એપશહેર

આર્યનને દિવાળી પછી 'મન્નત'માંથી બીજે શિફ્ટ કરી દેશે શાહરૂખ ખાન?

ડ્રગ્સ કેસમાં જામીન પર છૂટેલા આર્યનની સેફ્ટી અને તેને મીડિયાથી દૂર રાખવા માટે શાહરૂખ ખાન અને ગૌરી શક્ય તમામ પ્રયાસ કરી રહ્યા છે. હવે જાણવા મળી રહ્યું છે કે, આર્યનને દિવાળી પછી 'મન્નત'થી બીજે શિફ્ટ કરી દેવાશે.

I am Gujarat 31 Oct 2021, 4:43 pm

હાઈલાઈટ્સ:

  • ડ્રગ્સ કેસમાં આર્યન ખાન 25 દિવસ જેલમાં રહ્યા બાદ 30 ઓક્ટોબરે જામીન પર છૂટ્યો છે.
  • તેને ઘણી શરતો સાથે જમીન આપવામાં આવ્યા છે, જેમાં પાસપોર્ટ જમા કરાવવાનું પણ સામેલ છે.
  • શાહરૂખ અને ગૌરી આર્યનને ફરીથી નોર્મલ કરવા માટે બીજે શિફ્ટ કરવાનું વિચારી રહ્યા છે.
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat SRK and Aryan
મુંબઈ: બોલિવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન ડ્રગ્સ કેસમાં 25 દિવસ જેલમાં રહ્યા બાદ 30 ઓક્ટોબરે જામીન પર છૂટ્યો છે. આર્યન જેલમાંથી ઘરે પાછો આવ્યો ત્યારે શાહરૂખે પોતાના ઘર 'મન્નત'ને શણગારી દીધું હતું. ઓક્ટોબરનો મહિનો શાહરૂખ માટે ઘણો મુશ્કેલીભર્યો રહ્યો છે. હવે જાણવા મળી રહ્યું છે કે, શાહરૂખ ખાન અને ગૌરી પોતાના દીકરા આર્યનની સેફ્ટી અને તેને મીડિયાથી દૂર રાખવા માટે શક્ય તમામ પ્રયાસ કરી રહ્યા છે.
બોલીવુડ લાઈફના એક રિપોર્ટ મુજબ, દિવાળી પછી શાહરૂખ આર્યનને 'મન્નન'માંથી બીજે ક્યાંક શિફ્ટ કરી શકે છે. સૂત્રો મુજબ, શાહરૂખ તહેવાર પછી આર્યનને અલીબાગના પોતાના ફાર્મહાઉસમાં શિફ્ટ કરે તેવી શક્યતા છે. અલીબાગમાં શાહરૂખની મોટી પ્રોપર્ટી છે અને ત્યાં આર્યન કોઈપણ લાઈમલાઈટથી દૂર રહેશે. શાહરૂખે આ નિર્ણય એટલા માટે લીધો છે કે જેથી આર્યન ફરીથી નોર્મલ થઈ શકે.
જેસલમેરમાં કરીના કપૂરે વિતાવ્યો 'બન ડે', પતિ અને દીકરાઓ સાથે પહોંચી છે રજાઓ માણવા
ઉલ્લેખનીય છે કે, આર્યન ખાનને ઘણી શરતો સાથે જામીન પર છોડાયો છે. આર્યન ગ્રેટર મુંબઈથી બહાર મંજૂરી વિના નહીં જઈ શકે. તેણે પોતાનો પાસપોર્ટ સ્પેશ્યલ કોર્ટમાં જમા કરાવવાનો રહેશે, તે પછી જ તે ભારતમાંથી બહાર જઈ શકશે. આર્યનને દર સપ્તાહે એનસીબીની ઓફિસમાં હાજરી આપવી પડશે અને તે મીડિયા કે સોશ્યલ મીડિયા પર કોઈ પ્રકારનું નિવેદન નહીં આપી શકે. આર્યનને ડ્રગ્સ કેસના અન્ય આરોપીઓ સાથે વાત કરવાનો પણ ઈનકાર કરાયો છે.
આર્યનના જેલમુક્ત થયાના એક દિવસ બાદ મિત્ર અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધામેચા પણ છૂટ્યા
ગત 3 ઓક્ટોબરની રાત્રે મુંબઈથી ગોવા જઈ રહેલા ક્રૂઝમાં મુંબઈ એનસીબીએ દરોડો પાડ્યો હતો અને તેમાં ડ્રગ્સ પાર્ટી કરવાના આરોપમાં આર્યન ખાન સહિતના લોકોની ધરપકડ કરી હતી. મુંબઈ એનસીબીના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેના હાથમાં આ કેસની તપાસ છે. સમીર વાનખેડે સામે પણ લાંચ લેવા સહિતના આક્ષેપો થયા છે. લાંચના કેસમાં સમીર વાનખેડે દિલ્હી હેડક્વાર્ટરથી આવેલી ટીમે પૂછપરછ પણ કરી હતી.

Read Next Story