એપશહેર

દિલીપ કુમાર માટે અવોર્ડ લેતી વખતે ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા સાયરા બાનો, દિવંગત પતિ માટે ‘ભારત રત્ન’ની માંગ કરી

મુંબઈમાં આયોજિત એક સમારોહમાં દિવંગત અભિનેતા દિલીપ કુમારને અવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ અવોર્ડ લેવા માટે તેમના પત્ની સાયરા બાનો પહોંચ્યા હતા. સાયરા બાનો સન્માન સમારોહમાં અભિનેતાને યાદ કરીને ભાવુક થઈ ગયા હતા. તેમણે જણાવ્યું કે તેઓ આ જ કારણોસર કોઈ ઈવેન્ટમાં હાજર નથી રહેતા. આ સિવાય તેમણે દિલીપ કુમાર માટે ભારત રત્નની માંગ પણ કરી હતી.

Edited byZakiya Vaniya | TNN 15 Jun 2022, 12:17 pm
બોલિવૂડના વેટરન અને દિવંગત અભિનેતા દિલીપ કુમારને મરણોપરાંત ભારત રત્ન ડોક્ટર આંબેડકર અવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા, જે સ્વીકારવા માટે તેમના પત્ની સાયરા બાનો હાજર રહ્યા હતા. મંગળવારના રોજ આ સમારોહનું આયોજન કરવામાં આવ્યુ હતું. સાયરા બાનોએ ભાવુક થઈને અવોર્ડ સ્વીકાર્યો તો ખરો પરંતુ પછીથી તે પોતાને રોકી ના શક્યા અને રડી પડ્યા હતા. આ સમારોહનો વીડિયો પણ સામે આવ્યો છે.
I am Gujarat Saira bano


દિલીપ કુમારને મળેલા આ અવોર્ડને સ્વીકારવા માટે સાયરા બાનો મુંબઈની એક ઈવેન્ટમાં હાજર રહ્યા હતા. આ અવસર પર તેમણે પોતાના દિવંગત પતિને યાદ કર્યા હતા. આ સાથે જ તેમણે માંગ કરી હતી કે તેમના પતિને ભારત રત્ન અવોર્ડ આપવો જોઈએ. તેમણે આની પાછળનું કારણ પણ જણાવ્યુ હતું. તમે સાયરા બાનોનો ભાવુક કરનારો વીડિયો અહીં જોઈ શકો છો.

View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani)

Sushant Singh Rajput માટે Sara Ali Khanએ લખી ઈમોશનલ પોસ્ટ- 'મને એ બધી ક્ષણો આપવા માટે આભાર'
તમને જણાવી દઈએ કે દિલીપ કુમારનું આ સન્માન કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેના હાથથી આપવામાં આવ્યુ હતું. મંત્રીએ દિલીપ કુમારને યાદ કરીને બે શબ્દો કહ્યા અને સાયરા બાનો ભાંગી પડ્યા હતા. સાયરા બાનોએ જણાવ્યું કે આ જ કારણસોર તે કોઈ ઈવેન્ટમાં જવા નથી માંગતા કારણકે તે ભાવુક થઈ જાય છે. આ અવસર પર મીડિયા સામે સાયરા બાનોએ જણાવ્યું કે, મને હજી પણ એવો અનુભવ થાય છે કે દિલીપ કુમાર ઘણાં નજીક છે અને બધું જ જોઈ રહ્યા છે. આ સિવાય તેમણે ભારત રત્ન અવોર્ડની માંગ કરતા કહ્યું કે, દિલીપ સાહેબ ભારતના કોહિનૂર હતા, માટે કોહિનૂરને ભારત રત્ન અવોર્ડ મળવો જોઈએ.

Tina Ambaniએ Mahima Chaudhryને ગણાવી 'અસલી હીરો', કહ્યું 'કેન્સર સામેની તારી લડાઈ પ્રેરણાદાયી છે'
સાયરા બાનોએ આગળ જણાવ્યું કે, તે હજી પણ અહીં હાજર છે. તે મારી યાદોમાં નથી, મને ખરેખર એવુ લાગે છે કે દરેક ક્ષણમાં તે મારી સાથે હોય છે અને આ જ વિચાર સાથે હું બાકીનું જીવન પસાર કરી શકુ છું. તે મારી સાથે છે અને હંમેશા મારો સહારો બની રહેશે. ઉલ્લેખનીય છે કે 7 જુલાઈ 2021ના રોજ દિલીપ કુમારનું નિધન થયુ હતું. તે સમયે તેમની ઉંમર 98 વર્ષ હતી. તેઓ લાંબા સમયથી બીમાર હતા.

Read Next Story