એપશહેર

SSR કેસઃ AIIMSનો રિપોર્ટ આવ્યા બાદ રિયાના વકીલે કહ્યું 'સત્યને બદલી શકાય નહીં'

સુશાંત સિંહ રાજપૂત મોત કેસમાં AIIMSનો રિપોર્ટ આવી ગયો છે. જો કે હજુ ઓફિશિયલ નિવેદન આવવાનું બાકી છે. ત્યારે રિયાના વકીલનું કહેવું છે કે સત્યને બદલી શકાય નહીં

TIMESOFINDIA.COM 3 Oct 2020, 2:41 pm
AIIMSની ફોરેન્સિક ટીમે સુશાંત સિંહ રાજપૂતના મામલે પોતાનો રિપોર્ટ CBIને સોંપી દીધો છે. CBIને સોંપવામાં આવેલા રિપોર્ટમાં AIIMSએ સુશાંતની હત્યા થઈ હોવાની શક્યતા નકારી દીધી છે. સુશાંતને ઝેર અપાયું હશે અને ગળુ દબાવીને હત્યા થઈ હશે તેવી ચર્ચાઈ રહેલી થિયરીઓ પર પૂર્ણવિરામ મૂકાઈ ગયુ છે. આ મામલે હજુ સુધી CBI તરફથી કોઈ નિવેદન સામે આવ્યું નથી, પરંતુ રિયા ચક્રવર્તીના વકીલ સતીષ માનશિંદેએ પ્રતિક્રિયા આપી છે. તેમનું કહેવું છે કે, તેઓ હવે CBIના ઓફિશિયલ વર્ઝનની રાહ જોઈ રહ્યા છે. તેમનું કહેવું છે કે, સત્યને બદલી શકાય નહીં.
I am Gujarat rhea sushant


સતીષ માનશિંદેએ પોતાના નિવેદનમાં કહ્યું કે, 'મેં સુશાંત સિહ રાજપૂત કેસમાં AIIMSના ડોક્ટરોનું નિવેદન જોયું. ઓફિશિયલ પેપર્સ માત્ર AIIMS અને CBI પાસે છે. જે તપાસ પૂરી થયા બાદ કોર્ટમાં આપવામાં આવશે. અમને સીબીઆઈના ઓફિશિયલ વર્ઝનની રાહ છે'.

વકીલે આગળ કહ્યું કે, 'રિયા ચક્રવર્તી તરફથી હંમેશાથી કહેવામાં આવ્યું છે કે, કોઈ પણ પરિસ્થિતમાં સત્યને બદલી શકાશે નહીં. કેટલાક મીડિયા રિપોર્ટ્સ રિયાને લઈને જે અટકળો લગાવી રહ્યા છે, તે ખાસ ઉદ્દેશને લઈને છે. અમે સત્યની સાથે છે. સત્યમેવ જયતે'.
View this post on Instagram A post shared by Shweta Singh kirti (SSK) (@shwetasinghkirti) on Oct 2, 2020 at 10:38pm PDT


AIIMના રિપોર્ટ બાદ ભાઈ સુશાંત સિંહને ન્યાય અપાવવા માટે સોશિયલ મીડિયા પર લડત લડી રહેલી શ્વેતા સિંહ કીર્તિએ પણ પ્રતિક્રિયા આપી છે. તેણે દિવંગત એક્ટરની એક જૂની તસવીર શેર કરી છે અને કેપ્શનમાં લખ્યું છે કે, 'અમે જીતીશું!'.

AIIMSનો રિપોર્ટ આવી ગયો છે ત્યારે સીબીઆઈ આત્મહત્યાની ઉશ્કેરણીના મૂળ કેસના આધારે જ તપાસ આગળ વધારી શકે છે.

મીડિયા રિપોર્ટ અનુસાર, AIIMSની પેનલે તપાસ પૂર્ણ કરી છે અને મેડિકો-લીગલ અભિપ્રાય આપ્યા પછી કેસની ફાઈલ બંધ કરી દીધી છે. AIIMSએ પોતાના રિપોર્ટમાં ઝેર અપાયું હોવાની કે ગળું દબાવીને હત્યા થઈ હોવાની તમામ થિયરીઓ નકારી છે. રિપોર્ટ મુજબ, બિહાર પોલીસે આત્મહત્યાની ઉશ્કેરણીનો મૂળ કેસ નોંધ્યો હતો તે જ દિશામાં હવે CBI પોતાની તપાસ આગળ વધારી શકે છે.

Read Next Story