એપશહેર

સુશાંત કેસઃ એક્ટરનો મૃતદેહ લઈ જનાર એમ્બ્યુલન્સના ડ્રાઈવરને મળી રહી છે ધમકી

સુશાંત સિંહ રાજપૂત આપઘાત કેસ મામલે રોજને રોજ કંઈને કંઈ નવા ખુલાસા થઈ રહ્યા છે. હવે સુશાંતના મૃતદેહને લઈ જનારા એમ્બ્યુલન્સના ડ્રાઈવરે એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરી છે અને કેટલીક ચોંકાવનારી વાતો કહી છે.

TIMESOFINDIA.COM 3 Aug 2020, 11:21 am
સુશાંત સિંહ રાજપૂતનો કેસ દિવસને દિવસે ઉકેલવાના બદલે ગૂંચવાઈ રહ્યો છે. ઘણા લોકો આ કેસમાં મુંબઈ પોલીસની તપાસથી સંતુષ્ટ નથી અને સીબીઆઈ તપાસની માગ કરી રહ્યા છે. આ સિવાય સુશાંતના પિતાએ રિયા સામે ફરિયાદ નોંધાવ્યા બાદ બિહાર પોલીસ પણ મુંબઈ આવી ગઈ છે અને તપાસ કરી રહી છે. રોજ કંઈકનું કંઈક નવું સામે આવી રહ્યું છે.
I am Gujarat sushant


હાલમાં 14 જૂને સુશાંતના ઘર પર ઉપસ્થિત રહેલા એમ્બ્યુલન્સના ડ્રાઈવરે એક ન્યૂઝ ચેનલ સાથે વાતચીત કરતાં કહ્યું કે, તેણે જ સુશાંતની લાશ નીચે ઉતારી હતી. તેણે તેમ પણ ઉમેર્યું કે, તેને મુંબઈ પોલીસે કેટલાક લોકો સાથે તેને સુશાંતનો મૃતદેહ લઈ જવા માટે રાખ્યો હતો. ડ્રાઈવરે તેવો પણ ખુલાસો કર્યો કે, ત્યારથી તેને ઈન્ટરનેશનલ નંબર પરથી ધમકીભર્યા ફોન આવી રહ્યા છે. જો કે, એમ્બ્યુલન્સના માલિકે વિપરિત નિવેદન આપતા કહ્યું કે, મુંબઈ પોલીસે સુશાંતની લાશને નીચે ઉતારી હતી.

બિહાર પોલીસની ટીમ મુંબઈમાં તપાસ કરી રહી છે ત્યારે મુંબઈ પોલીસ તરફથી તેમને કોઈ મદદ ન મળી રહી હોવાનો પણ આરોપ લાગ્યો છે. બિહાર પોલીસ આ દિવંગત એક્ટરના નજીકના લોકોની પૂછપરછ કરી રહી છે.

સુશાંતના કેસને મુંબઈમાં ટ્રાન્સફર કરવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરનાર રિયા ચક્રવર્તી પોતાના મુંબઈ સ્થિત ઘરેથી ગુમ છે.

14 જૂને સુશાંત સિંહ રાજપૂતે પોતાના બાંદ્રા સ્થિત એપાર્ટમેન્ટમાં ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. તેના ઘરમાંથી કોઈ સ્યૂસાઈડ નોટ મળી આવી નથી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ એક્ટરે આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે.

Read Next Story