એપશહેર

પોલીસ પાસે પહોંચ્યો સુશાંત સિંહ રાજપૂતનો મિત્ર સંદીપ સિંહ

Hitesh Mori | TNN 25 Jun 2020, 5:47 pm
અવિનાશ પાંડે, મુંબઈઃ સુશાંત સિંહ રાજપૂતના આત્મહત્યા કેસમાં પોલીસ સતત તેમની સાથે જોડાયેલા લોકોની પુછપરછ કરી રહી છે. ગુરુવારે સુશાંતના મિત્ર અને ફિલ્મ પ્રોડ્યુસર સંદીપ એસ સિંહ મુંબઈના બાંદ્રા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.સુશાંત સિંહ રાજપૂતની ફાઈનલ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં એ વાતની પુષ્ટિ થઈ ચૂકી છે કે તેનું મોત ફાંસી લાગવાને કારણે થયું છે. જોકે એ જાણવા મળ્યું નથી કે સુશાંતે આ પગલું કેમ ઉઠાવ્યું. મુંબઈ પોલીસે સુશાંત આત્મહત્યા કેસમાં તેના મિત્ર સંદીપને પુછપરછ માટે સમન્સ મોકલ્યું હતું. પોલીસે તેમને સ્ટેટમેન્ટ રેકોર્ડ કરવા માટે બોલાવ્યા હતા જે અંતર્ગત સંદીપ ગુરુવારે બપોરે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.
આ ફિલ્મો કરી છે પ્રોડ્યૂસસંદીપ અંકિતા લોખંડે અને સુશાંતના નજીકના મિત્ર છે. સંદીપ ‘પીએમ નરેન્દ્ર મોદી’, ‘સરબજીત’ અને ‘રામલીલા’ જેવી ફિલ્મોમાં પ્રોડયૂસર રહ્યા છે. રિપોર્ટ મુજબ, હવે તે સુશાંત સાથે ‘વંદે ભારત’ ફિલ્મ પ્રોડ્યૂસ કરવાના હતા. સુશાંતના નિધન બાદ ફિલ્મનું પોસ્ટ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યું હતું.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો