એપશહેર

શનિવારે જેલમુક્ત થશે આર્યન, લાઈટોથી ઝગમગી ઉઠ્યું શાહરુખનું ઘર 'મન્નત'

આર્યન ખાનના 'મન્નત'માં આગમનને લઈને શાહરુખ ખાન અને ગૌરી ખાને તૈયારી કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

I am Gujarat 29 Oct 2021, 9:10 pm

હાઈલાઈટ્સ:

  • 'મન્નત'નો સ્ટાફ લાઈટનું ડેકોરેશન કરી રહ્યો હોવાના ફોટોગ્રાફ્સ જોવા મળી રહ્યા છે.
  • 'મન્નત'ના ધાબા પર ત્યાંનો સ્ટાફ ડેકોરેશન કરી રહ્યો હોવાના ફોટોગ્રાફ્સ પણ જોવા મળી રહ્યા છે.
  • આર્યન ખાનના આગમનની તૈયારીઓ શાહરુખ ખાનના બંગલા 'મન્નત' પર આજે સાંજથી જ જોવા મળી રહી છે.
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat pablo (3)
2 ઓક્ટોબરથી ડ્રગ્સ કેસમાં ઝડપાયા બાદ આર્યન ખાનને આખરે 25 દિવસ બાદ ગત રોજ જામીન મળ્યા હતા. જામીન મળતાંની સાથે જ શાહરૂખ ખાન સાથે તમામ લોકો ખુશખુશાલ થઈ ગયા હતા. જો કે, ગત રોજ આર્યન ખાન જેલમુક્ત થઈ શક્યો ન હતો. અને આજની રાત પણ આર્યન ખાનને જેલમાં જ પસાર કરવી પડશે. જામીનનો રિલીઝ ઓર્ડર આર્થર રોડ જેલ ન પહોંચવાને કારણે આજે આર્યન ખાનની મુક્તિ થઈ શકશે નહીં તેવું જણાવવામાં આવી રહ્યું છે. અને હવે આવતીકાલ સવારે જ આર્યન ખાન જેલમાંથી બહાર નીકળી શકશે.

ત્યારે હવે આર્યન ખાનના 'મન્નત'માં આગમનને લઈને શાહરુખ ખાન અને ગૌરી ખાને તૈયારી કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. 'મન્નત'નો સ્ટાફ લાઈટનું ડેકોરેશન કરી રહ્યો હોવાના ફોટોગ્રાફ્સ જોવા મળી રહ્યા છે. 'મન્નત'ના ધાબા પર ત્યાંનો સ્ટાફ ડેકોરેશન કરી રહ્યો હોવાના ફોટોગ્રાફ્સ પણ જોવા મળી રહ્યા છે. આર્યન ખાનના આગમનની તૈયારીઓ શાહરુખ ખાનના બંગલા 'મન્નત' પર આજે સાંજથી જ જોવા મળી રહી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર જુહી ચાવલાએ આર્યનના જામીનના કાગળો પર સહી કરી છે. આર્થર રોડ જેલના સુપ્રિન્ટેન્ડેન્ટ નિતિન વયાચલે જણાવ્યું કે, આજે છેલ્લે 5.30 વાગ્યે બેઈલ બોક્સ ખોલવામાં આવ્યું હતું. અને કોઈના પણ માટે આ નિયમમાં ફેરફાર કરવામાં આવશે નહીં. આ સાથે તેઓએ જણાવ્યું કે, આર્યન ખાન આજે નહીં, પણ આવતીકાલ સવારે મુક્ત થશે. તમને જણાવી દઈએ કે, જામીન માટે જેલની બહાર રાખવામાં આવેલાં બેઈલ બોક્સમાં સાંજે 5.30 વાગ્યા પહેલાં રિલીઝ ઓર્ડરની ફિઝિકલ કોપી મુકવી જરૂરી છે.

આર્યનના વકીલ સતીષ માનશિંદેના જણાવ્યા અનુસાર, હાઈકોર્ટના આદેશની નકલ તેમને મળી ગઈ છે. જજ એકવાર જામીનનો સ્વીકાર કરે ત્યારબાદ અન્ય ફોર્માલિટી કરવામાં આવતી હોય છે. આજ સાંજ સુધીમાં આ તમામ કામગીરી પૂરી થઈ જશે. બોન્ડ સાઈન થયા બાદ તેને લઈને સીધા કોર્ટથી જેલ જવામાં આવશે. આ તમામ દસ્તાવેજો જેલના સત્તાધીશો સમક્ષ રજૂ કરતાં જ આર્યનને મુક્ત કરાશે. પણ સાંજ 6 વાગ્યા થતાં સુધીમાં ઓર્ડર્સ ઓર્થર રોડ જેલ પ્રશાસનને મળ્યા ન હતા. Pic: Gurujeet Singh

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો