એપશહેર

આ એક્ટરે ઉડાવી રિયાની મજાકઃ સુશાંત મારા સપનામાં પણ આવ્યો હતો અને...

સુશાંત સિંહ રાજપૂતનું નિધન થયું ત્યારથી શેખર સુમન તેની હત્યા થઈ હોવાનું કહી રહ્યો છે. હવે તેણે ટ્વીટ કરીને રિયા ચક્રવર્તીની મજાક ઉડાવી છે. અને કહ્યું છે કે, સુશાંત તેના સપનામાં પણ આવ્યો હતો.

नवभारत टाइम्स 28 Aug 2020, 2:52 pm
સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ પહેલીવાર રિયા ચક્રવર્તીએ પોતાના પર લાગેલા તમામ આરોપોનો જવાબ એક ચેનલને ઈન્ટરવ્યૂમાં આપ્યા હતા. રિયાએ તેમ પણ જણાવ્યું કે, ઘણા લાંબા સમય બાદ તે ઈન્ટરવ્યૂ આપી રહી છે. રિયાએ ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, સુશાંત તેના સપનામાં આવ્યો હતો અને તેને મૌન તોડવા માટે કહ્યું હતું. હવે, શેખર સુમને પોતાના લેટેસ્ટ ટ્વીટમાં રિયાની આ વાતની મજાક ઉજાવી છે. શેખર સુમને તેના જ અંદાજમાં ટ્વીટ કર્યું છે.
I am Gujarat RHEA CHAKRABORTY


વાત એમ છે કે, ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં રિયાએ કહ્યું હતું કે, 'સુશાંત મારા સપનામાં આવ્યો હતો અને તે ઘણા લોકો લોકોના સપનામાં આવ્યો હતો, જેને તે ઓળખતો પણ નહોતો. તેણે મને કહ્યું કે, તું સત્ય જણાવ. જઈને બધાને કહે કે તું શું છે'.

શેખર સુમનના ટ્વીટનો સ્ક્રીનશોટ



તો શેખર સુમને તેની મજાક ઉડાવતા લખ્યું છે કે, 'હું તે કહેવા માગું છું કે તેનું પર્ફોર્મન્સ જોઈને હું થાપ ખાઈ ગયો. તેણે પૂરતી તૈયારી સાથે એવી રીતે સંભળાવ્યું કે હું ભાવુક થઈ ગયો. તેના આંસુ, નિર્મળતા, સારો અભિનય જોઈને હું ભાવનાઓમાં ગરકાવ થઈ ગયો અને પછી સુશાંત અચાનક મારા સપનામાં આવ્યો અને કહ્યું કે તેના પર ભરોસો ન કરતા'.

ઉલ્લેખનીય છે કે, શેખર સુમન તે વ્યક્તિમાંથી એક છે જે શરૂઆતથી જ સુશાંતના મોતને મર્ડર ગણાવી રહ્યા છે. આ કેસમાં સીબીઆઈ તપાસ કરે તેવી શરૂઆતમાં તેમણે માગ કરી હતી. આ સિવાય તેઓ સુશાંતના પિતાને મળવા અને શોક વ્યક્ત કરવા માટે પટના પણ ગયા હતા.

Read Next Story