એપશહેર

નેપોટીઝમમાં બાળકોનું નામ આવતાં પરેશાન થાય છે 'અન્ના', પેરેન્ટ્સને આપી સલાહ

સુનીલ શેટ્ટીએ નેપોટીઝમ મુદ્દે પોતાનો મત પ્રગટ કર્યો હતો અને અન્ય પેરેન્ટ્સને પણ ખાસ સલાહ આપી હતી.

I am Gujarat 5 Oct 2020, 11:46 pm
છેલ્લા કેટલાક દિવસોથી બોલીવુડમાં નેપોટિઝમનો મુદ્દો ચર્ચામાં છે. આ અંગે સેલેબ્સ પોતપોતાના મંતવ્યો વ્યક્ત કરી રહ્યા છે અને હવે દિગ્ગજ એક્ટર સુનીલ શેટ્ટીએ નેપોટિઝમ પર ચર્ચા કરી છે. આ સાથે, તેણે જણાવ્યું હતું કે, આ મુદ્દે જ્યારે તેના બાળકો અહાન અને આથિયાના નામ આપવામાં આવે છે ત્યારે તેના પર કેવી અસર પડે છે.
I am Gujarat suniel shetty giving advice to parents and talk about nepotism
નેપોટીઝમમાં બાળકોનું નામ આવતાં પરેશાન થાય છે 'અન્ના', પેરેન્ટ્સને આપી સલાહ


અન્ય પેરેન્ટ્સને પણ આપી આ સલાહ
સુનીલ શેટ્ટીએ તાજેતરમાં જ એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે નેપોટિઝમની ચર્ચા દરમિયાન જ્યારે આથિયા અથવા અહાનનું નામ આવે છે ત્યારે તે પરેશાન થઈ જાય છે. આટલું જ નહીં સુનીલ શેટ્ટીએ એમ પણ કહ્યું હતું કે, દરેક બાળકને પોતાના સપના પૂરા કરવાનો અધિકાર છે અને તેણે અન્ય માતાપિતાને પણ સલાહ આપી હતી કે તેઓ તેમના બાળકોને તેમની ઇચ્છા પૂરી કરવા દે.

અથિયા અને અહાન શેટ્ટી


અથિયા શેટ્ટીની ફિલ્મ પર સુનીલે કહી આ વાત
સુનીલ શેટ્ટીએ આથિયાની છેલ્લી રિલીઝ થયેલી ફિલ્મ 'મોતીચુર ચકનાચૂર' વિશે પણ વાત કરી અને કહ્યું કે તે બહુ મોટી ફિલ્મ નહોતી પરંતુ તેણે આ પ્રોજેક્ટ પસંદ કર્યો કારણ કે તે કરવા માંગતી હતી. આથિયાના કામના આ ફિલ્મમાં વખાણ કરાયા હતા. નવાઝુદ્દીન સિદ્દીકીએ પણ ફિલ્મ 'મોતીચુર ચકનાચુર'માં અથિયા સાથે જોડી જમાવી હતી.

અહાન અને અથિયાનું ફિલ્મી કરિયર
આથિયા શેટ્ટીએ ભલે ઇન્ડસ્ટ્રીમાં ત્રણ ફિલ્મો કરી હોય પરંતુ તેણે પોતાની શાનદાર એક્ટિંગથી દર્શકોને પ્રભાવિત કર્યા છે અને પોતાનું સ્થાન બનાવવામાં સફળ રહી છે. આ દરમિયાન, અહાન જલ્દીથી બોલિવૂડમાં પોતાનું સ્થાન જમાવવાની તૈયારીમાં છે. તે તેલુગુ એક્શન-ડ્રામા 'આરએક્સ 100'ની હિન્દી રિમેકમાં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે તારા સુતારિયા પણ હશે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો