શાહિદ કપૂરે કબીર સિંહ પછી ઘણા લાંબા સમયે કોઈ ફિલ્મ સાઈન કરી છે. હવે તે તેલુગુ ફિલ્મ જર્સીની રિમેકમાં દેખાશે. આ ફિલ્મના ડિરેક્ટર ઓરિજિનલ ફિલ્મ ડિરેક્ટ કરનાર ગૌતમ તિન્નૌરી છે. ફિલ્મ આવતા વર્ષે ઓગસ્ટ 2020માં રીલીઝ થશે. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, શરુ કરવા અહીં ક્લિક કરો આ ફિલ્મની ઓફિશિયલ જાહેરાત થવાના અઠવાડિયાઓ પહેલા સુધી એવી આશંકા હતી કે શાહિદ હા પાડશે કે નહિ. કબીર સિંહની જોરદાર સફળતા પછી બીજી રિમેક કરવી કે નહિ તે અંગે શાહિદ કપૂરને શંકા હતી. કબીર સિંહ પણ તેલુગુ ફિલ્મ અર્જુન રેડ્ડીની રિમેક છે. ચર્ચા એવી છે કે શાહિદને આ ફિલ્મ કરવા માટે રૂ. 35 કરોડની ફીઝ મળી છે. ફિલ્મ સાથે સંકળાયેલા એક ટ્રેડ એક્સપર્ટે કહ્યું કે આ ઉપરાંત શાહિદ નફામાં ભાગ રાખશે. આ શાહિદને મળનાર અત્યાર સુધીની સૌથી વધુ ફી છે. સૂત્રોના જણાવ્યા મુજબ શાહિદ કપૂર આ ફિલ્મ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. તેને ઓરિજિનલ ફિલ્મ ખૂબ પસં આવી હતી. તે અર્જુન રેડ્ડીની જેમ આ ફિલ્મની હિન્દી રિમેકને પોતાનો ટચ આપવા માંગે છે. કબીર સિંહની સફળતાએ પુરવાર કર્યું છે કે તે રિમેકને સફળ બનાવી શકે છે. આ શાહિદની અર્જુન રેડ્ડી પછી બીજી રિમેક છે. જર્સી ફિલ્મ એક નવા સવા ક્રિકેટરની સ્ટ્રગલ પર આધારિત છે. જર્સીમાં મુખ્ય પાત્રની પ્રોફેશનલ ઉપરાંત પર્સનલ લાઈફમાં ઝાંકી કરવાનો મોકો મળશે. નિષ્ફળ કારકિર્દીને કારણે લગ્ન જીવન પણ બરબાદ થવા જેવા મુદ્દાને ફિલ્મમાં આવરી લેવાયા છે. ફિલ્મમાં મુખ્ય પાત્ર ઈજા છતાંય કેવી રીતે સ્ટ્રગલ કરીને પોતાની ટીમને કપરા સંજોગોમાં રણજી ટ્રોફી જીતાડે છે તેની વાત છે.
શાહિદ કપૂરને ચડ્યો 'કબીર સિંહ'ની સફળતાનો નશો, નવી ફિલ્મ માટે માંગ્યા 35 કરોડ
I am Gujarat 14 Oct 2019, 5:10 pm