એપશહેર

શાહરુખ ખાને PM મોદીને હેપ્પી બર્થડે લખતા કહ્યું- 'સર હવે એક દિવસની રજા લઈ લો'

શાહરુખ ખાને સોશિયલ મીડિયા ટ્વિટર પર એક નોટ શેર કરતા લખ્યું કે, સર, તમે એક દિવસની રજા લો અને પોતાના જન્મદિવસને એન્જોય કરો. જન્મદિવસની શુભેચ્છા. અન્ય બોલિવૂડ સેલેબ્સ જેવા કે અજય દેવગન, અક્ષય કુમાર, અનુપમ ખેર, પરેશ રાવલ, કંગના રણોટ, આર માધવન, મહેશ બાબુ, ચિરંજીવ જેવા મોટા સુપરસ્ટાર્સ પણ PM મોદીને શુભેચ્છા સંદેશ પાઠવી ચૂક્યા છે.

Edited byનિલય ભાવસાર | Navbharat Times 17 Sep 2022, 8:13 pm

હાઈલાઈટ્સ:

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તારીખ 17 સપ્ટેમ્બર, 2022ના દિવસે પોતાના 72મા જન્મદિવસની ઉજવણી કરી રહ્યા છે.
  • ત્યારે બોલિવૂડ સેલેબ્સે પણ પીએમ મોદીને સોશિયલ મીડિયા દ્વારા જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી છે.
  • બોલિવૂડના કિંગ શાહરુખ ખાને પીએમ મોદીના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવતા એક નાનકડી સલાહ પણ આપી છે.
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat shah rukh khan wishes pm narendra modi
શાહરુખ ખાને PM મોદીને હેપ્પી બર્થડે લખતા કહ્યું- 'સર હવે એક દિવસની રજા લઈ લો'
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તારીખ 17 સપ્ટેમ્બર, 2022ના દિવસે પોતાના 72મા જન્મદિવસની ઉજવણી કરી રહ્યા છે. ત્યારે બોલિવૂડ સેલેબ્સે પણ પીએમ મોદીને સોશિયલ મીડિયા દ્વારા જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી છે. બોલિવૂડના કિંગ શાહરુખ ખાને પીએમ મોદીના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવતા એક નાનકડી સલાહ પણ આપી છે.

શાહરુખ ખાને સોશિયલ મીડિયા ટ્વિટર પર એક નોટ શેર કરતા લખ્યું કે, આપણો દેશ અને દેશના લોકોની ભલાઈ માટે તમારું સમર્પણ ઘણું પ્રશંસનીય છે. તમને તમારું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે તાકાત અને સારું સ્વાસ્થ્ય મળે. સર, તમે એક દિવસની રજા લો અને પોતાના જન્મદિવસને એન્જોય કરો. જન્મદિવસની શુભેચ્છા.
આ સેલેબ્સે પણ પીએમ મોદીને શુભેચ્છા પાઠવી

એક્ટર શાહરુખ ખાન પહેલા અન્ય બોલિવૂડ સેલેબ્સ જેવા કે અજય દેવગન, અક્ષય કુમાર, અનુપમ ખેર, પરેશ રાવલ, કંગના રણોટ, આર માધવન, મહેશ બાબુ, ચિરંજીવ જેવા મોટા સુપરસ્ટાર્સ પણ PM મોદીને શુભેચ્છા સંદેશ પાઠવી ચૂક્યા છે.
એક્ટ્રેસ કંગનાએ પીએમ મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવતા લખ્યું કે, જન્મદિવસની શુભેચ્છા, આદરણીય વડાપ્રધાન મોદી. બાળપણમાં એક રેલવે પ્લેટફોર્મ પર ચા વેચવાથી માંડીને દુનિયાના સૌથી શક્તિશાળી વ્યક્તિ બનવા સુધીની તમારી આ સફર શાનદાર છે. તમે લાંબુ જીવો અને રામ, કૃષ્ણ, ગાંધીની જેમ અમર રહો. હવે તમે હંમેશાં આ દેશ અને દેશની બહારની ચેતના સાથે જોડાઈ ગયા છો. હું તમને અવતાર કહું છું.

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો (Narendra Modi) 72મો જન્મદિવસ છે અને આજના જ દિવસે મધ્યપ્રદેશના કૂનો નેશનલ પાર્ક (Kuno National Park) ખાતે ચિત્તાનું સ્વાગત કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આ નેશનલ પાર્ક મધ્યપ્રદેશના શ્યોપુર જિલ્લામાં આવેલો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે દરવાજા ખોલ્યા અને ચિત્તાને બહાર છોડવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે, નામિબિયાથી સ્પેશિયલ કાર્ગો વિમાનમાં આ ચિત્તાને ભારત લાવવામાં આવ્યા છે.
લેખક વિશે
નિલય ભાવસાર
નિલય ભાવસાર છેલ્લા સાડા ચાર વર્ષથી ડિજિટલ પત્રકારત્વ ક્ષેત્રે જોડાયેલ છે. અગાઉ પ્રિન્ટ મીડિયમ અને ઈસરોમાં પણ કામ કર્યું છે. ગુજરાત યુનિવર્સિટીમાંથી માસ્ટર્સ ઈન ડેવલપમેન્ટ કમ્યુનિકેશનનો અભ્યાસ કર્યો છે. અનુવાદની પ્રક્રિયામાં વધારે રુચિ છે.... વધુ વાંચો

Read Next Story