વૉટરસ્ટોનમાં સુશાંતની ટ્રિટમેન્ટ ચાલી રહી હતી ત્યારે ત્યારે તેની બહેન ત્યાં આવી હતી પણ તે ત્યાંથી કેમ રાતે જ જતી રહી. જો ત્યાં એવું કંઈ થઈ રહ્યું હતું જે વિચિત્ર હતું તો બહેને ત્યાં કેમ ન રોક્યો.'
સુશાંત પર કેસ કરવાની હતી પ્રિયંકા
રિયાએ આગળ જણાવ્યું કે, 'મારી અને પ્રિયંકા વચ્ચે ઘટના બની હતી. તેણે મને દારૂના નશામાં મૉલેસ્ટ કરવાનો પ્રયત્ન કર્યો હતો. મેં આ વાત સુશાંતને જણાવી અને તેનો બહેન સાથે મોટો ઝઘડો થયો. ત્યારબાદ સુશાંતે મને મેસેજ કર્યો કે, પ્રિયંકા તેને મેન્યુપુલેટ કરવાનો પ્રયત્ન કરી રહી છે. ત્યારબાદ પ્રિયંકા તો સુશાંત પર કેસ કરવાની હતી. તેમ છતાં વૉટરસ્ટો રિઝોર્ટમાં મેં પ્રિયંકાને હગ કર્યું અને કહ્યું કે, તારા ભાઈને તારી જરૂર છે. તેની સારવાર ચાલી રહી છે પણ તે ત્યાંથી જતી રહી છે. જો એટલો બધો પ્રેમ હોત તો ત્યાં રોકાત.'