એપશહેર

અક્ષય કુમારની ફિલ્મ 'સૂર્યવંશી'માં રોહિત શેટ્ટીથી થઈ એક ભૂલ! દર્શકોએ પકડી પાડી

'સૂર્યવંશી' ફિલ્મ બોક્સઓફિસ પર સારી કમાણી કરી રહી છે. આ વચ્ચે રોહિત શેટ્ટી એક સીનને લઈને ટ્રોલ થઈ રહ્યો છે.

I am Gujarat 10 Nov 2021, 1:43 pm

હાઈલાઈટ્સ:

  • રોહિત શેટ્ટીની અક્ષય કુમાર અને કેટરીના કૈફ સ્ટારર ફિલ્મ 100 ક્લબમાં પહોંચવાને આરે
  • સોશિયલ મીડિયા યૂઝર્સ ફિલ્મ 'સૂર્યવંશી' અને રોહિત શેટ્ટીને કરી રહ્યા છે ટ્રોલ
  • કોરોના મહામારીના કારણે અનેકવાર ટળી હતી ફિલ્મ 'સૂર્યવંશી'ની રિલીઝ ડેટ
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat sooryavanshi and rohit shetty gets trolled by social media users
અક્ષય કુમારની ફિલ્મ 'સૂર્યવંશી'માં રોહિત શેટ્ટીથી થઈ એક ભૂલ! દર્શકોએ પકડી પાડી
બોલિવુડના પોપ્યુલર ફિલ્મ ડિરેક્ટર રોહિત શેટ્ટીની ફિલ્મ 'સૂર્યવંશી' રિલીઝ થઈ ત્યારથી ચર્ચામાં છે. ફિલ્મને જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે. આ સિવાય બોક્સ ઓફિસ પર પણ સારો વકરો કરી રહી છે. પરંતુ ફિલ્મ અને રોહિત શેટ્ટી સીનના કારણે ટ્રોલ થઈ રહ્યા છે.
ફિલ્મ 'સિમ્બા'માં જે એક્ટરને વિલનનો ભાઈ દેખાડવામાં આવ્યો હતો તે 'સૂર્યવંશી'માં એન્ટી-ટેરરિઝમ સ્ક્વોડનો ઓફિસર બન્યો છે. આ વાત દર્શકોના ધ્યાનમાં આવતા રોહિત શેટ્ટીને ટ્રોલ કરી રહ્યા છે.

'સૂર્યવંશી'ના સોન્ગ 'ટિપ ટિપ બરસા પાની'માં કેટરીનાને જોઈને રવીના ટંડને કહી આ વાત

એક યૂઝરે બંને ફિલ્મની તસવીર શેર કરી છે અને લખ્યું છે 'સિમ્બામાં જે વિલનનો ભાઈ બન્યો હતો, તે સૂર્યવંશીમાં ટેરરિઝમ સ્ક્વોડનો અધિકાર હન્યો છે. અને પછી આ લોકો બનાવશે એવેન્જર્સ જેવી યુનિવર્સ. આરઆઈપી લોજિક'.


એક યૂઝરે મજાક કરતા લખ્યું છે 'સિમ્બાએ ધરપકડ કર્યા બાદ. તેને તેની ભૂલ સમજાઈ હતી અને બાદમાં દેશની સેવા કરવાનું નક્કી કર્યું હતું'.

દિયા મિર્ઝાને પિતા તરફથી મિલકતમાં કંઈ ન મળ્યું, વર્ષો સુધી રહ્યું આ વાતનું દુઃખ

અન્ય યૂઝરે લખ્યું છે 'આ સમાંતર યુનિવર્સ છે. પાત્રો એક યુનિવર્સમાંથી બીજા યુનિવર્સમાં કૂદી પડે છે. આ રોહિત શેટ્ટીનો માસ્ટરસ્ટ્રોક છે. કારણ કે, એક યુનિવર્સમાં જયકાંત શિકરે હીરો હશે અન સિંઘમ, સૂર્યવંશી તેમજ સિમ્બા વિલન હશે'. એક એક્ટર પહેલા વિલન હતો, તે બીજી ફિલ્મમાં અધિકારી કેવી રીતે બની ગયો તે ફેન્સ જાણવા માગે છે

'સૂર્યવંશી' 5મી નવેમ્બરે રિલીઝ થઈ હતી. ફિલ્મે પહેલા દિવસે 26.29 કરોડની કમાણી કરી હતી. બીજા દિવસે 23.85 કરોડ અને ત્રીજા દિવસે 26.94 કરોડનો વકરો કર્યો હતો. ફિલ્મે અત્યારસુધીમાં 77.08 કરોડની કમાણી કરી છે. ફિલ્મ ખૂબ જ જલ્દી 100 કરોડના ક્લબમાં સામેલ થઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે, દોઢ વર્ષથી અક્ષય કુમાર અને રોહિત શેટ્ટીના ફેન્સ ફિલ્મ રિલીઝ થવાની રાહ જોઈ રહ્યા હતા. પરંતુ કોરોના મહામારીના કારણે ફિલ્મની રિલીઝ ટળી હતી. દોઢ વર્ષમાં ઘણી ફિલ્મો ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ હતી પરંતુ 'સૂર્યવંશી' થિયેટરમાં જઈને લોકો જુએ તેમ રોહિત શેટ્ટી ઈચ્છતો હતો. 'સૂર્યવંશી' દેશભરમાં 4 હજારથી વધુ સ્ક્રીન પર રિલીઝ થઈ છે, તો દુનિયાભરની 5200 સ્ક્રીન પર રિલીઝ કરવામાં આવી છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો